1. Home
  2. Tag "rajya sabha"

નવા સંસદભવનમાં પ્રવેશ પહેલા રાજ્યસભા અને લોકસભાના સભ્યોનો ગ્રુપ ફોટો લેવાયો

નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્રનો ગઈકાલથી પ્રારંભ થયો છે અને આજે ગણેશ ચતુર્થીના પાવનપર્વ ઉપર નવા સંસદભવનમાં સંસદના વિશેષ સત્રની કાર્યવાહી ચાલશે. જો કે, તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદોએ જુની ઈમારતમાં ગ્રુપ ફોટો ખેંચાવ્યો હતો. પહેલા રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ ફોટો ખેંચાવ્યો હતો. નવા સંસદભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રગાન […]

તંદુરસ્ત ચર્ચા એ ખીલતી લોકશાહીની વિશેષતા : ઉપરાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આજે 75 વર્ષની સંસદીય યાત્રાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ભારતીય લોકશાહીને આકાર આપનારી સિદ્ધિઓ, અનુભવો, યાદો અને જ્ઞાન પર પ્રકાશ પાડ્યો હતો. સંસદીય લોકશાહીમાં “જનતાની અતૂટ શ્રદ્ધા અને અડગ વિશ્વાસ” પર ભાર મૂકીને ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણી લોકશાહીની સફળતા એ “અમે ભારતના લોકો”નો સામૂહિક, […]

દિલ્હી સેવા બિલ આજે રાજ્યસભામાં રજૂ થશે,AAP-કોંગ્રેસે જારી કર્યો વ્હીપ

દિલ્હી: રાજ્યસભામાં આજે દિલ્હી સેવા બિલ રજૂ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ આજે બિલ રજૂ કરશે. આ બિલ લોકસભામાં પહેલા જ પસાર થઈ ચૂક્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ અંગે વ્હીપ જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી સેવા બિલને લઈને વિરોધ પક્ષો પાસેથી સમર્થન માંગ્યું છે. આ બિલ લોકસભામાં સરળતાથી પાસ થઈ […]

લોકસભા-રાજ્યસભામાં સતત પાંચમા દિવસે મણિપુર મામલે વિપક્ષનો હંગામો, રાજ્યસભામાં શોર્ટ ડ્યુરેશન ચર્ચાનો પ્રસ્તાવ મંજુર

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્રના પાંચમા દિવસે પણ મણિપુર હિંસા મામલે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. મણિપુર મામલે કોંગ્રેસ અને બીઆરએસએ અલગ-અલગ રીતે સરકારની સામે અશ્વાસના પ્રસ્તાવ લોકસભાના સ્પીકર ઓમ બિરવલાએ સ્વીકારી લોધી છે. આ અંગે વિગતવાર ચર્ચા કરવા માટે તારીખ જાહેર કરવામાં આવશે. બીજી તરફ લોકસભામાં વિપક્ષે મણિપુર ચર્ચા મામલે સદનમાં પીએમ મોદીની ઉપસ્થિતિની માંગણી […]

સિગ્નલિંગ સર્કિટમાં ખામીના કારણે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દૂર્ઘટના સર્જાઈ હતી

નવી દિલ્હીઃ રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘સિગ્નલિંગ-સર્કિટ-ચેન્જ‘માં ખામીને કારણે 2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ખોટા સિગ્નલને કારણે ટ્રિપલ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 295 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રેલવેમાં સિગ્નલ નિષ્ફળતાના 13 કેસ નોંધાયા છે, પરંતુ એક પણ ઈન્ટરલોકિંગ સિગ્નલ સિસ્ટમમાં […]

ચોમાસુ સત્રઃ લોકસભા અને રાજ્યસભામાં મણિપુરની હિંસાના મામલે વિપક્ષે હંગામો મચાવ્યો

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે મણિપુરની ઘટનાના પડઘા પડ્યાં હતા. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની પરિસ્થિતિ પર ચર્ચાની માંગણી સાથે હંગામો કર્યો હતો. જેથી બંને ગૃહો શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા. આજે સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સાંસદોએ શપથ લીધા હતા. […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા ત્રણ સાંસદોને BJP ચૂંટણી મેદાનમાં ઉતારાશે

અમદાવાદઃ આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપાએ રણનીતિ તૈયાર કરી છે, ભાજપા લોકસભાની ચૂંટણીમાં નવા-નવા ચહેરાઓને ચાન્સ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે, એટલું જ નહીં બે ટર્મથી રાજ્યસભાના સભ્ય રહેલા નેતાઓ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે. એટલું જ નહીં પ્રજામાં લોકપ્રિયતા ધરાવતા કેબિનેટ મંત્રી કે જેઓ રાજ્યસભાના સભ્ય છે તેઓ પણ લોકસભાની ચૂંટણીમાં […]

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના 3 સભ્યોની મુદત આગામી ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થશે, જેથી ઓગસ્ટ મહિનામાં આ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય મતદાન કરશે. રાજ્યસભાની 18 ઓગસ્ટે આ બેઠકોની 6 વર્ષની ટર્મ પુરી થઇ રહી છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના રાજ્યસભાની ચૂંટણીને લઇને જે નોડેલ ઓફિસર, ચૂંટણી અધિકારીની નિમણૂક કરવા […]

‘સરકારને પ્રસ્તાવ આપવા દો, વિપક્ષને વિરોધ કરવા દો અને ગૃહને નિકાલ કરવા દો’: નાયડુના દૃષ્ટિકોણની PM મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુની વિદાય સમારોહમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને ઉપરાષ્ટ્રપતિની પ્રસંશા કરી હતી. પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ દ્વારા ગૃહના કુનેહપૂર્ણ, સમજદાર અને મક્કમ વર્તનની પ્રશંસા કરી હતી અને દ્રઢ વિશ્વાસ રાખવા બદલ તેમની પ્રશંસા કરી હતી કે એક બિંદુથી આગળ, ગૃહમાં વિક્ષેપ એ ગૃહની તિરસ્કાર બની જાય છે. “હું […]

રાજ્યસભામાં વધુ 3 સાંસદોને સસ્પેન્ડ કરાયાં, વિપક્ષના અન્ય સસ્પેન્ડેડ સાંસદોના ધરણાં

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન સાંસદોના હંગામાને પગલે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. દરમિયાન રાજ્યસભામાં વધુ 3 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ સુશીલ ગુપ્તા અને સંદીપ પાઠકને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં અપક્ષ સાંસદ અજીત કુમાર ભુયાનનો પણ સમાવેશ થાય છે. અગાઉ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code