રિવોઈ ન્યૂઝ, 26 જૂન, 2026 – બ્રિટનમાં પાકિસ્તાની રેપગેંગ જે ગ્રૂમિંગ ગેંગ તરીકે પણ ઓળખાય છે તે અંકે સૌપ્રથમ વખત એક નવું સત્ય બહાર આવ્યું છે. પાકિસ્તાની મૂળના એક બ્રિટિશ નાગરિકે એક પોડકાસ્ટમાં આ અંગે ખુલાસો કર્યો છે.
આ પાકિસ્તાની બ્રિટિશ નાગરિકનું કહેવું છે કે, બ્રિટન, યુરોપ, અમેરિકા વગેરે દેશોમાં બળાત્કારીઓની જે ગેંગ છે તે મૂળભૂત રીતે પાકિસ્તાનના મીરપુર જિલ્લાના લોકો છે. આ વ્યક્તિના દાવા મુજબ મીરપુરના આ પાકિસ્તાનીઓ મૂળભૂત રીતે ગુનાઈત માનસિકતા ધરાવતા હોય છે. તેઓ પાકિસ્તાનમાં પણ આવી જ પ્રવૃત્તિઓ કરતા હોવાને કારણે પાકિસ્તાનીઓ પણ તેમને ધિક્કારે છે.
પોડકાસ્ટમાં પાકિસ્તાની બ્રિટિશ નાગરિકે તો એવો પણ દાવો કર્યો કે, બ્રિટન, યુરોપના અન્ય દેશો તેમજ અમેરિકામાં ગુનાઈત પ્રવૃત્તિ, બળાત્કારમાં સંડોવાયેલા પાકિસ્તાનીઓ તેમના પોતાના પરિવારની મહિલાઓ ઉપર પણ બળાત્કાર કરતા હોય છે.
આ પણ વાંચોઃ રાજકારણમાં શબ્દોની ગર્જના અને કોર્ટમાં માફી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે જામી “સોરી”ની જુગલબંધી
બ્રિટિશ પાકિસ્તાની વિવેચક એવું નિવેદન આપે છે કે “ગ્રૂમિંગ ગેંગ્સ” અથવા “રેપ ગેંગ્સ” સામાન્ય રીતે “મીરપુરી” હોય છે, ત્યારે તે પાકિસ્તાનના અન્ય વંશીય જૂથોથી અલગ તારવવા માટે બ્રિટિશ પાકિસ્તાનીઓની બહુમતી પૃષ્ઠભૂમિના ચોક્કસ પ્રાદેશિક સંદર્ભ પર પ્રકાશ પાડે છે.
આ તફાવત યુનાઇટેડ કિંગડમમાં ચાલી રહેલા “ગ્રૂમિંગ ગેંગ્સ” વિવાદ સાથે સંબંધિત છે, જ્યાં રોધરહામ, રોચડેલ અને ટેલફોર્ડ જેવાં શહેરોમાં બાળ જાતીય શોષણના કેટલાક હાઇ-પ્રોફાઇલ, સંગઠિત નેટવર્ક સામે આવ્યા હતા.
જુઓ વીડિયોઃ
Why do British Pakistanis form rape gangs, resort to inbreeding?
~ A British Pakistani explains. pic.twitter.com/IbpMxhhCwD— Abhijit Majumder (@abhijitmajumder) June 25, 2026
ડાયસ્પોરાનો પ્રાદેશિક સંદર્ભ અને વસ્તી વિષયક પ્રભુત્વ
બ્રિટિશ પાકિસ્તાની વસ્તીના 70% જેટલા લોકો મીરપુર જિલ્લાના વતની છે. તેઓ ડાયસ્પોરામાં વિશાળ બહુમતી ધરાવતા હોવાથી, ચોક્કસ ભૌગોલિક વિસ્તારોમાં બ્રિટિશ પાકિસ્તાનીઓ વિશેની કોઈપણ આંકડાકીય માયાજાળનો અર્થ સ્વાભાવિક રીતે જ એવો થાય છે કે તે વ્યક્તિઓ મોટાભાગે મીરપુરી મૂળની છે.
આંતરિક-જૂથ તફાવત: બ્રિટિશ પાકિસ્તાની સમુદાયના વિવેચકો અને બૌદ્ધિકો ઘણીવાર આ બાબત પર ભાર મૂકે છે કે ઉત્તરીય મીરપુરી સમુદાયોની સામાજિક અને સાંસ્કૃતિક ગતિશીલતા સમગ્ર પાકિસ્તાનનું (જેમ કે કરાચી, લાહોર અથવા ઇસ્લામાબાદ જેવાં શહેરી કેન્દ્રોનું) પ્રતિનિધિત્વ કરતી નથી.
જોકે, આવાં નિવેદનો અને તારણો સમગ્ર રીતે પાકિસ્તાનીઓનાં ગુનાઈત કૃત્યોને છાવરવા માટેનો પ્રયાસ હોય એવું ચોખ્ખું જણાય છે.
એક પ્રકારે આ ટ્રેન્ડ સમગ્ર ઈસ્લામિક દુનિયામાં જોવા મળે છે જ્યાં એક તબક્કો ગુનાઈત કૃત્યો, બળાત્કાર, લૂંટફાટમાં સંડોવાયેલો હોય અને બીજી તરફ કથિત શિક્ષિત મુસ્લિમો આવા લોકો પ્રત્યે આંખ આડા કાન કરતા રહે અને બહુ મોટા વિવાદ થાય ત્યારે તેમને ઈસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી એવું કહીને બચી જવાનો પ્રયાસ કરતા હોય છે.

