1. Home
  2. Tag "patan"

પાટણમાં સરસ્વતી નદીના કાંઠે 120 ફૂટ લાંબો ઘાટ બનાવાશે

પાટણઃ શહેરમાં સરસ્વતી નદીના કાંઠે નિર્માણ કરાયેલા સહસ્ત્ર તરુવનમાં સરસ્વતીના ઉપાસકો દ્વારા સરસ્વતી ઘાટ બનાવવા માટે આજે ભૂમિપૂજન કરાયું હતું. પાટણ સરસ્વતી નદીના કાંઠે મિશન ગ્રીન ટીમ દ્વારા પર્યાવરણની જાળવણી માટે એક કિલોમીટર લાંબા નદીના પટમાં વૃક્ષોની હરિયાળી ઊભી કરી નયનરમ્ય સહસ્ત્ર તરૂવન બનાવી અંદર નેપાળના પશુપતિનાથ પ્રતિકૃતિ સમાન આનંદેશ્વર મહાદેવનું મંદિર બનતાં શહેરમાં તરુવન […]

પાટણ જિલ્લામાં વરસાદને અભાવે ખરીફ પાક સુકાઈ રહ્યો છે, કેનાલમાં પાણી છોડવા ખેડુતોની માગ

પાટણઃ  રાજ્યમાં વરસાદ ખેંચાતા સૌથી વધુ વિકટ સિથિતિ ઉત્તર ગુજરાતની છે, જેમાં પાટણ જિલ્લાના ખેડુતો કેનાલમાં પાણી છોડવાની માગ કરી રહ્યા છે. જિલ્લાના સાંતલપુર તાલુકો માત્ર ચોમાસું આધારિત ખેતી પર નિર્ભર છે. જેને લઈ ચાલુ વર્ષે વરસાદ ન થતા તાલુકામાં ખેડૂતોના ખેતરો સૂકાવા લાગ્યા છે. પ્રથમ સામાન્ય વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલો પાક પણ સુકાવાની આરે […]

પાટણમાં માત્ર બે ઇંચ વરસાદે મ્યુનિની પોલ ખોલી નાંખીઃ ઠેરઠેર ખાડાં અને ભૂવા પડ્યાં

પાટણઃ  શહેરમાં પ્રથમ વરસાદમાંજ નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ ગયો હતો અને શહેરના વિવિધ વિસ્તારમાં ઠેરઠેર ખાડા અને ભૂવા પડતા લોકો પરેશાન બની ગયા છે. માત્ર બે ઈંચ વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે. નવા બનેલા રોડમાં નગરપાલિકા અને કન્સલ્ટન્ટ તરફથી કોઈપણ સુપરવિઝન ન થવાના કારણે કામ […]

પાટણની રાણકી વાવ પર્યટકો માટે ખૂલતા પ્રવાસીઓનું આગમન

પાટણઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરીને પર્યટન સ્થળોને પણ મંજુરી આપી દીધી છે. કોરોના કાળમાં  પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ છેલ્લા દોઢ માસથી બંધ હતી. જે આજે બુધવારે સવારથી પર્યટકો માટે ખુલ્લી મુકી છે. જેમાં પ્રથમ દિવસે પર્યટકોનો ધીમા પગલે ઘસારો શરૂ થયો છે. પાટણની બેનુન અને ઐતિહાસિક રાણકીવાવને નિહાળવા માટે […]

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવનારા સમયમાં 1800  મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થાઓ ઊભી કરવાની નેમ રાખી છે. આવા ઓકસીજન પ્લાન્ટમાં હવામાંથી ઓક્સિજન મેળવીને તેને સપ્લાય કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે આવા જ એક […]

કોરોના મહામારીને પગલે મહેસાણા અને પાટણની જેલમાંથી 15 કેદીઓને કરાયાં મુક્ત

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન પાટણની સબજેલમાંથી સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર આઠ કેદીઓને મુક્ત કરવામાં આવ્યાં છે. જેલમાં બંધ કેદીઓ કોરોના સંક્રમિત ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું […]

પાટણમાં ઓક્સિજન ન મળતા યુવક રસ્તા પર ઢળીપડ્યોઃ લોકોએ દોડીને તેનો જીવ બચાવ્યો

પાટણ : શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાલત બગાડી છે. સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બનતી જાય છે. એક બાજુ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે, તો બીજી બાજુ જિલ્લામાંથી સંક્રમિત થતા દર્દીઓનો આંક ઉંચો આવી રહ્યો છે. ત્યારે સાંતલપુરના અરજણસર ગામનો એક યુવક ઓક્સિજનની કમી છતા રોડ પર ઢળી પડ્યો હતો. ત્યારે […]

ઉત્તર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે પાટણ બાદ હવે મહેસાણામાં લોકડાઉન

11 દિવસ તમામ દુકાનો બંધ રહેશે તા. 22મી એપ્રિલથી શરૂ થશે અમલ લોકોને હાલાકી ના પડે તેવુ કરાયું આયોજન પાલિકાના અધિકારીઓ અને વેપારીઓની મળી બેઠક અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે નાના-મોટા ભાગ સ્વૈચ્છીક લોકડાઉન અને સ્વયંભૂ બંધ પાડી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના પાટણમાં લોકડાઉનના નિર્ણય બાદ મહેસાણા શહેરમાં પણ સ્વૈચ્છીક […]

પાટણ બાદ હવે અમરેલીમાં પણ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક આગેવાનો અને વેપારીઓએ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. પાટણમાં મંગળવારથી લોકડાઉનનો અમલ શરૂ થશે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વેપારીઓ અને સ્થાનિક આગેવાનોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સાત દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જેને વિવિધ વેપારી સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે. જો […]

સમગ્ર પાટણ જિલ્લામાં મંગળવારથી સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા લેવાયો નિર્ણય કલેકટર અને સ્થાનિક આગેવાનોની મળી હતી મીટીંગ લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા સંક્રમણ અટકાવવા અમદાવાદ સહિત 20 શહેરોમાં કર્ફ્યુ નાખીને કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. બીજી તરફ અનેક નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં સ્વયંભૂ બંધ અને આંશિક સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code