1. Home
  2. Tag "protest"

બરોડા મ્યુઝિયમની ફી 10થી વધારીને રૂપિયા 100 કરાતાં લોકોનો ભારે વિરોધ

વડોદરાઃ શહેરમાં ગાયકવાડ સ્ટેટના સમયની અનેક દુર્લભ ચિજ-વસ્તુઓ નિહાળવા માટે લોકો બરોડા મ્યુઝિયમની મુલાકાતે આવતા હોય છે.  મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1932માં બનાવેલા બરોડા મ્યુઝિયમ કે જયાં મહારાજાના ઐતિહાસિક વારસાના દર્શન થાય છે, જેની પ્રવેશ ફી 10 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરી દેતા મોટા ભાગના પર્યટકો ફીમાં ઘટાડો કરવા માંગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

હૈદરાબાદઃ હોસ્પિટલના નબળા ઈન્ફ્રાસ્ટ્રકચર મામલે તબીબોએ નોંધાવ્યો અનોખી રીતે વિરોધ

દિલ્હીઃ દક્ષિણ ભારતના હૈદરાબાદમાં આવેલી જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં ત્વચારોગ વિભાગમાં કામ જુનિયર તબીબ ઉપર પંખો પડ્યો હતો. જેથી તબીબોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન જુનિયર તબીબોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને રેલી યોજી હતી. તબીબોએ હેલમેટ પહેરીને કામ કરતા જોવા મળ્યાં હતા. OGHની જૂની ઈમારત લગભગ 100 વર્ષ જૂની છે અને આ ઈમારતને તોડી પાડવા અંગે […]

ગુજરાત યુનિ. દ્વારા સેનેટ-વેલ્ફેર મેમ્બરોને પ્રવાસમાં લઈ જવા સામે ABVPનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેનેટ વેલ્ફેર મેમ્બરને પ્રવાસમાં લઈ જવાનું આયોજન કરાયું છે.તેની સામે  ABVPમાં ચૂંટાયેલા સેનેટ વેલ્ફેર મેમ્બરે પ્રવાસનો વિરોધ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, વર્ષ દરમિયાન કોઈ નિર્ણયમાં સાથે રાખવામાં આવ્યા નથી અને હવે ખુશ કરવા પ્રવાસના તાયફાં કરવાના આવી રહ્યા છે. આ સાથે પ્રવાસ રદ કરવા માંગણી કરી છે. સૂત્રોના જણાવ્યા […]

નેચરલ ગૅસમાં કરાયેલા ભાવ વધારાએ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાંખી

સુરેન્દ્રનગરઃ પટ્રોલ-ડિઝલ, રાધણગેસના ભાવમાં તોતિંગ વધારા બાદ હવે નેચરલ ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો કરતા થાન સહિતના સિરામિક ઉદ્યોગોની હાલત કફોડી બની છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂ.10નો વધારો કરી દેતા ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઇ છે. હાલ કોરોનાનો મૃત:પ્રાય કરી નાંખે તેવો માર સહન કરી માંડ બેઠા થતાં ઉદ્યોગને […]

પોરબંદર જિલ્લામાં સરકારી શાળાઓ મર્જ કરવા સામે વાલીઓ અને પ્રા. શૈક્ષણિક મહાસંઘનો વિરોધ

પોરબંદર:  રાજ્ય સરકાર દ્વારા જે સરકારી શાળાઓમાં પુરતા વિદ્યાર્થીઓ ન હોય તેવી શાળાઓને બાજુની સરકારી શાળાઓમાં મર્જ કરવાની છેલ્લા કેટલાક વખતથી કવાયત ચાલે છે. જેમાં પોરબંદર શહેર અને જિલ્લાની પ્રાથમિક શાળાઓને અને કન્યા પ્રાથમિક શાળાઓને મર્જ કરવા કવાયત હાથ ધરાઈ છે. લાંબા સમયથી આ અંગે ગતિવિધિઓ ચાલતી હતી. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓની યાદી સાથે ટીપીઓને […]

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની શપથવિધિ આજે નહીં પણ કાલે થશે, સિનિયરોને પડતા મુકવાના મુદ્દે વિરોધ

ગાંધીનગરઃ રાજ્યમાં નવા મુખ્યમંત્રી તરીકેના ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ તેમના મંત્રી મંડળના શપથવિધીની આજે વહેલી સવારથી અનેક અટકળો ચાલી રહી હતી. આમ તો પહેલા ગુરૂવારે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ બુધવારે સાંજે જ શપથવિધિની જાહેરાત કરવામાં આવી હતી. અમે બીજીબાજુ પડતા મુકવામાં આવી રહેલા સિનિયર મંત્રીઓના મનામણા કરવામાં આવી રહ્યા હતા. […]

ગીર સોમનાથ જિલ્લામાં રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે ખેડુતોનો વિરોધ

વેરાવળઃ  ગીર સોમનાથ જિલ્લામાં ઘણાબધા ઉદ્યોગો સ્થાપિત થયા છે. જેમાં ચાર મોટા ઉદ્યોગો પણ ધમધમી રહ્યા છે. ઉદ્યોગોના વિકાસ માટે રેલ પરિવહન જરૂરી છે. ત્યારે મોટા ઉદ્યોગો માટે રેલવે લાઈન પ્રોજેક્ટ સાકાર કરવા માટે કાચો ટ્રાફ્ટ તૈયાર કરાયો હતો જેમાં 2500 ખેડુતોની 1200 વિધા જમીન સંપાદન કરવી પડશે. જોકે ખેડુતો પોતાની ફળદ્રુપ જમીનો આપવા માગતા […]

રાજુલાના કોવાયા વિસ્તારમાંથી પાંચ સિંહને રેસ્ક્યુ કરીને લઈ જવાતા વન વિભાગ સામે વિરોધ

અમરેલીઃ જિલ્લાના  રાજુલા પાસેના કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી 5 સિંહોને વનવિભાગે ખસેડી લેતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક સિંહ પ્રેમીઓએ પ્રાંત અધિકારી અને રેન્જ ફોરેસ્ટરને આવેદનપત્ર આપીને વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુના બહાને 5 સિંહોને જસાધાર લઈ જવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા ક્યા કારણોસર સિંહોનું સ્થળાંતર કરવામાં આવ્યું એ બાબતે […]

રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓને ગ્રાન્ટેડ કોલેજો સોંપી દેવાના મુદ્દે અધ્યાપકોનો વિરોધ

અમદાવાદ: રાજ્ય સરકારે ખાનગી યુનિવર્સિટી એકટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ગ્રાન્ટેડ કોલેજમાં સરકારી ફીના ધોરણે અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ અધ્યાપક મંડળમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજ્યની દરેક યુનિવર્સિટીમાં અધ્યાપકો કુલપતિને આવેદનપત્ર આપી સુચિત એક્ટ સામે રોષ વ્યકત કરી રહ્યા છે. […]

ચોમાસું સત્રના અંત સુધી ખેડૂતો સંસદ ભવન સામે કરશે વિરોધ પ્રદર્શન

સંયુક્ત કિસાન મોરચાએ કર્યું એલાન ચોમાસું સત્રના અંત સુધી ખેડૂતો સંસદ ભવન સામે કરશે વિરોધ પ્રદર્શન આગામી દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂત આગેવાનો સરકારના નવા ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતના આગેવાનો વચ્ચે અનેકવાર મંત્રણા છતાં પણ આ અંગે કોઇ સમાધાન મળ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code