ધારી તાલુકાના ગોવિંદપુરા ગામે મહિલાનો શિકાર કર્યા બાદ સિંહણ પાંજરે પૂરાઈ
અમરેલી, 17 ફેબ્રુઆરી 2026: ગીરના જંગલમાંથી સ્થળાંતર થઈને અમરેલી જિલ્લામાં વનરાજોનો વસવાટ વધી રહ્યો છે. આમ તો સિંહ ક્યારેક જ વ્યક્તિ પર હુમલો કરતો હોય છે. પણ તાજેતરમાં ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં એક સિંહણે આંબાના બગીચામાં કામ કરી રહેલી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ફફડાટ […]


