1. Home
  2. Tag "seized"

રાજકોટમાં ભેળસેળ સામે મ્યુનિ.ની ઝૂંબેશ, 285 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો

રાજકોટઃ શહેરમાં ખાદ્ય ચિજ વસ્તુઓમાં વ્યાપક ભેળસેળ થઈ રહી હોવાની ફરિયાદો ઉઠતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશનના ફુડ શાખા દ્વારા એક પેઢીમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ ઘીનો 285 કિલો જથ્થો સીઝ કર્યેા હતો. રાજકોટ મ્યુનિ.ના સૂત્રોએ  જણાવ્યું હતું કે શહેરમાં શંકાસ્પદ ગુણવત્તાવાળું ઘી વેંચાણ થતું હોવાની ફરિયાદો મળતા શહેરના […]

DRIની કાર્યવાહીઃ સાણંદના ગોડાઉનમાંથી 4 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં દાણચોરીના બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન કચ્છના મુદ્રામાંથી ઝડપાયેલા 14 ટન રક્ત ચંદન કેસની તપાસમાં સાણંદમાં પણ ચંદન છુપાવ્યું હોવાનું ખૂલતા ડીઆરઆઈએ તપાસ આરંભી હતી. સાણંદના ગોડાઉનમાં તપાસ કરતા 4 ટન રક્ત ચંદન મળી આવ્યું હતું. ડીઆરઆઈના દરોડા દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો […]

ઉપલેટામાં રેશનિગના ઘઉં-ચોખાના 2939 કટ્ટા પકડાયા, વેપારી લોટ બનાવીને વેચતો હતો

રાજકોટઃ રાજ્યમાં રેશનિંગનું અનાજ લાભાર્થીઓને આપવાને બદલે કાળા બજારમાં પગ કરી જતું હોય છે. દરેક પુરવઠા મામલતદારોને રેશનિંગના અનાજનું યોગ્ય રીતે વિતરણ થાય છે કેમ તે અંગે ખાસ ધ્યાન રાખવાની સુચના આપવામાં આવી છે. દરમિયાન રાજકોટ  જિલ્લાના ઉપલેટામાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપલેટાના વીજળી રોડ રઘુવીર બંગલો પાસે ગોડાઉનમા તથા પંચહાટડી ચોકમા […]

રાજકોટમાં રેશનિંગના અનાજનો રૂપિયા 12 લાખનો જથ્થો જિલ્લા પુરવઠા વિભાગે પકડ્યો

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને નેશનલ ફુડ સિકયોરીટી એકટ (એનએફએસએ) અંતર્ગત મફતમાં અનાજ આપવામાં આવે છે. જરૂરીયાત કરતા વધુ અનાજ મળતું હોય  કેટલાક લાભાર્થીઓ વેપારીઓને ઊંચા ભાવ લઈને અનાજ વેચી  દેતાં હોય છે. બાતમીને આધારે નાગરિક પુરવઠા બોર્ડના અધિકારીઓએ રેડ પાડીને અંદાજે રૂા.12 લાખની કિંમતનું સરકારી અનાજ (ઘઉં) રાજકોટના પરસાણાનગર […]

પોરબંદરઃ 174 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

અમદાવાદઃ પોરબંદરમાં સિંગ્લ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પગલા લેવામાં આવ્યાં છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરતા ઇસમો સામે કાર્યવાહી કરી હતી. તેમજ 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરને પ્રદૂષણ મૂક્ત તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દૈનિક જીવનમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો […]

ગુજરાતના દરિયા અને દરિયાકાંઠા વિસ્તારમાંથી બે વર્ષમાં 1.6 ટન નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત 1600 કિમી લાંબો દરિયા કિનોરો ધરાવે છે. આ ઉપરાંત ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. જેથી પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે ગુજરાતના દરિયા મારફતે નશીલા દ્રવ્યો ઘુસાડતા હોવાનું અગાઉ સામે આવ્યું છે. અવાર-નવાર કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમોએ કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો […]

કચ્છઃ મુંદ્રા બંદરે એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતનો દરિયો અને દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોવાનું લાગી રહ્યું છે. અવાર-નવાર ચરસ અને ડ્રગ્સ પકડાય છે. દરમિયાન ફરી એકવાર 52 કિલો જેટલુ કોકેઈન ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. મુદ્રા પોર્ટમાં એક કન્ટેનરમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. મીઠાની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ખૂલ્યું છે. તેમજ આ કન્ટેનર દુબઈથી આવ્યાનું […]

પીપાવાવ પોર્ટ પરથી 450 કરોડની કિંમતનું 80 કિલો ડ્રગ્સ પકડાયું, ડ્રગ્સ દોરી પર લપેટાયું હતુ

અમરેલીઃ ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે આસાન બનતો જાય છે. છેલ્લા એક વર્ષમાં મુન્દ્રા, ગાંધીધામ, અમદાવાદ સહિત અનેક સ્થળોએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તાજેતમાં જ કંડલા બંધરેથી ડ્રગ્સ પકડાયા બાદ પીપાવાવ પોર્ટ પરથી રૂપિયા 450 કરોડની કિંમતનું 80 કિલો ડ્રગ્સ પકડાયુ છે. સૂત્રોના  જણાવ્યા મુજબ અમરેલીના પીપાવાવ પોર્ટ પર DRI, કસ્ટમ અને ATSના […]

કંડલા નજીક કન્ટેનરમાંથી 3000 કરોડનું ડ્રગ્ઝ પકડાયુ, ATS અને DRIની સંયુક્ત કાર્યવાહી

ગાંધીધામઃ ડ્રગ્સ હેરાફેરીમાં ગજરાતનો દરિયો કાંઠો સ્વર્ગ સમાન બનતો જાય છે. જેમાં કચ્છના બંદરો પરથી અગાઉ પણ ડ્રગ્સ પકડાયુ હતું. ત્યારે હવે ગાંધીધામ શહેરના ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા CSF (કન્ટેન્ટર ફ્રેઈટ સ્ટેશન)માંથી DRI અને ATSએ સંયુક્ત તપાસકાર્ય અંતર્ગત દરોડા પાડ્યા હતા. જે દરમિયાન એક કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. ટેલકમ પાવડર હેઠળ […]

અમદાવાદમાં પોલીસે બે વર્ષમાં 83,884 વાહનો જપ્ત કર્યા, જેમાં 6,541 વાહનોને છોડાવવા કોઈ આવ્યુ નથી

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો પાસે વાહનોના દસ્તાવેજ ન હોવાથી પોલીસ દ્વારા વાહનો જપ્ત કરવામાં આવતા હોય છે. શહેરમાં છેલ્લા બે વર્ષમાં પોલીસે 83,884 વાહનો જપ્ત કર્યા હતા. જેમાં 6,541 વાહનો છોડાવવા માટે કોઈ આવ્યુ જ નથી. અને આ વાહનો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code