1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યસભામાં મહિલા અનામત બિલને સર્વાનુમતે મંજુરી, હવે રાષ્ટ્રપતિની અનુમતી બાદ કાયદો બનશે
રાજ્યસભામાં મહિલા અનામત બિલને સર્વાનુમતે મંજુરી, હવે રાષ્ટ્રપતિની અનુમતી બાદ કાયદો બનશે

રાજ્યસભામાં મહિલા અનામત બિલને સર્વાનુમતે મંજુરી, હવે રાષ્ટ્રપતિની અનુમતી બાદ કાયદો બનશે

0
Social Share

નવી દિલ્હીઃ  લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપતા બિલને લોકસભા બાદ ગુરૂવારે રાજ્યસભાએ પણ સર્વાનુમત્તે મંજુરી આપી દીધી છે. બન્ને ગૃહની મંજુરી મળતા હવે છેલ્લી અનુમતી માટે રાષ્ટ્રપતિને બિલ મોકલાશે. રાષ્ટ્રપતિ બીલ પર હસ્તાક્ષર કરે ત્યારબાદ કાયદો બનશે. લોકસભમાં બુધવારે લાંબી ચર્ચા બાદ મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ બિલ) ને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ ગુરૂવારે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં અનેક સાંસદોએ મહિલા અનામત બિલ પર પોતાના વિચારો રજૂ કર્યાં હતા. ચર્ચા સમાપ્ત થયા બાદ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું હતું અને બિલ સર્વાનુમતે પસાર થઈ હતું.

સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે રાજ્યસભામાં મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન બિલ) સર્વસંમતિથી પસાર થઈ ગયું છે. બિલની વિરુદ્ધમાં કોઈએ મતદાન કર્યું નથી. ગૃહમાં હાજર તમામ 215 સાંસદોએ બિલને સમર્થન આપ્યું હતું. હવે આ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. તેમની મંજૂરી મળતાં જ આ કાયદો બની જશે. આ બિલ બુધવારે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં 33% અનામત મળશે.

રાજ્યસભા કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે બિલ રજૂ કર્યાં હતા. ત્યારબાદ તેમાં વડાપ્રધાન મોદી, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તેમજ અનેક મહિલા સાંસદોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. આ બિલના પક્ષમાં 215 સાંસદોએ પોતાનું સમર્થન આપ્યું હતું. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બાદ પીએમ મોદી રાજ્યસભામાં બોલવા માટે ઉભા થયા હતા. પીએમએ કહ્યું કે માત્ર બિલ દ્વારા મહિલા શક્તિને વિશેષ સન્માન નથી મળી રહ્યું. આ બિલ પ્રત્યે તમામ રાજકીય પક્ષોની સકારાત્મક વિચારસરણી આપણા દેશની મહિલા શક્તિને નવી ઉર્જા આપશે. PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બિલ દેશના લોકોમાં એક નવો વિશ્વાસ પેદા કરશે. તમામ સભ્યો અને રાજકીય પક્ષોએ મહિલા સશક્તિકરણ અને ‘નારી શક્તિ’ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ચાલો દેશને એક મજબૂત સંદેશ આપીએ.

મહિલા અનામત બિલના અમલીકરણમાં વિલંબ અંગે વિપક્ષના આક્ષેપો પર કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે સીમાંકનને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સીમાંકનની કલમ 8 અને 9 માં કહેવાયું છે કે નિર્ધારણ ફક્ત સંખ્યાઓ આપીને જ થાય છે. જો આપણે આ તકનીકી બાબતોમાં જઈએ તો તમે ઇચ્છો છો કે આ બિલ અટકી જાય. પરંતુ અમે આ બિલને અટકવા નહીં દઈએ. સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે મહિલા અનામતનો વિષય આડો અને ઊભો બંને છે. હવે સીમાંકન અને વસ્તી ગણતરી તાત્કાલિક થઈ શકશે નહીં. તમે તરત જ આપવાનું કહો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code