1. Home
  2. Tag "punjab"

કેપ્ટન અમરિન્દરસિંહના પત્ની ભાજપમાં થશે સામેલ, પટિયાલાથી લડશે ચૂંટણી

ચંદીગઢ: ભાજપના નેતા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના પત્ની પરનીત કૌર ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. તેમના પુત્રી જય ઈંદર કૌરે મંગળવારે આ વાતના સંકેત આપ્યા હતા. તેમને જ્યારે લોકસભા ચૂંટણી લડવાને લઈને સવાલ પુછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યુ કે હું નહીં, મારા માતા પરનીત કૌર પટિયાલા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. તેઓ […]

પંજાબઃ ટાર્ગેટ કિલીંગ માટે આવેલા બબ્બર ખાલસા જૂથના બે આતંકી ઝબ્બે

નવી દિલ્હીઃ દેશ વિરોધી પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન પંજાબના જલંધરમાં ટાર્ગેટ કિલીંગ કરવા માટે આવેલા બબ્બર ખાલસા જૂથના બે આતંકવાદીઓને કાઉન્ટર ઈન્ટેલિજેન્સએ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે બે પિસ્તલ, ચાર મેગેજીન અને કારતુસ જપ્ત કર્યાં હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કાઉન્ટર ઈન્ટેલિજેન્સએ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન હાથ ધરીને […]

વિપક્ષી ગઠબંધનમાં નવા સમીકરણો: કૉંગ્રેસથી દૂર અને AAPની નજીક જઈ રહ્યા છે મમતા બેનર્જી?

નવી દિલ્હી: પંજાબમાં કિસાન આંદોલન વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. આને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. જણાવવામાં આવે છે કે ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 21 ફેબ્રુઆરીએ પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને […]

ભગવંત માન સરકાર સામે તણાવ વચ્ચે પંજાબના ગવર્નરે આપ્યું રાજીનામું

ચંદીગઢ: પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે રાજીનામું આપ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામામાં તેમણે કહ્યુ છે કે કેટલાક અંગત કારણો અને પ્રતિબદ્ધતાઓને કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે. રાજ્યપાલે કહ્યુ છે કે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક પદેથી […]

ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયેલું ઉત્તર ભારત, સેટેલાઈટ ઈમેજમાં નિહાળો અદભૂત નજારો

દિલ્હીઃ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઈ છે. એની સાથે જ ઘાઢ ધુમ્મસ છવાવા લાગી છે. મંગળવારએ દિલ્લી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સાથે દેશના ઘણા રાજ્યોં ધાઢ ધુમ્મસ જોવા મળી હતી. દરમિયાન હવામાન વિભાગ(IMD)એ, આ રાજ્યોની ધાઢ ધુમ્મસવાળી સેટેલાઈટ ઈમેજ પણ મોકલી છે. હવામાન વિભાગ તરફથી આ વિષય પર મોકલાવેલ તસવીરોમાં […]

પંજાબઃ હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 10ની ધરપકડ

હરિયાણાઃ પંજાબ પોલીસે હથિયારોની દાણચોરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. તેમજ મધ્યપ્રદેશના એક હથિયાર ઉત્પાદક સહિત દસ લોકોની ધરપકડ કરીને આંતરરાજ્ય ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવે કહ્યું કે આરોપીઓ પાસેથી કુલ 22 હથિયારો મળી આવ્યા છે. ડીજીપી ગૌરવ યાદવે ટ્વિટર પર લખ્યું, “પોલીસે મધ્યપ્રદેશથી સંચાલિત […]

પંજાબમાં પણ શરૂ થશે મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના,CM માન અને કેજરીવાલ બતાવશે લીલી ઝંડી

દિલ્હી: રાજધાની દિલ્હીની તર્જ પર હવે પંજાબમાં પણ મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ કરવામાં આવશે. પંજાબના સીએમ ભગવંત માન અને દિલ્હીના સીએમ કેજરીવાલ આજે આ યાત્રા ટ્રેનને લીલી ઝંડી આપશે. આ યોજના હેઠળ 50,000 થી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા કરશે. 6 નવેમ્બરે પંજાબ કેબિનેટ દ્વારા મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ […]

પંજાબમાં ISI મોડ્યુલનો પર્દાફાશ, હથિયારોના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયાં

લુધિયાણાઃ પંજાબ પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજન્સ ભટિંડા યુનિટે ISI મોડ્યુલ સાથે જોડાયેલા 3 લોકોની ધરપકડ કરી છે. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે સોશિયલ મીડિયામાં આ જાણકારી આપી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ધરપકડ કરાયેલા લોકો હાલમાં UAPA કેસ હેઠળ સંગરુર જેલમાં બંધ વ્યક્તિઓના સંપર્કમાં હતા. પકડાયેલા ગુનેગારો પાસેથી 8 પિસ્તોલ, 9 મેગેઝીન અને 30 […]

હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હીઃ ડાંગરની લણણીની વર્તમાન સિઝનમાં એટલે કે 15 સપ્ટેમ્બર, 2023થી 29 ઓક્ટોબર, 2023ના 45 દિવસના સમયગાળા દરમિયાન, હરિયાણા, પંજાબ, એનસીઆર – યુપી, એનસીઆર- રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની કુલ ઘટનાઓ 2022ના સમાન ગાળામાં 13,964થી ઘટીને 2023 માં 6,391 અને 2021માં સમાન સમયગાળામાં 11,461થી ઘટીને 2023માં 6,391 થઈ ગઈ છે.  જેમાં અનુક્રમે 54.2 ટકા અને 44.3 […]

કાશ્મીર ઉપરાંત પંજાબમાં અરાજકતા ફેલાવવાના કાવતરાનો પર્દાફાશ

નવી દિલ્હીઃ પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલે આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પ્રાથમિક તપાસમાં આતંકવાદીઓએ કબુલાત કરી હતી કે, તેઓ રાજ્યમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી આવ્યાં હતા. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ સાથે ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code