1. Home
  2. Tag "Primary Schools"

સુરત જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 243 શિક્ષકોની ઘટ, ભાષા અને સા. વિજ્ઞાનના 96 શિક્ષકો ઓછા

સુરતઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા સરકારે જાહેરાત કરી છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટને લીધે બાળકોના સિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. સુરત શહેરની પ્રાથમિક શાળાઓમાં 72 શિક્ષકોની ઘટ છે. જ્યારે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 243 શિક્ષકોની ઘટ છે. જેમાં  સૌથી વધુ ભાષાના 26 શિક્ષકો સામાજિક વિજ્ઞાનના […]

પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને તિથિ ભોજન આપવા તંત્રએ કર્યો આદેશ

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી તા.26મીથી ત્રિદિવસીય પ્રવેશોત્સવ યોજાશે. પ્રવેશોત્સવ દરમિયાન શાળાના બાળકોને લોક ભાગીદારીથી તિથિ ભોજન મળી રહે તે માટે આયોજન કરવા પી એમ પોષણ યોજનાના કમિશનરે આદેશ કર્યો છે. જુદા જુદા તહેવારો, જન્મ દિવસ તથા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ગામના શ્રેષ્ઠીઓ અને દાતાઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને તિથી ભોજન આપવામાં આવે છે. તેજ રીતે […]

પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ છતાંયે હાજરી પત્રક સહિત સ્ટેશનરી સ્કુલોને મળી નથી

ગાંધીનગરઃ પ્રાથમિક શાળાઓમાં 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. પણ તંત્ર દ્વારા હજુ સુધી શાળાઓને સ્ટેશનરી આપવામાં આવી નથી. જેને પરિણામે વિદ્યાર્થીઓ, શિક્ષકોનું હાજરીપત્રક તૈયાર કરવામાં આવ્યું નથી. ઉપરાંત દૈનિક નોંધ પણ નહી આપવાથી તેની કામગીરી કરવામાં આવતી નથી. જ્યારે બાલવાટીકાના ફોર્મ પણ નહી અપાતા બાલવાટીકાના પ્રવેશની કામગીરી અટકી પડી છે. ત્યારે શાળાઓને […]

પ્રાથમિક શાળાઓમાં 4થી એપ્રિલથી પરીક્ષાનો પ્રારંભ, 7 એપ્રિલે સ્કોલરશીપ માટે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં માર્ચ-એપ્રિલ એ પરીક્ષાની મોસમ ગણાય છે. માર્ચમાં ધોરણ 10 અને 12ની તેમજ ગુકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ એપ્રિલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં  પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો કાર્યક્રમ જાહેર કરાયો છે અને તા. 4 એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષા 23 એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં  સમાન […]

ગુજરાતઃ પ્રાથમિક શાળાઓને સ્વચ્છ બનાવવા સરકાર દ્વારા રૂ. 57.07 કરોડની ફાળવણી

અમદાવાદઃ મહાત્મા ગાંધીના મંત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાકાર કરવા રાજ્યની પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ- સુખડ બનાવવાના ઉમદા હેતુથી માસિક ધોરણે સ્વચ્છતા ગ્રાન્ટ આપવામાં આવે છે. આ અંતર્ગત તા. 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ યોજના હેઠળ રાજ્યની પ્રાથમિક શાળાઓને વર્ષ 2023-24માં રૂ. 57.07કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.  […]

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 423 શિક્ષકોની ઘટ, 40 સ્કુલોમાં માત્ર એક જ શિક્ષક

રાજકોટઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અપુરતા શિક્ષકો હોવાને લીધે શિક્ષણ કાર્ય પર તેની અસર પડી રહી છે. રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 423 શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં 40 શાળાઓ તો એવી છે. કે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. રાજકોટ નજીક હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. પણ હીરાસર ગામની પ્રાથમિક […]

સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓના 191 બાળકોને હ્રદયરોગ અને 143ને કેન્સરની બિમારી

સુરેન્દ્રનગરઃ  રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોમાં હાર્ટની બિમારીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં બાળકોથી લઈને યુવાનો પણ હાર્ટની બિમારીનો ભોગ બની રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવતી હોય છે. જેમાં શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન વર્ષ 2021માં 224, 2022માં 235 અને 2023માં સપ્ટે. અંત સુધીના 9 માસમાં 191 હ્રદયરોગના […]

પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાના ધોરણ 3થી 8ના પ્રશ્નપત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને મોકલાશે

અમદાવાદઃ  ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8માં આગામી તા. 26મી ઓક્ટોબરથી સત્રાંત પરીક્ષા લેવાશે. જે પરીક્ષા તા. 4થી નવેમ્બરના રોજ પૂર્ણ થશે, અને શૈક્ષણિક કલેન્ડર મુજબ 9મી નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. આ વખતે ધોરણ 3થી 8ના સત્રાંત પરીક્ષાના પ્રશ્ન પત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અને તાલુકાના શિક્ષણ અધિકારીઓને […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા નવરાત્રી બાદ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ માટે શૈક્ષમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું તે મુજબ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાઓ નવરાત્રી બાદ લેવાશે. અને આ પરીક્ષાના પરિણામો જાહેર કરાયા બાદ દિવાળી વેકેશન પડશે. ધોરણ 3થી 8ની પરીક્ષાનો જે સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 11થી 1 કલાકનો રહેશે. જ્યારે […]

પ્રાથમિક શાળાઓમાં બાળકોને લેખન પોથી અપાતી નથી, એકમ કસોટી લેવામાં પડતી મુશ્કેલી

ગાંધીનગરઃ  ગુજરાતમાં નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને બે મહિના જેટલો સમય વિતી ગયો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓને એકમ કસોટી ટાઈમ ટેબલ પણ આપી દીધું છે. અને ટાઈમ ટેબલ મુજબ સમયયાંતરે એકમ કસોટી યોજવામાં આવી રહી છે. પરંતુ  હજુ સુધી એકમ કસોટીના જવાબ લખવા માટેની નોટબુક યાને લેખન પોથી રાજ્યની મોટાભાગની પ્રાથમિક સ્કૂલોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code