1. Home
  2. Tag "Popular News"

રાજકોટમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે મ્યુનિ.ના હેલ્થ વિભાગનું સઘન ચેકિંગ

રાજકોટ, 11 જાન્યુઆરી 2026:  શહેરના મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાદ્યતેલનું વેચાણ અને વપરાશ કરતા એકમો ઉપર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યતેલનું વેચાણ કરતા કુલ 15 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ […]

આંખોને આંજી દેતી મોડીફાઈ કરેલી LED લાઈટ સાથે 250 વાહનો રાજકોટથી પકડાયા

રાજકોટ, 11 જાન્યુઆરી 2026:  ગુજરાત સરકારે તમામ આરટીઓ કચેરીઓને વાહનો પર મોડીફાઈ કરેલી એલઈડી લાઈટ્સ સામે દંડનીય કાર્યવાહીનો આદેશ આપ્યા બાદ સુરત બાદ રાજકોટ આરટીઓએ ઝુંબેશ શરૂ કરી છે. અને છેલ્લા 15 દિવસમાં જ 250થી વધુ વાહનચાલકોને દંડ ફટકારી રૂ.5 લાખની વસૂલાત કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને રાતના સમયે અકસ્માતોના બનાવો વધતા જાય છે. […]

અમદાવાદના અમરાઈવાડીમાં સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી, 40 લોકોનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:  શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. અને આ બનાવની ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. આ બનાવમાં કાટમાળમાં દબાતા એક વૃદ્ધને ઈજા પહોંચી છે. આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા […]

સુરતમાં ગેસ ગીઝરે પતિ-પત્ની અને પૂત્રનો ભોગ લીધો, ગુંગળામણથી ત્રણેયનાં મોત

સુરત, 11 જાન્યુઆરી 2026: શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા ખાતે આવેલી સોય શેરીમાં રહેતાં દંપતી અને તેમનો 12 વર્ષના પુત્રના ગેસ ગીઝરના ઝેરી ગેસને લીધે મોત નિપજ્યા હતા. ગઈકાલે 10 ફેબ્રુઆરીને મંગળવારે સવારે ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં ત્રણેયના મૃતદેહ મળ્યાં હતાં. ત્રણેયના પ્રાથમિક દૃષ્ટિએ ગેસ-ગીઝરમાંથી નીકળેલો કાર્બનમોનોકસાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણને કારણે મોત થયાં હોવાનું ફોરેન્સિક […]

કચ્છના નાના રણમાં વરસાદી પાણીના સંગ્રહથી વન્યજીવોના આવાસની થશે કાયાકલ્પ

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી, જમીનનું ધોવાણ અટકાવી તેમજ વન્યપ્રાણીઓ-પક્ષીઓ માટે આવાસની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ […]

અમદાવાદમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 6.8 કિલો હેરોઈન પકડાયું

અમદાવાદ,10 ફેબ્રુઆરી 2026:  શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મલેસિયાથી આવેલા એક પ્રવાસી પાસેથી 6.8 કિલો હેરોઈન પકડાયું છે.પકડાયેલા હેરોઈનની અંદાજિત કિંમત 30 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. મલેશિયાથી આવેલા પેડલરે હર્બલ સાબુના જુદા જુદા પેકેટમાં હેરોઇન છૂપાવ્યું હતું. પણ કસ્ટમ વિભાગે ચાંપતી નજર અને સતર્કતાથી હેરોઈન પકડાયુ છે. અમદાવાદનું સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ […]

અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 8 લોકોએ એકસાથે નમાજ પઢતા વિડિયો વાયરલ

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026:  શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એરપોર્ટ પર વહેલી સવારે અંદાજે સાડાપાંચ વાગ્યાની આસપાસ પ્રવાસીઓની વધુ અવરજવર હોય એવી જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી. આ સમયે એક પ્રવાસીએ આ સમગ્ર દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હાલ […]

અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાજી 26મી ફેબ્રુઆરીએ નગરયાત્રાએ નિકળશે

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026:  શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજી અમદાવાદના સ્થાપના દિને ભક્તોને દર્શન આપવા પરિક્રમાએ નિકળશે. 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે, ત્યારે શહેરના ભદ્ર કિલ્લામાં સ્થાપના કાળથી બિરાજમાન નગરદેવી ભાદ્રકાળી માતા બીજી વખત નગરચર્યા નીકળશે, તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ અંગે શ્રીરામ બલી પ્રાગ તિવારી ટ્રસ્ટના ચેરમેન […]

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં 1500 કરોડનો વધારો કરી મંજુરી અપાઈ

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026:  મ્યુનિ,કોર્પોરેશનના કમિશનર દ્વારા વર્ષ 2026-27નું રૂપિયા 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યુ હતું. જેને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં 1500 કરોડનો વધારો કરીને રૂ 18,518 કરોડ કદ રાખીને સુધારા-વધારા સાથે બજેટને મંજુરી આપી છે.  ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં 1500 કરોડનો વધારો કરીને 18.518 કરોડના બજેટનો […]

સુરતમાં તાપી નદી પરનો જહાંગીરપુરા-ડભોલી બ્રિજ મરામતને લીધે 78 દિવસ બંધ રહેશે

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ ઓવરબ્રિજની મરામતની કામગીરી ચાલી રહી છે, દરમિયાન તાપી નદી પરના જહાંગીરપુરા- ડભોલી બ્રિજની મરામતની કામગીરી હાથ ધરવાની હોવાથી આવતી કાલે 11મી ફેબ્રુઆરીથી બ્રિજ 78 દિવસ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ બ્રિજનો ઉપયોગ કરનારા વાહન ચાલકોએ હવે અન્ય વૈકલ્પીક રૂટનો ઉપયોગ કરવો પડશે. સુરત મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં તાપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code