1. Home
  2. Tag "PM"

સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી, પીએમ સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી, 02 એપ્રિલ 2026: આજે દેશના વિવિધ ભાગોમાં હનુમાન જયંતીની ખૂબ જ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજધાની દિલ્હીમાં, ભક્તો વહેલી સવારથી જ હનુમાન મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડ્યા છે. નવી દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા પ્રાચીન હનુમાન મંદિરમાં ભક્તોની ભીડ જામી રહી છે. આ પ્રસંગને ઉજવવા માટે મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને અખંડ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

ગાંધીનગર, 29 માર્ચ 2026:  PM Narendra Modi to inaugurate semiconductor OSAT plant  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  તા. 31 માર્ચ 2026ના રોજ  સાણંદમાં કેન્સ (Kaynes) સેમિકોનની OSAT સુવિધાનો શુભારંભ કરાવશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 23 સપ્ટેમ્બર 2024માં મંજૂરી આપવામાં આવી હતી.  ₹3300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ […]

યોગે વિશ્વભરમાં માનવતાને સ્વાસ્થ્ય, સંતુલન અને સંવાદિતાના જીવન તરફ માર્ગદર્શન આપ્યું છે: PM

નવી દિલ્હી 20 ડિસેમ્બર 2025: WHO Global Center for Traditional Medicine established પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરના નિષ્ણાતો ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા છે. તેમણે […]

જાપાનમાં ભૂકંપમાં 33 લોકો ઘાયલ, પીએમએ ઇમરજન્સી ટાસ્ક ફોર્સની રચના કરી

નવી દિલ્હી: જાપાનમાં ગઈકાલે રાત્રે આવેલા 7.5 ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયભીત થયા છે. જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુનામી આવી છે, જેનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીએ એક ઇમરજન્સી ટાસ્ક ફોર્સની રચના કરી છે. ભૂકંપમાં 33 લોકો ઘાયલ થયાના અહેવાલ છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. ભૂકંપમાં તુટી પડેલા રસ્તાઓથી […]

ગોવામાં અકસ્માતમાં 25 લોકોના મોત પર પીએમ અને રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી

નવી દિલ્હી: ગોવામાં ગઈકાલે રાત્રે એક નાઈટક્લબમાં આગ લાગવાથી પચીસ લોકોના મોત થયા છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આગનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હતો. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ઘટનાસ્થળે પહોંચ્યા છે. દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ […]

ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ અને પીએમ સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ સીપી રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે તેઓ એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે સમર્થિત ઉમેદવાર તરીકે જીત્યા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા છે. આ જીત સાથે, તેમને દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ મતદારોની સંખ્યા 788 હતી. 7 પદ ખાલી હોવાથી, મતદારોની અસરકારક સંખ્યા […]

દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી, પીએમ સહિતના મહાનુભાવોએ પાઠવી શુભકામનાઓ

નવી દિલ્હીઃ સાંસ્કૃતિક વૈભવનું પ્રતીક ગણાતા ગણેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે. ભગવાન ગણેશના આગમનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ, સરઘસ અને પરંપરાગત ઢોલ-નગારા સાથે કરવામાં આવી રહી છે. આ ઉત્સવ આગામી 11 દિવસ સુધી અનંત ચતુર્દશી સુધી ચાલુ રહેશે અને મોટી સંખ્યામાં લોકો આનંદ અને ઉત્સાહ સાથે તેમાં ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના […]

30 દિવસ જેલમાં રહેનાર PM, CM અને નેતાઓ પદ ગુમાવશે, લોકસભામાં રજુ થયું બિલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા, જેમાં બંધારણ સુધારો બિલનો પણ સમાવેશ થાય છે. આ બિલ ભ્રષ્ટાચાર અથવા ગંભીર ગુનાહિત આરોપોમાં 30 દિવસથી વધુ સમય માટે કસ્ટડીમાં રહેલા પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને પદ પરથી હટાવવા માટે કાનૂની માળખું પૂરું પાડે છે. બંધારણ (130મો સુધારો) બિલ, 2025 આ બિલ ગંભીર ગુનાઓ […]

અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા યોજાશે, વરસાદની આગાહીને લઈને વિશાળ જર્મન વોટરપ્રૂફ ડોમ બનાવવાનો પ્રારંભ, ભાજપ દ્વારા વડાપ્રધાનને આવકારવા 1000થી વધુ બેનરો લગાવાશે, અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 24મી ઓગસ્ટથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન વડનગર તેમજ બેચરાજીની મુલાકાત લેશે. ત્યારબાદ અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટને સોમવારે સાજે જંગી […]

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો, PM તરીકે 4078 દિવસ પૂર્ણ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે 4,078 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ રીતે, તેમણે 24 જાન્યુઆરી, 1966 થી 24 માર્ચ, 1977 સુધી સતત 4,077 દિવસ સુધી પ્રધાનમંત્રી રહેવાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ સિદ્ધિ સાથે, પ્રધાનમંત્રી મોદી ભારતના ઇતિહાસમાં બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code