1. Home
  2. Tag "punjab"

પંજાબના પૂર્વ IG અમરસિંહ ચહલનો આત્મહત્યાનો પ્રયાસ: સ્યુસાઈડ નોટ મળી

પટિયાલા: પંજાબ પોલીસના પૂર્વ આઈજી (IG) અમરસિંહ ચહલે પટિયાલા સ્થિત પોતાના નિવાસસ્થાને સુરક્ષાકર્મીની રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પૂર્વ પોલીસ અધિકારી કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા હતા, જેના કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હતા. ઘટનાસ્થળેથી […]

પંજાબની જેલમાં બંધ કેદીઓને સ્કીલ ટ્રેનીંગ અપાશે, જેલોમાં 11 નવી ITI ખોલાશે

નવી દિલ્હીઃ પંજાબની જેલોમાં બંધ કેદીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એમ્પાવરિંગ લાઈવ્સ બિહાઈન્ડ બાર્સ પહેલ હેઠળ પંજાબ સરકાર અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટ દ્વારા 11 જેટલી નવી આઈટીઆઈ જેલોમાં ખોલવામાં આવશે. જેના મારફતે 24 જેલમાં બંધ 2400 કેદીઓ એનસીવીટી અને એનએસક્યુએફ સર્ટીફાઈડ સ્કિલ ટ્રેનિંગ મેળવી શકશે. આ પ્રોગ્રામની શરૂઆત સુપ્રીમ કોર્ટના ચીફજસ્ટીસ સૂર્યાકાંતની ઉપસ્થિતિમાં પટિયાલા […]

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ […]

પંજાબમાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, 10 ISI એજન્ટોની ધરપકડ

લુધિયાણા: પંજાબ પોલીસે લુધિયાણામાં ISI સંચાલિત મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. DGPએ જણાવ્યું કે લુધિયાણા કમિશનરેટ પોલીસે ISI-પાકિસ્તાન સમર્થિત ગ્રેનેડ હુમલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ સંદર્ભમાં, પોલીસે વિદેશી ઓપરેટરોના 10 મુખ્ય સાથીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ હેન્ડ ગ્રેનેડ ઉપાડવા અને પહોંચાડવા માટે મલેશિયા સ્થિત ત્રણ ઓપરેટિવ્સ દ્વારા પાકિસ્તાન સ્થિત […]

પંજાબમાં રુ. 1194 કરોડના ખર્ચે 3100 સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભટિંડાથી 1194 કરોડ રૂપિયાના ખર્ચે 3100 સ્પોર્ટ્સ સ્ટેડિયમનો શિલાન્યાસ કરીને પંજાબમાં એક નવો ઇતિહાસ રચ્યો. પંજાબની ધરતી પર આજનો દિવસ ફક્ત પંજાબ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક બની ગયો. આઝાદી પછીના 75 વર્ષોમાં, કોઈ પણ સરકારે ગામડાઓ પર આટલું ધ્યાન […]

પંજાબમાં 4,150 કરોડના ખર્ચે 19,491 કિમી લાંબા લિંક રોડનું બાંધકામ શરૂ થયું

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ તહેવારોની મોસમ દરમિયાન રાજ્યના લોકોને મોટી ભેટ આપતાં, રાજ્યમાં 19491.56 કિમી ગ્રામીણ લિંક રોડના સમારકામ અને અપગ્રેડેશન માટે 4150.42 કરોડ રૂપિયાના ખર્ચે એક વિશાળ પ્રોજેક્ટ શરૂ કર્યો. મુખ્યમંત્રીએ પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજી, નવમા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુરજી અને બાબા બુદ્ધજીના ચરણોથી આશીર્વાદ પામેલી તરનતારનની પવિત્ર ભૂમિને નમન કર્યું. […]

પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પડાશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નવી દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા અને તેમને રાજ્યમાં પૂરથી થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી. તેમણે આપત્તિ રાહત અને પુનર્વસન માટે વધારાના ભંડોળની પણ વિનંતી કરી હતી. બેઠક દરમિયાન, મુખ્યમંત્રીને […]

પંજાબમાં પૂરથી મૃત્યુઆંક વધીને 57 થયો, પાકને પણ અસર

પંજાબમાં પૂરનો કહેર હજુ પણ ચાલુ છે. તાજેતરના અહેવાલો અનુસાર, બર્નાલા જિલ્લામાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે, જેનાથી રાજ્યભરમાં કુલ મૃત્યુઆંક 57 પર પહોંચી ગયો છે. પંજાબના મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયને આ માહિતી આપી. મંત્રી મુંડિયનએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં રાહત શિબિરોની સંખ્યા 41 થી ઘટીને 38 થઈ ગઈ છે. આ […]

પંજાબના ફાઝિલ્કામાં 27 પિસ્તોલ અને 470 જીવતા કારતુસનો જથ્થો ઝડપાયોવ

નવી દિલ્હીઃ પંજાબના ફાઝિલ્કામાં પંજાબ પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 27 પિસ્તોલ અને 470 જીવંત કારતૂસનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 2 સરહદ પારના હથિયારોના દાણચોરોને પકડી પાડવામાં આવ્યા છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો પાકિસ્તાનથી એક વિદેશી સંસ્થા દ્વારા લાવવામાં આવ્યા હતા અને પંજાબમાં ગુનાહિત ગેંગ દ્વારા […]

પંજાબમાં પૂરથી મૃત્યુઆંક વધીને 52 થયો, 1.91 લાખ હેક્ટરમાં ફેલાયેલો પાક ધોવાયો

પંજાબમાં છેલ્લા 24 કલાકમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં વિનાશક પૂરને કારણે મૃત્યુઆંક 52 પર પહોંચી ગયો છે. પંજાબના મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે હાલમાં 22 જિલ્લાઓના 2,097 ગામો પૂરથી પ્રભાવિત છે અને 1.91 લાખ હેક્ટર જમીનમાં ફેલાયેલા પાકને નુકસાન થયું છે. લુધિયાણામાં પૂરને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું, જેના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code