1. Home
  2. Tag "pakistan"

હોર્મુઝ સ્ટ્રેટ મામલે ભારતના વલણને ઈઝરાયેલે આવકાર્યું, લેબનોન પર હુમલા યથાવત

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ (સીઝફાયર)ની જાહેરાત છતાં સ્થિતિ હજુ પણ વિસ્ફોટક બનેલી છે. આ દરમિયાન ભારત સ્થિત ઈઝરાયેલના રાજદૂત રૂવેન અઝારે આ શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાનની મધ્યસ્થી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઈઝરાયેલ પાકિસ્તાનને એક ‘વિશ્વાસપાત્ર ખેલાડી’ તરીકે જોતું નથી. […]

પાકિસ્તાન ખાસ મિત્ર તુર્કી, અઝરબૈજાન અને બાંગ્લાદેશ સાથેના સંબંધો સુધારવાના ભારતના પ્રયાસો

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: એક તરફ આર્થિક અને આંતરિક કટોકટીમાં ફસાયેલું પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર બાદ શાંતિ સ્થાપવા માટે બંને દેશોના નેતાઓની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારત ફૂંક માર્યા વગર પાકિસ્તાનના પરમ મિત્ર ગણાતા દેશો સાથેના સંબંધો સુધારીને રાજદ્વારી ચેકમેટ આપી રહ્યું છે. ભારત અત્યારે અઝરબૈજાન, તુર્કી, […]

બંગાળ તરફ નજર નાખી તો પાકિસ્તાનના કેટલા ટુકડા થશે તે ભગવાન જાણે: રાજનાથ સિંહ

કોલકાતા, 8 એપ્રિલ 2026: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારતને અપાયેલી ‘ગીધડ ભભકી’ પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરો પ્રહાર કર્યો છે. પશ્ચિમ બંગાળના બેરકપુરમાં એક રોડ શો દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેઓ ભારતને પડકારવાની ભૂલ ન કરે અને પોતાનો ઈતિહાસ યાદ રાખે. ખ્વાજા આસિફના […]

ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરની યાદો તાજી કરાવી

શ્રીનગર, 8 એપ્રિલ 2026: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના વિવાદાસ્પદ નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને પરામર્શ આપતા કહ્યું કે, પાકિસ્તાને કોલકાતા સુધી પહોંચવાની વાતો છોડી દેવી જોઈએ, કારણ કે ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન તેઓ દિલ્હી સુધી પણ પહોંચી શક્યા નહોતા. ગત 4 એપ્રિલના રોજ પાકિસ્તાની રક્ષા […]

મધ્યપૂર્વ સંકટ: ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થી ફગાવી, અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે મળવાનો ઇનકાર

તેહરાન, 4 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને પાકિસ્તાનના મધ્યસ્થી બનવાના પ્રયાસોને સદંતર ફગાવી દીધા છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાકિસ્તાનમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના કોઈ પણ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે નહીં. આ સાથે જ ઈરાને અમેરિકાની શરતોને અસ્વીકાર્ય ગણાવીને સંકટના તાત્કાલિક ઉકેલની શક્યતાઓને નકારી કાઢી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને […]

પાકિસ્તાનમાં પેટ્રોલ 458 રૂપિયા પર પહોંચ્યું, ડીઝલ 520 રૂપિયાને પાર

નવી દિલ્હી, 03 એપ્રિલ 2026: પાકિસ્તાને ડીઝલ અને પેટ્રોલના ભાવમાં 50% થી વધુનો વધારો કર્યો છે, જે એક મહિના કરતાં ઓછા સમયમાં બીજો મોટો વધારો છે, જે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક તેલના ભાવમાં તીવ્ર વધારાને કારણે છે. ડીઝલના ભાવમાં 55% થી વધુનો વધારો કરીને 520.35 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યા છે, જ્યારે […]

મધ્યસ્થી બનવા નીકળેલા પાક. પાસે અમીરાતે 2 બિલિયન ડોલરનું દેવું તાત્કાલિક પાછું માંગ્યું

દુબઈ, 3 એપ્રિલ 2026: આર્થિક કટોકટીમાં ફસાયેલું પાકિસ્તાન હવે વધુ એક મોટી મુસીબતમાં મુકાયું છે. એકતરફ પાકિસ્તાન મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે ‘મધ્યસ્થી’ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેના ‘પરમ મિત્ર’ ગણાતા સંયુક્ત આરબ અમીરાત એ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. UAE એ પાકિસ્તાનને આપેલું […]

બલુચિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા મોર્ટાર હુમલામાં એક બાળક સહિત 3 લોકોના મોત

નવી દિલ્હી, 02 એપ્રિલ 2026: બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા મોર્ટાર હુમલામાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. બલુચ નેશનલ મૂવમેન્ટ, PANK ની માનવાધિકાર શાખાએ અહેવાલ આપ્યો છે કે આ ઘટના 31 માર્ચની સાંજે અવારન જિલ્લામાં બની હતી. બલૂચ સશસ્ત્ર જૂથો દ્વારા નજીકના લશ્કરી છાવણી પર હુમલા બાદ, પાકિસ્તાની સુરક્ષા દળોએ વસ્તી […]

પાકિસ્તાન કોઈ અયોગ્ય હરકત કરી શકે છેઃ રાજનાથસિંહ

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: કેરલમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહએ કેરલમાં એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતનો પડોશી દેશ કોઈ ખોટી હરકત કરી શકે છે. જો કે, રાજનાશસિંહે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો એવુ કંઈ થયું તો ભારતની પ્રતિક્રિયા […]

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં ગોળીબાર, 6 લોકોના મોત

નવી દિલ્હી, 01 એપ્રિલ 2026: ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક જિર્ગા સભા દરમિયાન એક બંદૂકધારીએ ગોળીબાર કરતા છ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે આ ઘટના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં બની હતી. ગોળીબારમાં 6 લોકોના મોત ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં, ઇસ્ત્રાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code