1. Home
  2. Tag "RAJNATH SINGH"

રાજનાથ સિંહના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુખ્ય સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના સત્તાવાર પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવતા મુખ્ય સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે કેનબરામાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ રિચાર્ડ માર્લ્સ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરી હતી. બંને નેતાઓની હાજરીમાં કરારો પર હસ્તાક્ષર […]

આતંકવાદ, સાયબર હુમલા, ડ્રોન યુદ્ધ અને ઈન્ફોર્મેશન વોર જેવા નવા પડકારોએ બહુપરીમાણીય જોખમોમાં વધારો કર્યોઃ રાજનાથ સિંહ

ભૂજઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિજયાદશમીની પૂર્વસંધ્યાએ ગુજરાતના ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે પરંપરાગત બડાખાનામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે વિશ્વના ઝડપથી બદલાતા સ્વરૂપ અને દિવસેને દિવસે ઉભરી રહેલા જટિલ પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, “આ ઝડપથી બદલાતા યુગમાં, ટેકનોલોજીનું સ્વરૂપ સતત વિકસિત થઈ રહ્યું છે. થોડા સમય પહેલા […]

રાજનાથસિંહ બે દિવસ ગુજરાતનાં કચ્છની મુલાકાતે આવશે

અમદાવાદઃ દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શત્રપૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ આજે સાંજે 7.30 કલાકે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમમાં હાજરી આપવા સાથે […]

ઓપરેશન સિંદૂરમાં સરહદી વિસ્તારોના લોકોએ સંપૂર્ણ ટેકો આપ્યો: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજસ્થાનના જોધપુરમાં સંરક્ષણ અને રમતગમત એકેડેમીનાઉદ્ઘાટન સમયે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, સરહદી વિસ્તારોના લોકોએ સશસ્ત્ર દળોને સંપૂર્ણ ટેકો આપ્યો. રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો નાગરિકો, ખાસ કરીને યુવાનો, જાગૃત અને તેમના કર્તવ્યો પ્રત્યે સમર્પિત રહે, તો દેશ કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકે છે અને મજબૂત બની […]

મહિલા શાંતિ રક્ષકો પરિવર્તનની મશાલ : રાજનાથસિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 15 દેશોની મહિલા લશ્કરી અધિકારીઓ અને સંયુક્ત રાષ્ટ્ર મહિલા લશ્કરી અધિકારી અભ્યાસક્રમમાં ભાગ લેતી 12 ભારતીય મહિલા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, સંરક્ષણ પ્રધાને તેમને વૈશ્વિક શાંતિ પ્રયાસોમાં “પરિવર્તનની મશાલ” ગણાવી. આ અભ્યાસક્રમ 18થી 29 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે. તેનું આયોજન સેન્ટર […]

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું. વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી. શ્રી સિંઘે ગતિ-શક્તિ વિશ્વ-વિદ્યાલયની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું, જે ગતિથી યુવાનો દેશને શક્તિ આપી રહ્યા છે તે પ્રશંસનીય છે. તેમણે ડિજિટલકરણ, કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સક્ષમ સૈન્ય તંત્ર પૂર્વાનુમાન અને ટકાઉ […]

ભારત, બાકીના વિશ્વ સાથે, પુનઃશસ્ત્રીકરણના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (DAD) ના કંટ્રોલર્સ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું, ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ઓપરેશનમાં પ્રદર્શિત બહાદુરી અને સ્વદેશી સાધનોની ક્ષમતાના પ્રદર્શનથી સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માંગમાં વધુ વધારો થયો છે. તેમણે કહ્યું કે દુનિયા આપણા સંરક્ષણ ક્ષેત્રને નવા આદરથી જોઈ રહી છે. પોતાના સંબોધનમાં, રાજનાથ સિંહે સશસ્ત્ર […]

ચીનમાં રાજનાથ સિંહે રશિયા અને બેલારુસના સંરક્ષણ પ્રધાનો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ SCO સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપવા માટે ચીનના કિંગદાઓ શહેર પહોંચેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રશિયા અને બેલારુસના તેમના સમકક્ષો સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. આ દ્વિપક્ષીય બેઠકોમાં, ક્ષેત્રમાં પડકારો અને સુરક્ષા જોખમો તેમજ સંરક્ષણ સહયોગ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોવ સાથે મુલાકાત […]

આતંકવાદી કેન્દ્રો હવે સુરક્ષિત નથીઃ રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના કિંગદાઓ પહોંચ્યા છે. ગુરુવારે રાજનાથ સિંહે પહેલગામ હુમલા પછી શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો. પાકિસ્તાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કેટલાક દેશો સરહદ પાર આતંકવાદીઓને આશ્રય આપે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એસસીઓ સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં કહ્યું, […]

વર્ષ 2029 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંકઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સરકારે 2029 સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ’ વિષય પર એક કાર્યક્રમને સંબોધતા શ્રી રાજનાથ સિંહે ઉમેર્યું કે, આ સમયમર્યાદામાં સંરક્ષણ ક્ષેત્રમાં દેશની નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.સંરક્ષણ મંત્રીએ ભાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code