1. Home
  2. Tag "school"

દેવભૂમિદ્વારકાઃ 1200 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં સુધારો થવાની સાથે ખાનગી સ્કૂલ સંચાલકોથી મનમાનીથી કંટાળેલા વાલીઓ પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા મુકવાનું પસંદ કરી રહ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1200થી વધારે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્‍યો છે. જેમાં જામકલ્‍યાણપુર તાલુકામાં 333, દ્વારકા તાલુકામાં 182, ખંભાળિયા તાલુકામાં 483 તથા ભાણવડ તાલુકામાં 223 સમાવેશ […]

RTE એક્ટઃ આવકના ખોટા દાખલાના આધારે કેટલાક વાલીઓએ સંતાનોનું ધો-1માં પ્રવેશ મેળવ્યું

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ પરિવારના બાળકોને RTE હેઠલ પ્રવેશ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે તાજેતરમાં જ RTI  હેઠળ લાખો બાળકોને ખાનગી સ્કૂલોમાં ધો-1માં પ્રવેશ આપવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં કેટલાક વાલીઓએ આવકના ખોટા દસ્તાવેજ ઉભા કરીને સંતાનોનો ધો-1માં પ્રવેશ લીધો હોવાની ફરિયાદો ઉઠી છે. અમદાવાદની જાણીતી સ્કૂલે ડીઈઓ સમક્ષ ફરિયાદ કરતા […]

બિહાર-ઝારખંડની 60 જેટલી શાળામાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા, શિક્ષણ વિભાગમાં ખળભળાટ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં દર રવિવારે જાહેર રજા હોય છે જો કે, ઝારખંડ અને બિહારની કેટલીક શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા આપવામાં આવતી હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ સ્કૂલોમાં રવિવારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડના જામતાડા પછી દુમકા જિલ્લાની 33 સ્કૂલો અને બિહારના […]

ગુજરાતઃ પ્રાથમિક શિક્ષણમાં ભગવદગીતા ભણાવવાનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં ધો-6થી 8માં વિદ્યાર્થીઓને ભગવત ગીતા ભણાવવા અંગે સરકારે નિર્ણય લીધો છે. દરમિયાન આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. રાજ્યની વડી અદાલતે નિર્ણયના અમલ ઉપર વચગાળાનો સ્ટે આપવાનો ઈન્કાર કરીને રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસો જારી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-6થી 8માં શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ્ગીતા ભણાવવા અંગેના રાજય […]

વલસાડના કાંજણ રણછોડ ગામની શાળામાં બાળકો ભણતા હતા ત્યારે છત તૂટી પડી, 41 બાળકોનો બચાવ

વલસાડઃ રાજ્યમાં અંતરિયાળ ગામોની અનેક શાળાઓના મકાનો જર્જિરિત બન્યા છે. જેમાં ચોમાસાની સીઝનમાં કેટલીક શાળાઓના બાળકો તો ભયના ઓથાર હેઠળ બણી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે કાજણ રણછોડ ગામની શાળાનો જર્જરિત ઓરડાંનો શેડ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 41 બાળકો 3 ઓરડાંમાં બેઠા હતા. તે દરમિયાન ઓરડાના શેડની છત […]

ઝારખંડઃ સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા પ્રાર્થનામાં ફેરફાર કરાયો, વિવાદ ઉભો થતા અધિકારીઓ દોડતા થયાં

નવી દિલ્હીઃ ઝારખંડના ગઢવા જિલ્લાના સદર બ્લોક અંતર્ગત કોરવાડીહ સ્થિત સરકારી અપગ્રેડેડ સ્કૂલમાં ધર્મના નામે નવો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવા આક્ષેપો છે કે મુસ્લિમો, જેઓ વિસ્તારની બહુમતી વસ્તી ધરાવે છે, તેઓએ કંઈક મનસ્વી કરવાનો પ્રયાસ કર્યો છે અને શાળામાં પ્રાર્થનાના સમયમાં ફેરફાર કર્યો હતો. મુસ્લિમ સમાજના લોકો પર આરોપ છે […]

ધોરણ 10 ના પરિણામમાં ગુણ ચકાસણી બાદ સુધારો થયો હશે તેવા છાત્રોની માર્કશીટ શાળાઓને મોકલાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયા બાદ ગુણ ચકાસણી માટે નિયત સમયમર્યાદામાં મળેલી અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલા આખરી સુધારા દર્શાવતો રીપોર્ટ, બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મુકવામાં આવ્યો છે. અરજી કરેલા ઉમેદવારોએ પોતાનો રીપોર્ટ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પરથી તા.5-7 થી તા.15-7 સુધી સીટનંબર, મોબાઇલ […]

ગુજરાતની સ્કૂલોમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 4 ટકા ઉપર પહોંચ્યોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં બે દાયકામાં અંતરિયાળ વિસ્તારો સુધી પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આવાસ જેવી પાયાની સુવિધાઓ પહોચાડીને સરકારે છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં સામેલ કર્યા છે. તેને પરિણામે ગુજરાત સર્વગ્રાહી વિકાસનું આગવું મોડલ બન્યું છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે, ડ્રોપ આઉટ રેશિયો 48 ટકાથી ઘટીને 4 ટકા ઉપર પહોંચ્યો છે, તેમ […]

મહેસાણાઃ સરકારી સ્કૂલના આચાર્યના ગેરવહીવટથી નારાજ ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી

અમદાવાદ : ગુજરાતમાં સોમવારે ઉનાળાનું વેકાશન પૂર્ણ થયું હતું અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. દરમિયાન મહેસાણામાં આવેલા સૂંઢિયા ગામમાં સ્કૂલના આચાર્યના વર્તન અને અયોગ્ય વહીવટને પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને સ્કૂલના દરવાજે લોકમારીને પોતાનો વિરોધ કર્યો હતો. તેમજ આચાર્યની બદલીની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સૂંઢિયા ગામમાં આવેલી સરકારી સ્કૂલમાં […]

ઉનાળુ વેકેશન પૂર્ણઃ સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

અમદાવાદઃ ગુજરાતની સ્કૂલોમાં આજે ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. તેમજ સ્કૂલો બાળકોની કોલાહલથી ગુંજી ઉઠી હતી. જો કે, બીજી તરફ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા વાલીઓ ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આજથી વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code