1. Home
  2. Tag "rajya sabha"

અમદાવાદ પ્લેન દૂર્ઘટના: ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં કોઈ ખામી ન હોવાનો ખુલાસો

અમદાવાદ, 30 જુલાઈ 2026: ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યાની માત્ર 35 સેકન્ડમાં જ ક્રેશ થયેલા એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર વિમાન અંગે સરકારે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર અને જમીન પરના મળીને કુલ 260 લોકોના મોત થયા હતા. સરકારે રાજયસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે […]

રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સંદર્ભે સરકારે રાજ્યસભામાં દાખલ કર્યો અગત્યનો ખરડો, જાણો વિગતો

નવી દિલ્હી, 24 જુલાઈ, 2026 – રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગાન ફરજિયાત કરવા અને તે ગાવામાં અવરોધ ઊભો કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈ કરતો ખરડો રાજ્યસભામાં દાખલ કરવામાં આવ્યો છે. સંસદના ચોમાસુ સત્રના પ્રારંભથી ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. નીટ પરીક્ષા પેપર લીકના મામલે કોક્રોચ જનતા પાર્ટીના દેખાવો અને તે વિશે વિપક્ષો દ્વારા સંસદમાં […]

પેટ્રોલમાં 20 ટકાથી વધુ ઇથેનોલ ભેળવવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: પેટ્રોલમાં 20% થી વધુ ઇથેનોલ મિશ્રણ કરવાને લઈને દેશભરમાં વ્યક્ત થઈ રહેલી ચિંતાઓ અને વિપક્ષી દળોના પ્રહારો વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારે દેશવાસીઓ અને વાહનચાલકોની આશંકાઓને દૂર કરતા જણાવ્યું છે કે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20% થી વધુ વધારવા અંગે હાલમાં કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે […]

સંસદના ચોમાસુ સત્રના પ્રારંભે જ વિપક્ષનો નીટ પેપર લીક અને રામ મંદિર દાન ચોરી મામલે ભારે હોબાળો

નવી દિલ્હી, 20 જુલાઈ 2026: સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ ગયું છે, પરંતુ પ્રથમ દિવસે જ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોના ભારે હોબાળાને કારણે કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. નીટ પેપર લીક અને રામ મંદિરમાં ચંદા ચોરીના મુદ્દાઓને લઈને વિપક્ષી સાંસદોએ લોકસભામાં સ્પીકરના આસન સુધી પહોંચીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામાને પગલે બંને […]

રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને 10 નવ-નિર્વાચિત સાંસદોને લેવડાવ્યા શપથ

નવી દિલ્હી, 25 જૂન 2026: રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હી સ્થિત રાજ્યસભા ચેમ્બરમાં વિધિવત રીતે નવ-નિર્વાચિત અને પુનઃનિર્વાચિત થયેલા 10 સાંસદોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી ચૂંટાઈને આવેલા જનપ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્યસભાના સભ્ય તરીકે આજે જે મહાનુભાવોએ શપથ અથવા પ્રતિજ્ઞા લીધી, તેમાં પરિમલ […]

ગુજરાતમાં રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર

ગાંધીનગર, 11 જૂન 2026 – ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઉમેદવારી પાછી ખેંચવાની મહેતલ પૂરી થતા સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, આજરોજ રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી, ૨૦૨૬ અંતર્ગત ગુજરાત રાજ્યની ચાર બેઠકો માટેની ચૂંટણીનાં પરિણામની ચૂંટણી અધિકારી શ્રી ચેતન પંડ્યા (સચિવ, ગુજરાત વિધાનસભા)દ્વારા સત્તાવાર […]

કોંગ્રેસે પાંચ રાજ્યની સાત રાજ્યસભા બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા

નવી દિલ્હી, 5 જૂન 2026: કોંગ્રેસે પાંચ રાજ્યની સાત રાજ્યસભા બેઠકો માટે મલ્લિકાર્જુન ખડગે સહિત ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે આશ્ચર્યજનક રીતે આ યાદી જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર અને આકરી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસ સમર્થકોનો એક વર્ગ જ્યાં ઉમેદવારોની પસંદગીને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યો છે, ત્યાં જ […]

રાઘવ ચઢ્ઢા સહિત AAP ના તમામ 7 બાગી સાંસદો હવે ભાજપના, રાજ્યસભાએ આપી મંજૂરી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) માટે રાજકીય સંકટ ઘેરૂ બન્યું છે. રાજ્યસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન અનુસાર, રાઘવ ચઢ્ઢા સહિત આપ છોડનારા તમામ 7 સાંસદોને હવે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે માન્યતા આપી દેવામાં આવી છે. આ ફેરફાર સાથે જ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભાજપના […]

રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાઈ ગયા છે. તે સાથે આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાજ્યસભાના ત્રણ સાંસદો આજે શુક્રવારે (24 એપ્રિલ, 2026) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા છે. આ પહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાની […]

રાજ્યસભા: બજેટ સત્રમાં 157 કલાકથી વધુ ચાલ્યું ગૃહ, 117 પ્રશ્નો પૂછાયાં

નવી દિલ્હી, 18 એપ્રિલ 2026: રાજ્યસભાના 270માં સત્રના સમાપનની સાથે જ સંસદના બજેટ સત્રની કામગીરી શનિવારે પૂર્ણ થઈ છે. આ વખતનું બજેટ સત્ર કામગીરીની દ્રષ્ટિએ અત્યંત સફળ રહ્યું છે, જેમાં રાજ્યસભાની ઉત્પાદકતા 100 ટકાથી પણ વધુ એટલે કે 109.87 ટકા નોંધાઈ છે. સમગ્ર સત્ર દરમિયાન ગૃહમાં કુલ 157 કલાક અને 40 મિનિટ સુધી સાર્થક ચર્ચા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code