1. Home
  2. Tag "Popular News"

વસ્ત્રાપુરમાં શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગ અને ઈસ્કોન નજીક ગોદામમાં લાગી આગ

અમદાવાદ, 12 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ શહેરમાં આજે આગના બે બનાવો બન્યા હતા, પ્રથમ બનાવ વસ્ત્રાપુર વિસ્તારમાં ITC નર્મદાની બાજુમાં આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. છે. જેમાં ફાયરની […]

સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાનઃ રાજ્યપાલ

રાજકોટ, 12 ફેબ્રુઆરી 2026: રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પરના બે દિવસીય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા રાજ્યપાલએ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, […]

ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીને લીધે બે ઋતુનો અનુભવ

અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026:  શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. અને ઉનાળાના આગમનને વિધિવત રીતે એકાદ સપ્તાહ જેટલો સમય બાકી છે,  ત્યારે હાલ લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુને લીધે વાયરલ બિમારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આમ મિક્સ સીઝન લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ […]

વડગામના માહીમાં નકલી ઘીની ફેકટરી પકડાઈ, 1513 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું

પાલનપુર,12 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના વડગામ તાલુકાના માહીમાંથી નકલી ઘી બનાવતી ફેકટરીમાં ફૂડ વિભાગે રેડ પાડીને  રૂપિયા 3.67 લાખની કિંમતનો શંકાસ્પદ ગણાતો 1513 કિલો ઘી જથ્થો સીઝ કર્યો છે. તેમજ ફૂડ વિભાગના અધિકારીઓએ શંકાસ્પદ ઘીના 8 નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. નકલી ઘીમાં સુગંધ માટે એસેન્સ અને મોટી માત્રામાં કલરનો ઉપયોગ કરાતો હોવાનું […]

શિવરાત્રીના મેળાને લીધે ગિરનાર નેચર સફારી પાર્કમાં રવિવાર સુધી સિંહ દર્શન બંધ

જુનાગઢ,12 ફેબ્રુઆરી 2026:   શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ ખાતે શિવરાત્રીના મેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ગામ-પરગામના મોટા સંખ્યામાં લોકો મેળાને મહાલવા ઉમટી પડ્યા છે. 5 દિવસીય મેળામાં સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. અને ઠેર ઠેર ધૂણો કરીને મહાદેવજીની આરાધના કરી રહેલા જોવા મળી રહ્યા છે. દરમિયાન શહેર નજીક આવેલા ગિરનાર નેચર સફારી પાર્કમાં શિવરાત્રીના […]

ધો. 12નો વિદ્યાર્થી મિત્રોમાં રોલો પાડવા થાર ભાડે લાવ્યો અને કર્યો અકસ્માત

અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026:   કલોલની રહેતો અને 12માં ધોરણમાં ભણતો હિતેશ નામનો એક વિદ્યાર્થી  ભાઈબંધો (મિત્રો)માં રોલો પાડવા માટે અમદાવાદથી થાર જીપ સેલ્ફ ડ્રાઈવ પર ભાડે લઈ આવ્યો હતો. કલોલના સર્વિસ રોડ પર થારના વિદ્યાર્થી ચાલકની મોજમસ્તીએ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. સંસ્કૃતિ મૂવીપ્લેક્સ સામે સર્જાયેલા અકસ્માતમાં પૂરફાટ ઝડપે થાર ગાડીએ રિક્ષા અને બાઈક સહિત […]

ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે બુલેટે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બેના મોત

ગાંધીનગર,12 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સરિતા ઉદ્યાન પાસે બુલેટ અને બાઈક વચ્ચે સર્જાયો હતો. શહેરના ઇન્દ્રોડા કટ પાસે બુધવારે સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા છે. પૂરપાટ ઝડપે આવતા એક રોયલ એનફિલ્ડ બુલેટના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકસવારબંને યુવાનના મોત નીપજ્યા […]

ભાવનગરમાં નવી 50 સિટી બસનું શનિવારે કરાશે લોકાર્પણ, PM વર્ચ્યુઅલી જોડાશે

ભાવનગર,12 ફેબ્રુઆરી 2026:  કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગરને 100 ઈવી બસની ભેટ મળતા જેમાં પ્રથમ 50 બસો આવી ગઈ છે. અને 50 ઈવી બસોનો લોકાર્પણ સમારોહ આગામી તા. 14મી ફેબ્રુઆરીને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાશે. શહેરમાં 50 ઈવી બસો શહેરના વિવિધ આઠ રૂટ્સ પર દોડાવવામાં […]

રાજકોટમાં 120 કિલોથી વધુ ચાંદીની ચોરી કેસમાં પકડાયેલા 2 આરોપીએ પોલીસને શુ કહ્યું, જાણો

રાજકોટ,12 ફેબ્રુઆરી 2026:  શહેરમાંથી થયેલી રૂ. 1.62 કરોડની કિંમતની 120 કિલોથી વધુ ચાંદીની ચોરી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી લીધા બાદ ઈનપુટને આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પણ બે આરોપીને દબોચી લીધા હતા. અત્યાર સુધી આ કેસમાંચાર આરોપી પકડાયા છે. પકડાયેલા મુખ્ય બન્ને આરોપીઓએ કેવી રીતે ચોરી કરી, ચોરી કરીને પ્રથમ ક્યા ગયા હતા. […]

ગુજરાત બોર્ડની ધો. 10 અને 12ની પરીક્ષા 15.27 લાખ પરીક્ષાર્થીઓ આપશે

અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 26 મી ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા માટે બોર્ડ દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન સેવા પણ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દુર કરવા માટે પણ પ્રયાસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code