1. Home
  2. Tag "Ships"

અલંગ યાર્ડમાં ભંગાવવા આવતા જહાજોને હવે ચાર્ટર્ડ એન્જીનિયર સર્ટિફિકેટમાંથી મુક્તિ

હવે કસ્ટમ્સને બાંહેધરી પત્ર જ આપવુ પડશે, રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજુઆત બાદ નિર્ણય લેવાયો, કસ્ટમ અધિકારીઓની વધુ પડતી માથાકૂટને લીધે મુશ્કેલી પડતી હતી ભાવનગરઃ જિલ્લાનો એર માત્ર રોજગારી આપતો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ઘણ સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. જેમાં સરકારના છાશવારે બદલાતા નિયમોને લીધે જહાંજની સંખ્યામાં ઘટાડો થયો હતો. અલંગ શિપ બ્રેકિંગ સાથે […]

ચીની કોસ્ટ ગાર્ડના જહાજો પર હુમલો ફિલિપાઈન્સના જહાજોએ કર્યો

બેઈજિંગ સમય મુજબ, ફિલિપાઈન્સના 10થી વધુ સરકારી જહાજોએ ચીનના હુઆંગયાન ટાપુના પ્રાદેશિક પાણીમાં જુદી જુદી દિશામાંથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી. ચીની કોસ્ટ ગાર્ડે કાયદા અનુસાર ફિલિપાઈન્સના જહાજો સામે ચેતવણીઓ, રૂટ કંટ્રોલ અને વોટર કેનન સહિતના નિયમનકારી પગલાં અમલમાં મૂક્યા. તે જ દિવસે સવારે 10 વાગ્યે, ફિલિપાઇન્સના સરકારી જહાજ નંબર 3014 એ ચીનની વારંવારની ચેતવણીઓને અવગણી […]

દક્ષિણ ચીન સમુદ્રમાં પૂર્વીય કાફલાની નિયુક્તિના ભાગરુપે ભારતીય નૌકાદળના જહાજો સિંગાપોર પહોંચ્યા

નવી દિલ્હીઃ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇસ્ટર્ન ફ્લીટ આરએડીએમ રાજેશ ધનખડની આગેવાની હેઠળ ભારતીય નૌકાદળના જહાજો દિલ્હી, શક્તિ અને કિલ્ટન, 06 મે, 24ના રોજ સિંગાપોર પહોંચ્યા, જેમાં રિપબ્લિક ઓફ સિંગાપોર નેવીના કર્મચારીઓ અને સિંગાપોરમાં ભારતના હાઇ કમિશનર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતીય નૌકાદળના પૂર્વી કાફલાની ઓપરેશનલ નિયુક્તિનો એક ભાગ છે. […]

હુથી બળવાખોરોનો ઉપદ્રવ વધ્યોઃ હિંદ મહાસાગર-લાલ સમુદ્રમાં ડ્રોન વડે 4 જહાજો ઉપર કર્યો હુમલો

નવી દિલ્હીઃ યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદથી હુથી બળવાખોરો જહાજો પર હિંસક હુમલો કરી રહ્યા છે. તે જ સમયે, ફરી એકવાર હુથી વિદ્રોહીઓએ હિંદ મહાસાગરમાં જહાજો પર હુમલામાં વધારો કર્યો છે. યમનના હુથી બળવાખોરોએ જણાવ્યું હતું કે તેઓએ ઇઝરાયેલના વિરોધમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ સામે ચાલી રહેલા […]

ભારતીય નૌસેનાએ બંગાળની ખાડીમાં ફસાયેલા ત્રણ જહાજોને બચાવ્યા, 36 માછીમારોનું કર્યું રેસ્ક્યુ

બંગાળની ખાડીમાં ફસાયા ત્રણ જહાજો ભારતીય નૌસેનાએ કર્યો બચાવ  36 માછીમારોનું કર્યું રેસ્ક્યુ દિલ્હી: બંગાળની ખાડીમાં ત્રણ જહાજો ફસાયા હતા.બંગાળની ખાડીમાં ફસાયેલા ત્રણ જહાજોને ભારતીય નૌસેનાએ બચાવ્યા હતા. આ ત્રણ જહાજોમાં 36 માછીમારો સવાર હતા.જેનું ભારતીય નૌસેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, નેવીએ શનિવારે કહ્યું કે તેણે બંગાળની ખાડીમાં ફસાયેલા 36 ભારતીય […]

પોરબંદરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળના જહાજો મુલાકાતીઓ માટે ખુલ્લા મુકાયાં

અમદાવાદઃ પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ જહાજો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઉપરાંત, પોરબંદર ખાતેના કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા ‘ઓપરેશન્સ ડેમો’નો સમાવેશ કરાયો છે. પોરબંદર ખાતેના આ કાર્યક્રમની મહાનુભાવો તથા જાહેર નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. આ પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને, ખાસ કરીને સ્થાનિક […]

નૌકાદળના જહાજો અને સબમરીન અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક્સ, શસ્ત્રો અને સેન્સરથી સજ્જઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ વર્ષોથી ભારતીય નૌકાદળ લડાઇ માટે તૈયાર, વિશ્વાસપાત્ર અને સંયોજક દળ તરીકે ઉભરી આવ્યું છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ‘પ્રિફર્ડ સિક્યુરિટી પાર્ટનર’ છે, એમ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે ગુજરાતના જામનગર ખાતે INS વાલસુરાને પ્રેસિડન્ટ્સ કલરની પ્રસ્તુતિ પ્રસંગે જણાવ્યું હતું . તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી રહ્યું […]

મિશન સાગરઃ ભારતીય નૌકાદળનું જહાજ તબીબી પુરવઠા સાથે જકાર્તા પહોંચ્યું

દિલ્હીઃ ભારતીય નૌકાદળની લેન્ડિંગ શિપ ટેન્ક (મોટી) આઈએનએસ એરાવત 24 ઓગસ્ટ, 2021ના રોજ ઇન્ડોનેશિયાના જકાર્તામાં તન્જુંગ પ્રિયક પોર્ટ પર ઇન્ડોનેશિયા સરકાર દ્વારા અંદાજિત જરૂરિયાતના આધારે 10 લિક્વિડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) કન્ટેનર પહોંચાડવા માટે પહોંચી હતી. તબીબી પુરવઠો ઉતારવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને ચાલુ મિશન સાગરના ભાગરૂપે, આઈએનએસ એરાવત આ ક્ષેત્રમાં અન્ય મૈત્રીપૂર્ણ રાષ્ટ્રોને તબીબી […]

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજો પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી નાબુદ કરોઃ શક્તિસિંહ ગોહિલની સંસદમાં રજુઆત

ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગને લીધે ગોહિલવાડ પંથકનો સારોએવો વિકાસ થઈ શક્યો છે. અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને નડતા પ્રશ્નો અને થઇ રહેલા અન્યાયનો અવાજ સંસદમાં રાજ્યસભાના સાંસદ અને ભાવનગર જિલ્લાના વતની શક્તિસિંહ ગોહિલે ઉપાડ્યો હતો. રાજ્યસભામાં એરપોર્ટના ખાનગીકરણ બાદ દેશના મુખ્ય 12 બંદરોના ખાનગીકરણની હિલચાલ અને માનીતા ઉદ્યોગપતિને આ બંદરો પધરાવી દેવાની સરકાર પેરવી કરી રહી હોવાના […]

જળ પરિવહન નૂરમાં ત્રણ ગણો વધારો થતાં અલંગમાં ભંગાણ માટે આવતા જહાજોની સંખ્યામાં ઘટાડો

ભાવનગરઃ દેશના સૌથી મોટા ગણાતા શીપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં ફરી મંદીના એંધાણ વર્તાય રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જળ પરિવહન ક્ષેત્રે નૂર દરમાં આવેલા ત્રણ ગણા વધારાને કારણે જહાજના માલીકો હવે પોતાના શિપને સામાન્ય રિપેરિંગ કરાવી અને પરિવહનમાં યથાવત રાખી રહ્યા છે. તેની સીધી અસર અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને પડી રહી છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ભંગાણાર્થે મોકલવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code