અમદાવાદ પ્લેન દૂર્ઘટના: ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં કોઈ ખામી ન હોવાનો ખુલાસો
અમદાવાદ, 30 જુલાઈ 2026: ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યાની માત્ર 35 સેકન્ડમાં જ ક્રેશ થયેલા એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર વિમાન અંગે સરકારે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર અને જમીન પરના મળીને કુલ 260 લોકોના મોત થયા હતા. સરકારે રાજયસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે તપાસકર્તાઓને એર ઈન્ડિયાના આ વિમાનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોકિંગ મિકેનિઝમમાં કોઈ અનિયમિતતા કે ખામી મળી નથી.
ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યાની માત્ર 35 સેકન્ડમાં જ ક્રેશ થયેલા એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર વિમાન અંગે સરકારે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર અને જમીન પરના મળીને કુલ 260 લોકોના મોત થયા હતા. સરકારે રાજયસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે તપાસકર્તાઓને એર ઈન્ડિયાના આ વિમાનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોકિંગ મિકેનિઝમમાં કોઈ અનિયમિતતા કે ખામી મળી નથી.
-
તપાસની મુખ્ય વિશેષતાઓ:
ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) દ્વારા પરીક્ષણ: કંટ્રોલ સ્વીચને અદ્યતન ટેસ્ટિંગ માટે OEM પાસે મોકલવામાં આવી હતી, જ્યાં તેની રચનાત્મક અખંડિતતા અને લોકિંગ ડેટસની સઘન તપાસ કરવામાં આવી હતી.
કોઈ ખામી નહીં: પ્રારંભિક અને વિસ્તૃત તકનીકી તપાસમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સંપૂર્ણપણે સુરક્ષિત અને દોષરહિત હોવાનું સાબિત થયું છે.
થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ ચાલુ: હાલમાં સિયાટલ ખાતે સ્થિત OEM ની સુવિધામાં સંપૂર્ણ થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, જેના આખરી પરિણામોની રાહ જોવામાં આવી રહી છે.
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના આદેશ: આ પરીક્ષણો ફેબ્રુઆરીમાં આ પ્રકારના વિમાનોને ગ્રાઉન્ડ કર્યા બાદ ચાલુ રાખવામાં આવેલી એરવર્થનેસ ચકાસણીના ભાગરૂપે ડીજીસીએ દ્વારા આદેશિત કરવામાં આવ્યા હતા.
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) નો અંતિમ અહેવાલ કોઈ વિલંબમાં નથી. મોટા વિમાન અક્ષમાતોની તપાસ કોઈ નિશ્ચિત સમયરેખાને આધીન હોતી નથી, કારણ કે તે એક જટિલ અને ક્રમિક પ્રક્રિયા છે. AI-171 ફ્લાઇટ ક્રેશની તપાસ હવે તેના આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે. દુર્ઘટના માટે જવાબદાર તમામ સંભવિત કારણો અને પરિબળોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ AAIB ની અધિકૃત વેબસાઇટ પર અંતિમ તપાસ અહેવાલ જાહેર કરવામાં આવશે અને તમામ તથ્યો સાર્વજનિક કરવામાં આવશે તેમ સરકારે જણાવ્યું હતું.


