1. Home
  2. Tag "pressure removed"

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં હેરિટેજ સ્થળો આસપાસના દબાણો દુર કરાયાં

અમદાવાદઃ  શહેરના માણેકચોક વિસ્તારમાં હેરિટેજ સ્થળો આસપાસ લારીઓ અને પાથરણાવાળાએ દબાણો કરેલા હતા. તેથી હેરિટેજ સ્થળોની મુલાકાતે આવતા લોકોને મુશ્કેલીઓ પડતી હતી. આ અંગેની ફરિયાદો ઊઠ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા હેરિટેજ સ્થળોની આસપાસથી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. માણેકચોક વિસ્તારમાં રાણીના હજીરા અને બાદશાહના હજીરા પાસેના લારી-ગલ્લાના દબાણોને દૂર […]

ચોટિલામાં હાઈવે પર હોટલો અને દુકાનદારો દ્વારા કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે સતત વાહનોથી ધમધમતો રહે છે. હાઈવેને સિક્સલેન બનાવવામાં આવી રહ્યો છે. હાઈવેની બન્ને સાઈડ પર હોટલો અને દુકાનદારોએ દબાણો કરેલા હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ચોટિલામાં આણંદપુર ચોકડીથી નવી મામલતદાર ઓફીસ સુધી હાઇવે ઉપર દુકાનો તેમજ હોટલોના માલિકો દ્વારા દબાણ કર્યું હોવાથી ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓએ ચુસ્ત […]

અમદાવાદમાં માણેકચોક વિસ્તારમાં રાણીના હજીરા નજીકના દબાણો દુર કરાયાં

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો થયેલા છે. જેમાં માણેકચોક વિસ્તારમાં તો દુકાનદારોએ દબાણો કરતા રસ્તાઓ સાંકડા બની ગયા છે તેના લીધે ટ્રાફિકના પ્રશ્નો પણ વિકટ બન્યા છે. દરમિયાન શહેરના મ્યુનિ.કમિશનરે ગેરકાયદે દબાણો દુર કરવા માટે એસ્ટેટ વિભાગને કડક કાર્યવાહી કરવાની સૂચના અપાયા બાદ શહેરના કોટ વિસ્તારમાં માણેકચોક પાસે આવેલા હેરિટેજ સ્થળ એવા રાણીના હજીરા […]

માંડવી બીચ પરના દબાણો હટાવાયા, 12 કન્ટેનર અને 137 દુકાનો અને લારી ગલ્લા દૂર કરાયા

ભુજઃ કચ્છના માંડવી બીચનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. અને રોજબરોજ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બીચ પર કેટલાક ધંધાગારીઓ દ્વારા દબાણો વધી ગયા હતા, જેના લીધે પ્રવાસીઓને મુશ્કેલી પડતી હતી જેના લીધે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 12 કન્ટેનર તથા 137 જેટલા નાની-મોટી દુકાનો, લારી-ગલ્લા, વોટર […]

રાજકોટમાં કરોડોની કિંમતી સરકારી જમીનો પર બંધાયેલા 40 કાચા-પાકા મકાનો ઉપર ફર્યું બુલડોઝર

રાજકોટઃ  જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા દબાણો દુર કરવા માટે કલેકટર દ્વારા મામલતદારોને સુચના આપ્યા બાદ શહેરના મવડી અને વાવડી વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે બંધાયેલા કાચા-પાકા 40 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસનો સધન બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ તાલુકા મામલતદાર અને દક્ષિણ મામલતદારે કરોડો રુપિયાની કિંમતની […]

ગાંધીનગરમાં ઘ-0 સર્કલથી રિલાયન્સ ચોકડી સુધી દબાણો હટાવાયાં, અન્ય વિસ્તારોમાં કાર્યવાહી નહીં

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા હાલ રોડ પરના દબાણો દુર કરવાની ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં શહેરના ઘ-0થી રિલાયન્સ ચોકડી સુધીના રોડ પરના લારી-ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય વિસ્તારોમાં લારી-ગલ્લા હટાવવાની કોઈ કાર્યવાહી ન કરાતા મ્યુનિની વહાલાં-દવલાંની નીતિને કારણે વિરોધ ઊભો થયો છે. ગાંધીનગરમાં ઘ-0 થી રિલાયન્સ સર્કલ તરફનાં રોડ પર […]

ગાંધીનગરમાં સરકારી જમીનો પર પશુપાલકોએ બનાવેલા ઢોરવાડાના દબાણો દુર કરાયાં

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી જમીનો પર પશુપાલકોએ ઢોરવાડા બનાવી દીધા છે. જાહેર રસ્તાઓ પર પણ દાબાણો કરીને ઠેર ઠેર ઢોરવાડા બનાવી ગાયો ભેંસોનાં તબેલા ઉભા કરી દેવામાં આવ્યા હતા. જેનાં પગલે મ્યુનિ કોર્પોરેશન (જીએમસી)ની ટીમે શહેરના કુડાસણ, સેક્ટર – 13, સેકટર – 29 વિસ્તારના 5 ઢોરવાડા દૂર કરીને 1 હજાર વાર સરકારી જમીનને દબાણ મુકત […]

ભાવનગરમાં દબાણ હટાવ ઝૂંબેશ, મોમીનવાડમાં ગેરકાયદે દબાણો દુર કરાયા

ભાવનગરઃ શહેરમાં વર્ષોથી થયેલા ગેરકાયદે દબાણો હટાવવાના મુદ્દે મ્યુનિ. કોર્પોરેશનને રજુઆતો છતા કોઈ કાર્યવાહી કરાતી નહોતી, પણ આખરે મ્યુનિ.ના સત્તાધિશોએ દબાણ હટાવવાની ઝૂંબેશ ઉપાડી છે. જેમાં શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલી મેઘદૂત સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તથા મોમીનવાડ વિસ્તારમાં દુકાન, ઓટલાઓ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. મ્યુનિ.કોર્પોરેશનની ઝૂંબેશથી દબાણકારોમાં ફફડાટ […]

સુરેન્દ્રનગર નગરપાલિકાએ ટીબી હોસ્પિટલ રોડ પરના કાચા-પાકા 25થી વધુ દબાણો દુર કર્યા

સુરેન્દ્રનગરઃ શહેરના કેટલાક વિસ્તારોમાં તો વર્ષોથી દબાણો કરાયેલા છે. નગરપાલિકાના સત્તાધિસોએ દબાણો હટાવવા માટે કોઈ ધ્યાન આપ્યું નથી. હવે શહેરના ટીબી હોસ્પિટલ રોડ પર નગરપાલિકા દ્વારા દબાણ હટાવની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 25થી વધુ કાચા અને પાકા દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. નગરપાલિકા દ્વારા સતત એક સપ્તાહ […]

રાજકોટમાં દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફિક સમસ્યા સામે પોલીસની ડ્રાઈવ, દબાણો હટાવાયા

રાજકોટઃ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વિકટ બની રહી છે.  ટ્રાફિક સમસ્યા નિવારવામાં પોલીસ અને મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર જેટલું નિષ્ફળ નિવડ્યું છે એટલા જ શહેરીજનો પણ જવાબદાર છે. કારણ કે ઘણાબધા શહેરીજનો જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. બે દિવસ પૂર્વે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રાફિક ડીસીપી યાદવની હાજરીમાં યોજાયેલા ઓપન હાઉસમાં ટ્રાફિકને લગતા 100 જેટલા પ્રશ્નો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code