1. Home
  2. Tag "rajya sabha"

રાઘવ ચઢ્ઢા સહિત AAP ના તમામ 7 બાગી સાંસદો હવે ભાજપના, રાજ્યસભાએ આપી મંજૂરી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) માટે રાજકીય સંકટ ઘેરૂ બન્યું છે. રાજ્યસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન અનુસાર, રાઘવ ચઢ્ઢા સહિત આપ છોડનારા તમામ 7 સાંસદોને હવે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે માન્યતા આપી દેવામાં આવી છે. આ ફેરફાર સાથે જ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભાજપના […]

રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાઈ ગયા છે. તે સાથે આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાજ્યસભાના ત્રણ સાંસદો આજે શુક્રવારે (24 એપ્રિલ, 2026) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા છે. આ પહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાની […]

રાજ્યસભા: બજેટ સત્રમાં 157 કલાકથી વધુ ચાલ્યું ગૃહ, 117 પ્રશ્નો પૂછાયાં

નવી દિલ્હી, 18 એપ્રિલ 2026: રાજ્યસભાના 270માં સત્રના સમાપનની સાથે જ સંસદના બજેટ સત્રની કામગીરી શનિવારે પૂર્ણ થઈ છે. આ વખતનું બજેટ સત્ર કામગીરીની દ્રષ્ટિએ અત્યંત સફળ રહ્યું છે, જેમાં રાજ્યસભાની ઉત્પાદકતા 100 ટકાથી પણ વધુ એટલે કે 109.87 ટકા નોંધાઈ છે. સમગ્ર સત્ર દરમિયાન ગૃહમાં કુલ 157 કલાક અને 40 મિનિટ સુધી સાર્થક ચર્ચા અને […]

હરિવંશ સિંઘ સતત ત્રીજીવાર રાજ્યસભાના ઉપસભાપતિ પદે બિનહરીફ ચૂંટાયા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: રાજ્યસભામાં શુક્રવારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં મનોનીત સભ્ય હરિવંશ નારાયણ સિંઘને ફરી એકવાર ગૃહના ઉપસભાપતિ તરીકે બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે. પત્રકારત્વમાંથી રાજકારણમાં આવેલા હરિવંશજીનો ઉપસભાપતિ તરીકે આ સતત ત્રીજો કાર્યકાળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિમણૂકને વધાવતા તેમને ઉષ્માભર્યા અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કાર્યશૈલીની રજૂઆત કરી હતી. હરિવંશજીની વરણી […]

રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પંજાબ સરકારે પાછી ખેંચી, કેન્દ્રએ આપી ઝેડ સિક્યુરિટી

નવી દિલ્હી, 15 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. પંજાબની ભગવંત માન સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી લેતા જ કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલું ભરી તેમને ‘ઝેડ’ કેટેગરીનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે […]

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : વૈચારિક સંઘર્ષથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

૨૦૨૪ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું. ૨૦૧૪ – ૨૦૧૯ અને ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા પર પૂર્ણ ભરોસો છે. રાષ્ટ્રવાદી […]

મને શાંત કરાયો છે, પણ હું હાર્યો નથી, રાઘવ ચઢ્ઢાએ આપ પર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) માં ફરી એકવાર આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદેથી હટાવવાના નિર્ણય બાદ સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચે તિરાડ સ્પષ્ટ દેખાઈ રહી છે. પદ પરથી હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા કહ્યું […]

નીતિશકુમારે વિધાનપરિષદમાંથી, નીતિન નવીને વિધાનસભામાંથી આપ્યાં રાજીનામાં

પટણા, 30 માર્ચ, 2026 – Nitish Kumar – Nitin Naveen બિહારના રાજકારણના હાલના બે મહત્ત્વના નેતા- નીતિશકુમાર તથા નીતિન નવીને રાજીનામાં આપ્યાં છે. નીતિશકુમારે એમએલસી પદેથી અર્થાત વિધાનપરિષદમાંથી અને નીતિન નવીને એમએલએ પદેથી અર્થાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે. આ બંને નેતા થોડા દિવસ પહેલાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં બિહારમાંથી ચૂંટાઈ આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે […]

યુવાનો અને બાળકોમાં મોબાઈલ ફોનની વધતી આદતનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો

નવી દિલ્હી, 27 માર્ચ 2026: દેશના યુવાધનને અજગરભરડો લઈ રહેલા ડિજિટલ વ્યસન અંગે શુક્રવારે રાજ્યસભામાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા દાવો કર્યો હતો કે, મોબાઈલ અને સ્ક્રીન એડિક્શનને કારણે દેશમાં દર વર્ષે અંદાજે 20 હજાર બાળકો આત્મહત્યા કરી રહ્યા છે. તેમણે સરકારને આ સંકટ સામે […]

રાજ્યસભામાં સાંસદોના વિદાય સમારંભમાં પીએમ મોદીએ અનુભવી નેતાઓની કરી પ્રશંસા

નવી દિલ્હી, 18 માર્ચ 2026: રાજ્યસભામાંથી આજે અનેક સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. આ ખાલી પડેલી બેઠકો પર અનેક સભ્યો બિનહરીફ ચૂંટાઈ પણ આવ્યા છે. આ પ્રસંગે રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તમામ વિદાય લેતા સભ્યોના સંસદીય જીવન અને તેમના કાર્યકાળની વિશેષતાઓને રેખાંકિત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદાય લઈ રહેલા તમામ સભ્યોની ભૂમિકાને લોકશાહીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code