1. Home
  2. Tag "Rath Yatra"

અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ભાંગફોડની પ્રવૃતિને લઈને નનામા ફોનને પગલે તંત્ર દોડતું થયું

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે યોજનારી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં કેટલાક શખ્સો ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે મારક હથિયારો લઈને આવ્યા હોવાનો નનામો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન […]

રાજકોટમાં જગન્નાથજીની રથયાત્રામાં વૃંદાવનનું રાધેકૃષ્ણ અને ઉજ્જૈનનું શિવ તાંડવ ગૃપ જોડાશે

રાજકોટઃ રાજ્યમાં અષાઢી બીજના દિને અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટ સહિત અનેક શહેરોમાં રથયાત્રા યોજાતી હોય છે. રથયાત્રાને હવે મહિનો પણ બાકી નથી ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 100 વર્ષ બાદ રથ બદલવામાં આવ્યા છે, જ્યારે રાજકોટમાં પણ રથયાત્રાને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તકે […]

ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPએ મતદાન જાગૃતિ માટે રથયાત્રાનું કર્યું આયોજન

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતાદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવાના ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં તા.1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. આ બન્ને તારીખોમાં લગ્નગાળાની ભરપુર સીઝન હોવાથી મતદાન પર કદાચ તેની અસર પડી શકે તેમ છે. દરમિયાન ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા […]

બાંગ્લાદેશમાં ભગવાનની 155 વર્ષ જૂની રથયાત્રાનો ઇતિહાસ મળ્યો, નાટોરામાંથી મળેલા શિલાલેખમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં નાટોરના મધનગર ગામમાં તાજેતરમાં પ્રાચીન શિલાલેખ મળી આવી છે, જે 155 વર્ષ જૂના “રથયાત્રા” ઉત્સવનો ઇતિહાસ ધરાવે છે. સફેદ પથ્થર પર સીસા વડે બાંગ્લા મૂળાક્ષરોમાં સંસ્કૃતમાં લખાણ લખ્યું છે. આ ઉપરાંત મંદિર પાસેથી ભગવાનનો કાંસ્યનો ઐતિહાસિક રથ પણ મળી આવ્યો છે. જો કે, વર્ષ 1970માં મંદિર નાશ પામ્યું હતું. […]

જગન્નાથજીની રથયાત્રાઃ મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરુ કરાયું, 2 લાખ શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યાં છે. ભગવાનની રથયાત્રા સરસપુર પહોંચી હતી. જ્યાં જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું ભવ્ય મામેરુ કરવામાં આવ્યું હતું. સરસાપુરમાં ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. વિવિધ પોળમાં ઉભા કરવામાં આવેલા રસોડામાં રથયાત્રામાં જોડાયેલા સાધુ-સંતો સહિતના લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ આરોગ્ય હતો. ભગવાનના મોસાળ સરસપપુરમાં […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા, અને 2000 સાધુ-સંતો જોડાશે

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના દિને પરંપરાગત રથયાત્રા મહોત્સવ રંગેચંગે ઊજવાશે. ભગવાન જગન્નથાજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી અષાઢી બીજના દિને શહેરની નગરચર્યાએ નિકળશે. જગન્નાથજીના મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા અને 2000થી વધુ સાધુ-સંતો જોડાશે. રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાની […]

અમદાવાદમાં રથયાત્રાના રૂટ્સ પર 25મી જુનથી દેશભક્તિના ગીતો વગાડાશે,

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે રથયાત્રાઓ, મેળાવડાઓ યોજી શકાયા નહતા. જેમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક ગણાતી રથયાત્રા પણ પરિક્રમાએ નિકળી શકી નહતી. હવે આ વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીસ બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી અમદાવાદ શહેરની પરિક્રમાએ નિકળશે. તેના માટે જગન્નાથજીના મંદિર તેમજ વહિવટી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code