1. Home
  2. Tag "Samachar Samachar"

પ્રધાનમંત્રી 15 નવેમ્બરના રોજ સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર ( MAHSR )ની પ્રગતિની સમીક્ષા કરશે. તે ભારતના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પ્રોજેક્ટ્સમાંનો એક છે અને દેશના હાઇ-સ્પીડ કનેક્ટિવિટીના યુગમાં પ્રવેશને ચિહ્નિત કરે છે. MAHSR આશરે 508 કિલોમીટર લાંબો […]

ગુજરાત સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને ફંડ તેમજ કેશ ક્રેડિટનું વિતરણ કરાયુ

સ્વ-સહાય જુથોને 1432 કરોડથી વધુ ફંડ તેમજ 3652 કરોડની કેશ ક્રેડિટનું વિતરણ, રાજ્યમાં 5.96 લાખ મહિલાઓ બની “લખપતિ દીદી”, ખેતીને પ્રોત્સાહન આપવા માટે 12 હજારથી વધુ કૃષિ સખીઓને અપાઈ તાલીમ ગાંધીનગરઃ દેશને વધુમાં વધુ આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને નાગરિકો દ્વારા અભૂતપૂર્વ […]

NIAએ કેરળમાં માનવ તસ્કરી કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરી

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી NIA એ ગેરકાયદેસર અંગ પ્રત્યારોપણ સાથે જોડાયેલા માનવ તસ્કરીના એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. NIA એ આ કેસના મુખ્ય આરોપી મધુ જયકુમારની ધરપકડ કરી છે, જે માનવ તસ્કરી માટે લોકોને ઈરાન મોકલવામાં સામેલ હતો. એર્નાકુલમના રહેવાસી મધુ જયકુમારની 8 નવેમ્બરના રોજ ઈરાનથી પરત ફર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના […]

ગાંધીનગરમાં કાલે શનિવારથી મીટર પર 24 કલાક પાણી અપાશે

ગાંધીનગર શહેરને 24 કલાક પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજના પૂર્ણ, એકસાથે 24 કલાક પ્રતિ કલાક 40 લાખ લિટરના પ્રેશરથી પાણીનો સપ્લાય મળશે, હવે નવા નિયમ મુજબ પાણીના વપરાશ પ્રમાણે બિલની ગણતરી થશે,   ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર મીટરથી 24 કલાક પાણી આપવાનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેનું ટેસ્ટિંગ કરાયુ હતું તે સફળ રહ્યા બાદ હવે આવતી કાલ […]

સાયલા અને સુદામડામાં વીજચોરી સામે PGVCLનું મેગા સર્ચ, 60 લાખનો દંડ,

વીજ ચેકિંગ દરમિયાન પોલીસ બંદોબસ્તમાં SP, DY.SP સહિત અધિકારીઓ હાજર રહ્યા, પીજીવીસીએલની 30થી વધુ ટીમો દ્વારા ઘેર-ઘેર જઈને તપાસ કરાઈ, પોલીસે માથાભારે વ્યક્તિઓના ઘેર જઈને તપાસ કરી સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકામાં વીજચોરીને લીધે લાઈનલોસ ઘટતો જાય છે. ત્યારે PGVCLની ટીમોએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે સાયલા અને સુદામડા ગામમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. કેટલાક માથાભારે વ્યક્તિઓના […]

બિહારમાં વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીતઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કેઆ પરિણામ વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીત છે. PM મોદીએ X પર લખ્યું હતું કે, “બિહારના મારા પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર, જેમણે NDAને અદ્ભુત અને અભૂતપૂર્વ જીતનો આશીર્વાદ આપ્યો. આ પ્રચંડ જનમંડેટ અમને વધુ […]

ભાવનગરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ભાડે અપાશે તો કાર્યવાહી થશે

મૂળ લાભાર્થી સિવાય કોઈ રહેતું હશે તો ફ્લેટ સીલ સુધીના પગલાં લેવાશે, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં સર્વે હાથ ધરાશે, લાભાર્થી 7 વર્ષ સુધી કોઈ વ્યક્તિને વેચાણ કે ભાડે આપી શકે નહીં, ભાવનગરઃ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજનાઓ બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત દરે મકાનો ફાળવવામાં આવ્યા છે.આવાસ યોજનામાં […]

રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે કોંગ્રેસ બિહારમાં છેલ્લા સ્થાને આવી પહોંચીઃ અમિત શાહ

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDA સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આ પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કે ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બિહારની જનતાએ દેશનો મૂડ સ્પષ્ટ કરી દીધો છે કે મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા અનિવાર્ય છે. તેના વિરોધમાં રાજનીતિ કરવાની કોઈ […]

રાજકોટ શહેરમાં છેલ્લા 10 મહિનામાં કૂતરા કરડવાના 14105 બનાવો બન્યા

રાજકોટમાં છેલ્લા 17 વર્ષમાં 26 કરોડ ખર્ચે 84 હજાર શ્વાનનું ખસીકરણ કરાયુ, હજુ પણ 26500 રખડતા શ્વાન રાજકોટની શેરીઓમાં ફરી રહ્યા છે, ગણતરી મુજબ રોજ 46 લોકો રખડતાં શ્વાન ના કરડવાનો ભોગ બને છે, રાજકોટઃ શહેરમાં કૂતરાના ખસ્સીકરણ પાછળ કરોડોના ખર્ચ કરવા છતાંયે કૂતરાની વસતીમાં ઘટાડો છયો નથી અને શહેરની શેરીઓમાં 26500 રખડતા કૂતરા છે. […]

વીમા ધારકોને વધુ સારી સેવા પૂરી પાડવી જોઈએ અને દાવાઓને ઝડપી બનાવવા જોઈએઃ સરકાર

નવી દિલ્હીઃ નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ. નાગરાજુએ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ફુગાવા અને વધતા પ્રીમિયમ ખર્ચ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વીમા કંપનીઓ અને હોસ્પિટલો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ, એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર ઇન ઇન્ડિયા (AHPI), મેક્સ હેલ્થકેર, ફોર્ટિસ હેલ્થકેર, એપોલો હોસ્પિટલ્સ અને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સ્ટાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code