1. Home
  2. Tag "qatar"

હમાસના લીડરોમાં ઈઝરાયલનો ખોફ, મીટીંગ સ્થળે ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર મુક્યો પ્રતિબંધ

ઇઝરાયેલ દ્વારા હમાસના ટોચના કમાન્ડરો પર સતત હુમલાઓ અને વિદેશી ધરતી પર પણ હત્યાના પ્રયાસોના કારણે હવે સંગઠને અત્યાર સુધીના સૌથી કડક સુરક્ષા નિયમો લાગુ કરી દીધા છે. લંડન સ્થિત અખબાર ‘અશરક અલ-અવસત’ના અહેવાલ મુજબ, કતારના દોહામાં તાજેતરમાં નિષ્ફળ ગયેલા હત્યાના પ્રયાસ બાદ હમાસના વરિષ્ઠ નેતાઓએ પોતાની સુરક્ષા અનેક ગણી વધારી દીધી છે. રિપોર્ટમાં જણાવાયું […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ફરી તણાવ: સામ-સામે અંધાધૂંધ ફાયરિંગ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર એકવાર ફરી તણાવ વધ્યો છે. શુક્રવારની મોડી રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ગોળીબાર થયો હતો. જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા નાજુક યુદ્ધવિરામ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બંને પક્ષો એકબીજા પર સંઘર્ષવિરામ તોડવાનો આરોપ લગાવી […]

ભારતમાં કતારે મજબુત રોકાણ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે, નવી દિલ્હીમાં કતારના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડૉ. અહેમદ બિન મોહમ્મદ અલ-સૈયદ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને મંત્રીઓએ ભારત અને કતાર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ચર્ચા દરમિયાન, નાણાંમંત્રીએ […]

ઈરાને ઈરાક અને કતારમાં આવેલા અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર મિસાઈલોથી હુમલો કર્યો

ઈરાને ઈરાક અને કતારમાં આવેલા અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર છ મિસાઈલો છોડી, જેનાથી ઈઝરાયલ સાથેનો તેમનો સંઘર્ષ વધુ વધ્યો છે. આ હુમલાઓ રવિવારે વહેલી સવારે તેહરાન પર અમેરિકાના હુમલાના બદલામાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, કતારે જાહેરાત કરી કે તે ઈરાની હુમલાનો સીધો જવાબ આપવાનો અધિકાર પણ અનામત રાખે છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ […]

ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI હવે કતારમાં પણ લાગુ કરવામાં આવશે

નવી દિલ્હીઃ ભારત અને કતાર વચ્ચેના સંબંધોને નવી મજબૂતી મળી છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની ભારત મુલાકાત દરમિયાન, બંનેદેશોએ વેપાર, રોકાણ, ઉર્જા અને સાંસ્કૃતિક સહયોગ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા. કતારે ભારતમાં ૧૦ બિલિયન યુએસ ડોલર (લગભગ 83,000 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને […]

ભારત કતારની ભાવિ ભાગીદારી સ્થરિતા, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જાના સ્તંભો પર આધારિત રહેશે: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ભારત-કતાર ભાવિ ભાગીદારી સ્થિરતા, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા તથા ઊર્જાના સ્તંભો પર આધારિત હશે. મંત્રીએ આજે ​​નવી દિલ્હીમાં ભારત-કતાર બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં આ વાત કરી હતી. કતાર રાજ્યના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની આ સત્રમાં અતિથિ […]

ઈઝરાયેલ-હમાસની ટીમો વચ્ચે બંધકોને મુક્ત કરવા અને યુદ્ધવિરામના અમલીકરણ માટે સમજૂતી થઈ

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના હુમલામાં 46,000થી વધુ પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા હતા. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે પુષ્ટિ કરી કે કતારમાં ઈઝરાયેલ અને હમાસની ટીમો વચ્ચે બંધકોને મુક્ત કરવા અને ગાઝામાં યુદ્ધવિરામના અમલીકરણ માટે સમજૂતી થઈ છે. ઈઝરાયેલના મીડિયાએ આ જાણકારી આપી છે. બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયના એક નિવેદનને ટાંકીને ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે […]

કતારે ગાઝા યુદ્ધવિરામ અને બંધકોના વિનિમય માટે મુસદ્દા પ્રસ્તાવ રજૂ કર્યો

કતારના મધ્યસ્થીઓએ 15 મહિના જૂના યુદ્ધના અંત તરફના પ્રથમ પગલા તરીકે ગાઝા પટ્ટીમાં લડાઈ બંધ કરવા અને પેલેસ્ટિનિયન કેદીઓ માટે બંધકોના વિનિમય માટે કરાર માટે ઇઝરાયલ અને હમાસને મુસદ્દા પ્રસ્તાવ મોકલ્યા છે. યુએસના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ જો બિડેન પાસેથી પદભાર સંભાળે તેના એક અઠવાડિયા પહેલા, અધિકારીઓએ જણાવ્યું હતું કે દોહામાં વાટાઘાટોમાં એક સફળતા […]

પર્યાવરણને થતા નુકસાન માટે ગ્લોબલ સાઉથ જવાબદાર નથી: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ ગ્લોબલ સાઉથ વૈશ્વિક પર્યાવરણીય નુકસાન માટે જવાબદાર નથી, પરંતુ તે વિકસિત દેશો દ્વારા થયું છે જેમણે ઓછા ખર્ચે ઉર્જાનો લાભ માણ્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) પાર્ટનરશિપ સમિટ 2024ના ઉદ્ઘાટન સત્રને સંબોધન દરમિયાન આ વાત કહી હતી. આ સમિટમાં ઇટાલિયન રિપબ્લિક, ઇઝરાયલ, ભૂતાન, […]

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ન્યૂઝ ચેનલ અલ ઝઝીરાને ગણાવી આતંકી, દેશમાં લગાવ્યો પ્રતિબંધ

તેલ અવીવ: ઈઝારયાલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અલઝઝીરાના પ્રસારણ પર ઈઝરાયલમાં રોક લગાવી દીધી છે. નેતન્યાહૂએ અલ ઝઝીરાને આતંકી ચેનલ ગણાવી છે. સોમવારે ઈઝરાયલની સંસદમાં એક કાયદો પારીત કરીને અલ ઝઝીરાને પ્રતિબંધિત કરવામાં આવી. અલ ઝઝીરા પર ઈઝરાયલની સંસદમાં ગંભીર આરોપો લાગ્યા છે. ઈઝરાયલના પીએમએ કહ્યુ છે કે અલ ઝઝીરાથી દેશની સુરક્ષાને ખતરો છે. 7 ઓક્ટોબરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code