1. Home
  2. Tag "security forces"

હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, શોપિયા અને કુલગામમાં આતંકવાદીઓના ઘરો નષ્ટ કરવામાં આવ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ રાખી રહ્યા છે. સુરક્ષા દળોએ પુલવામા, શોપિયા અને કુલગામમાં આતંકવાદીઓના ઘરો તોડી પાડ્યા છે. આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. શોપિયાના છોટીપોરામાં સક્રિય લશ્કર-એ-તોયબા આતંકવાદી કમાન્ડર શાહિદ અહમદ કુટ્ટેનું ઘર સુરક્ષા દળોએ તોડી પાડ્યું હતું. શાહિદ છેલ્લા ત્રણથી ચાર […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળો અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સુરક્ષા દળો આ વિસ્તાર પર નજર રાખી રહ્યા છે. ભારતીય સેનાએ આપેલી માહિતી અનુસાર, “સંયુક્ત દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તબીબી ટીમોને તાત્કાલિક તહેનાત કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને બહાર કઢાયા હતા. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે અનંતનાગના […]

પોલીસ રિપોર્ટમાં મમતા સરકારનો પર્દાફાશ, તોફાનીઓએ સુરક્ષા દળો પાસેથી દારૂગોળો છીનવી લીધો, રાજ્યપાલ પીડિતોને મળ્યા

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ ગઈ કાલે માલદા પહોંચ્યા હતા અને મુર્શિદાબાદ હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાંથી ભાગી ગયેલા અને ત્યાં એક કામચલાઉ શરણાર્થી શિબિરમાં આશ્રય લઈ રહેલા લોકોને મળ્યા હતા. રાજ્યપાલ ગઈકાલે માલદા પહોંચ્યા, મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાત મુલતવી રાખવાની વિનંતીને અવગણીને. તેમણે હિંસાના પીડિતોને ખાતરી આપી કે તેમની ફરિયાદોના નિરાકરણ માટે સક્રિય પગલાં લેવામાં […]

પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યાં

લાહોરઃ પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના સંયુક્ત ઓપરેશન દરમિયાન ચાર આતંકવાદીઓ માર્યા ગયા. પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું હતું. પાકિસ્તાની સેનાને મળી હતી ગુપ્ત માહિતી પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે એક નિવેદનમાં આ ઓપરેશન વિશે માહિતી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા […]

છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 22 નક્સલીઓની ધરપકડ કરી, વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઈ

બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ 22 નક્સલીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જિલ્લાના ઉસાર, જંગલા અને નેલ્સનાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 22 નક્સલીઓની ધરપકડ કરી છે. જિલ્લામાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનના ભાગ રૂપે, મંગળવારે ઉસૂર પોલીસ સ્ટેશનથી જિલ્લા દળ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની કોબ્રા બટાલિયનને પેટ્રોલિંગ પર મોકલવામાં […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા ઓપરેશનમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓ ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં ચાલી રહેલા ઓપરેશનમાં શુક્રવારે બે આતંકવાદીઓ માર્યા ગયા જ્યારે એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના હતા અને તેમાં એક ટોચનો કમાન્ડર સૈફુલ્લાહનો પણ સમાવેશ થાય છે. જે છેલ્લા એક વર્ષથી ચેનાબ […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર જંગલમાં આજ સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે અને 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જયારે બે જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઓપરેશન બાબતે એક અધિકારીએ જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ […]

ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યાં, એક જવાનનું મોત

પેશાવર: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત સંગઠનના ઓછામાં ઓછા 10 આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના એક કેપ્ટન માર્યા ગયા હતા. આ માહિતી પાકિસ્તાન સશસ્ત્ર દળોની મીડિયા અને જનસંપર્ક શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા આપવામાં આવી હતી. સેનાની મીડિયા વિંગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિસ્તારમાં આતંકવાદીઓની […]

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે બે સ્થળે અથડામણ, 22 નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુર અને કાંકરેમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં 22 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર બીજાપુર-દંતેવાડા સરહદ પર ગંગાલુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વન વિસ્તારમાં અથડામણ સર્જાઈ હતી જેમાં 18 નક્સલવાદીઓ […]

પાકિસ્તાન ટ્રેન હાઈજેકઃ સુરક્ષાદળોએ તમામ બંધકોને મુક્ત કરાવ્યાં

પાકિસ્તાની આર્મીએ પોતાના બંધકોને મુક્ત કરવામાં સફળતા મેળવી છે. આર્મીના પ્રવક્તા લેફ્ટિનન્ટ જનરલ અહમદ શરીફે પાકિસ્તાની ટીવી ચેનલ દુનિયા ન્યૂઝને જણાવ્યું કે આર્મીએ તમામ 33 બલૂચ વિદ્રોહીઓને ઠાર મારી નાખ્યા છે. હવે ત્યાં એક પણ બલૂચ વિદ્રોહી હાજર નથી. આર્મી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આમાં કેટલા લોકોના મોત થયા છે, તેની વિગત પછી જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code