1. Home
  2. Tag "Rath Yatra"

અમદાવાદમાં જય જગન્નાથજીના નાદ સાથે રથયાત્રામાં ભાવિકો ઉમટ્યાં, ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

અમદાવાદઃ શહેરમાં આજે 147મી રથયાત્રામાં જય જગન્નાથજીના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા ભક્તિરસનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળ્યા છે.  રથયાત્રા નીજ મંદિરેથી નિકળીને જમાલપુર દરવાજા પાસે સવારે 10.5 કલાકે પહોંચી હતી. રથયાત્રામાં જય જગન્નાથજીના નાદ સાથે લોકો ભગવાનના […]

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરીને પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ શહેરના જગન્નાથજી મંદિરથી આજે સવારે ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યાં હતા. જે પહેલા સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના દર્શન કરીને પુજા-અર્ચના કરી હતી. તેમજ સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરીને પહિંદ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોના જય જગન્નાથના નાદથી સમગ્ર મંદિર […]

રાંચીઃ જગન્નાથપુર રથયાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ, 40 CCTV અને પાંચ વોચ ટાવર લગાવાયા

રાંચીઃ 7 જુલાઈએ રાંચીના જગન્નાથપુરમાં રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા માટે 40 સીસીટીવી કેમેરા, ચાર ડ્રોન અને પાંચ વોચ ટાવર લગાવવામાં આવશે. સરકારી માધ્યમિક શાળાને ફાયર સ્ટેશનમાં ફેરવવામાં આવશે. સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ રાખવામાં આવશે જગન્નાથપુરમાં રથયાત્રા દરમિયાન મંદિર પરિસર અને મેળામાં એક હજારથી વધુ […]

અમદાવાદના સરસપુરમાં ભાણેજ જગન્નાથજીને આવકારવા ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ

 અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજને દિને રથયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને હવે એક સપ્હા જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેઠ સુદ પૂનમે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ – સરસપુરના રણછોડરાય મંદિરમાં વાજતે […]

અમદાવાદમાં ભગવાન જન્નાથજીની પરંપરાગત રથયાત્રા તા. 7મી જુલાઈએ નીકળશે

અમદાવાદઃ ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 07 જુલાઈ (આષાઢી બિજ)ના રોજ નીકળશે. રવિવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈને જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટીઓ અને મુખ્ય પૂજારી સાથે બેઠક યોજી હતી. તેમણે ભગવાન જગન્નાથના પણ દર્શન કર્યા હતા. પોલીસ કમિશનરની સાથે જેસીપી, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિત અનેક અધિકારીઓ પણ હાજર […]

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન મકાનની ગેલેરી તૂટવાની ઘટનામાં AMCનો એસ્ટેટ વિભાગ જવાબદાર

અમદાવાદઃ શહેરમાં રથયાત્રા દરમિયાન દરિયાપુર વિસ્તારમાં કડિયાનાકા પાસે એક જર્જરિત મકાનની ગેલેરી તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે 37 જેટલા લાકોને ઈજાઓ થઈ હતી. રથયાત્રા દરમિયાન ગેલેરી તૂટી પડવાની દુર્ઘટના મામલે હવે રાજનીતિ શરૂ થઈ છે. એએમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે,  મ્યુનિ.ના એસ્ટેટ વિભાગની બેદરકારીના કારણે દુર્ઘટના બની […]

પીએમ મોદીએ પાઠવી રથયાત્રાની શુભેચ્છા,ટ્વિટ કરીને કહી આ વાત

દિલ્હી : આજે ઓડીસાના પુરીમાં જગન્નાથજીની રથયાત્રા નીકળશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને રથયાત્રાની શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, રથયાત્રા પર સૌને અભિનંદન. જ્યારે આપણે આ પવિત્ર અવસરની ઉજવણી કરીએ છીએ, ત્યારે ભગવાન જગન્નાથની દિવ્ય મુલાકાત આપણા જીવનને આરોગ્ય, સુખ અને આધ્યાત્મિક સમૃદ્ધિથી ભરી દે. Rath Yatra greetings to everyone. As […]

રથયાત્રાઃ સરસપુરની 14 પોળમાં ઉભા કરાયેલા રસોડામાં બનેલો પ્રસાદ બે લાખ ભક્તો આરોગશે

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના દિવસે જગન્નાથજી મંદિરથી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાશે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે અને 26 હજારથી વધારે પોલીસ અધિકારી-જવાનો ખડેપગ રહેશે. ભગવાનના મામાના ઘર ગણાતા સરસપુરમાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ માટે 14થી વધારે પોળોમાં રસોડા શરૂ થયાં છે. સરસપુરમાં લગભગ બે લાખથી વધારે ભક્તો પ્રસાદ […]

અમદાવાદમાં 146મી રથયાત્રાને લઈ તૈયારીઓને આખરી ઓપ,મુખ્યમંત્રીએ કરી સમીક્ષા

અમદાવાદ :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી અષાઢી બીજ, મંગળવાર, 20મી જૂને અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના વિના સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતા ની તલસ્પર્શી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર અને ગૃહના અધિક […]

અમદાવાદની રથયાત્રામાં પેરા મિલીટરી ફોર્સ સહિત 26091 પોલીસનો કાફલો ફરજરત રહેશે

અમદાવાદઃ શહેરમાં તા. 20મી જૂનને અષાઢી બીજના શુભદિને પરંપરાગતરીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજી નગરની પરિક્રમાએ નિકળશે, ભગવાનને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. રથયાત્રા માટે પોલીસે સઘન બંદોબસ્તનું આયોજન કર્યું છે. રથયાત્રા માટે પેરા મિલીટરી ફોર્સ સહિત કુલ 26091 પોલીસ અધિકારી – કર્મચારીઓ ફરજરત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code