1. Home
  2. Tag "saurashtra"

કોરોનાના સંભવિત ત્રીજા વેવના ડરને લીધે સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ લોકમેળા નહીં યોજાય

રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રેમી વધુ હોય છે. જેમાં શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. સાતમ-આઠમના પર્વની તો ભારે રંગેચંગે ઊજવણી કરવામાં આવતી હોય છે. હાલ રાજ્યમાં કોરોનાનો રાગચાળો કાબુમાં આવી ગયો છે, અને કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે સરકારે તમામ નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. જોકે કોરોનાના સંભવિત ત્રીજા વેવને […]

સૌરાષ્ટ્રમાં ગામેગામ યોજાતા જન્માષ્ટમીના લોકમેળા રદ કરવામાં આવે તેવી શક્યતા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં લોકમેળાની મોસમ જામતી હોય છે. આમયે સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રિય ગણાય છે. એટલે શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં રંગીલા રાજકોટનો મેળો પાંચ દિવસ સુધી ચાલે છે. અને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જો કે રાજકોટના મેળા યોજવાનો હજુ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો […]

ભાવનગર જિલ્લાને બાદ કરતા 81 જળાશયોમાં સરેરાશ માત્ર 17.97 ટકા પાણીનો જથ્થો

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓના જળાશયોમાં પુરતા નીર આવ્યા નથી. સારા વરસાદના અભાવે આવનારા દિવસોમાં પાણીનું સંકટ ઘેરૂ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ હસ્તકના સૌરાષ્ટ્રના 7 જિલ્લાના 81 જળાશયોમાં આજની સ્થિતિએ સરેરાશ માત્ર 17.97 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાહેર કરાયું છે. જેમાં […]

સૌરાષ્ટ્રના દરિયામાં સર્જાયું લો પ્રેશરઃ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. તેમજ હવામાં ભેજનું પ્રમામ વધતા અસહ્ય ઉકળાટને ગમે ત્યારે વરસાદ તૂટી પડશે તેમ લાગી રહ્યું છે. આજે બુધવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન 16 તાલુકામાં સામાન્ય વરસાદના ઝાંપટા પડ્યા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મહિનામાં ભૂકંપના 50 આંચકા, લોકોમાં ફફડાટ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. દરમિયાન એક મહિનાના સમયગાળામાં ભૂકંપના 50 જેટલા આંચકા આવ્યાં હોવાનું જાણવા મળે છે. જો કે, આ આંચકા હળવા હોવાથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક માસમાં 50 જેટલા ભૂકંપના […]

સૌરાષ્ટ્રમાં કપાસનો ભાવ મણના રૂા. 1556માં વેચાતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ રાજ્યમાં ખડુતોને પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની કાયમ ફરિયાદો ઉઠતી હોય છે.પણ આ વખતે કપાસના ભાવ રૂપિયા 1556 મળતા ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. ખરીફ વાવણીનો સમય શરૂ થવા પૂર્વે કપાસનો ભાવ ગુજરાતમાં એક મણે રૂા.1500ની ઐતિહાસિક સપાટી વટાવીને રૂા.1556 સુધી પહોંચી ગયો છે. બે ત્રણ વર્ષ પહેલા કપાસનો ભાવ માંડ રૂા.1200 સુધી સમગ્ર સીઝનમાં […]

સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત ગામોમાં યુદ્ધના ધોરણે કરાતી કામગીરીઃ કેટલાક ગામોમાં પીવાનાપાણીની તંગી

અમરેલીઃ તાઉ-તે વાવાઝોડાની વિદાયના ત્રણ દિવસ બાદ પમ હજુ અમરેલી જિલ્લાની સ્થિતિ સુધરી નથી. વાવાઝોડાએ સૌથી વધુ નુકશાન અમરેલી જિલ્લાને પહોંચાડ્યુ છે. રસ્તાઓ પર હજુ વૃક્ષો પડેલો જોવા મળી રહ્યા છે. ઘણા ગામોમાં પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી રહી છે. કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે. ગીર સોમનાથના ઉનામાં જ્યાં એક તરફ પીવા […]

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો વિનાશ : ખેડૂતો 10 કિલો કેસર કેરી માત્ર 50થી 80માં વેચવા મજબુર

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તેમજ કેસર કેરી માટે જાણીતા ગીર પંથક સહિતના વિસ્તારોમાં આંબા ઉપર તૈયાર કેરી ખરી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂ. 5 ના ભાવે એક કિલો કેરી વેચાતા કેસર કેરી વેચવા ખેડૂતો મજબુર બન્યાં છે. કેરીનું 10 કિલોના […]

સૌરાષ્ટ્રના જેતપુરમાં ધમધમતા સાડી ઉદ્યોગને પણ કોરોનાનું ગ્રહણ નડ્યુઃ માત્ર 25 ટકા જ એકમો ચાલુ

રાજકોટઃ કોરોનાને લીધે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ઉદ્યોગ-ધંધાને નુકશાની વેઠવી પડી છે. જેમાં જેતપુરના સાડી અને ડ્રેસ મટિરિયલના ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. જેતપુરમાં સાડી અને ડ્રેસ મટિરિયલ છાપકામનો ઉદ્યોગ પરંપરાગત રીતે વર્ષોથી ચાલી રહ્યો છે. વૈશ્વિક મહામારીને લીધે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ધંધા રોજગારની સ્થિતિ પણ વણસી ચૂકી છે. જેતપુરના આ […]

સૌરાષ્ટ્રના વાવાઝોડાથી પ્રભાવિત થયેલા અંતરિયાળ ગામોની મુખ્યપ્રધાને મુલાકાત લઈને સ્થિતિનો ક્યાસ મેળવ્યો

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ આજે ગુરૂવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોના મુલાકાત લઈને લોકો સાથે ચર્ચા કરીને સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. રૂપાણી આજે સવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code