1. Home
  2. Tag "STONE PELTING"

નવી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં અરાજકતા સર્જાઈ

પટનાથી નવી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઈટાવાના જસવંતનગર અને બલરાઈ સ્ટેશન વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ચાલતી ટ્રેન પર પથ્થરમારાના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ટ્રેન પર પથ્થરમારો કર્યા બાદ પણ ડ્રાઈવરે ટ્રેન રોકી ન હતી. પથ્થરમારાને કારણે સી વન કોચનો કાચ તૂટી ગયો […]

મહાકુંભ જતી ટ્રેનના દરવાજા ન ખુલતા શ્રદ્ધાળુઓમાં રોષ, કોચના કાચ ફોડાયાં

ભોપાલઃ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર સ્ટેશન પર ટ્રેનનો ગેટ ન ખુલવાને કારણે મુસાફરોએ કોચ પર પથ્થરમારો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૌની અમાવસ્યાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે ટ્રેન ઝાંસીથી રવાના થઈ અને હરપાલપુરના રેલ્વે પ્લેટફોર્મ પર પહોંચી, ત્યારે ટ્રેનના દરવાજા ખુલતા ન […]

સંભલ હિંસામાં પથ્થરમારોના પોસ્ટ જાહેરમાં લગાવાશે, નુકશાનીની વસુલાત કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલા હંગામા બાદ પથ્થરબાજો અને બદમાશોની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે યુપી સરકાર હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. પથ્થરબાજો અને તોફાનીઓના પોસ્ટર જાહેરમાં લગાવાય તેવી શકયતા છે. આ સાથે, તોફાનીઓ પાસેથી નુકસાનની ભરપાઈ કરી શકાય છે. જો જરૂરી હોય તો, […]

ભિવંડીમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ધટનામાં પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે. ગણપતિ વિસર્જન દરમિયાન મંગળવારે મોડી રાત્રે આ વિસ્તારની હિન્દુસ્તાની મસ્જિદ પાસે રાખવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મૂર્તિ તૂટી ગઈ હતી. આ પછી લોકોએ સ્થળ પર હંગામો શરૂ કર્યો હતો. પોલીસે આ કેસમાં […]

કર્ણાટકના માંડ્યામાં સરઘસ ઉપર પથ્થરમારો, 46 લોકોની ધરપકડ

સમગ્ર વિસ્તારમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હિંસા બાદ હાલ એકંદરે શાંતિપૂર્ણ માહોલ બેંગ્લોરઃ કર્ણાટકના માંડ્યામાં ગણેશ મહોત્સવ દરમિયાન યોજાયેલી શોભાયાત્રામાં ફાટી નીકળેલી હિંસા બાદ પોલીસે 46 લોકોની ધરપકડ કરી છે. મોડી રાત્રે અહીંના નાગમંગલા શહેરમાં તણાવ પ્રવર્તી રહ્યો હતો, જ્યાં પથ્થરમારામાં બે પોલીસ કર્મચારીઓ સહિત કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જો કે, પરિસ્થિતિ કાબૂમાં […]

લોકસભા ચૂંટણીઃ આઝમગઢમાં અખિલેશ યાદવની જનસભામાં કાર્યકરોનો હંગામો, ભારે પથ્થરમારો થયો

નવી દિલ્હીઃ દેશના હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢ જિલ્લાની લાલગંજ લોકસભા સીટના ઉમેદવાર દરોગા પ્રસાદ સરોજના સમર્થનમાં પ્રચાર કરવા ગયા હતા. અખિલેશ યાદવની જાહેરસભામાં નાસભાગ મચી ગઈ હતી. જનસભા દરમિયાન […]

બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ ઘટનાઓને લઈને વર્તમાન ટીએમસી સરકારને સતત ઘેરી રહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે અસામાજીકતત્વોને સમર્થન આપ્યું છે. દરમિયાન  વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને NIA તપાસની માંગ કરી છે. શોત્રાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ પરથી […]

ઉત્તરાખંડઃ તોફાનીઓએ ભારે પથ્થરમારાની સાથે પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હલ્દવાનીમાં તોફાની ટોળાએ પોલીસ અને દબાણ દૂર કરવા ગયેલી તમનપા તંત્રની ટીમ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. તેમજ અનેક વાહનોને આગ ચાંપી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલા પોલીસ કર્મચારીએ સમગ્ર બનાવ અંગે પોતાની આપવિતી જણાવી હતી. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ગુરુવારે ફાટી નીકળેલી હિંસાને કારણે ઘણું નુકસાન થયું છે. આગચંપી, તોડફોડ, […]

વડોદરાના પાદરામાં રામજીની શોભાયાત્રામાં તોફાનીઓએ કર્યો પથ્થરમારો, તંગદીલી ફેલાઈ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનગરી અયોધ્યા સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે. દરમિયાન ગુજરાતમાં ઠેર-ઠેર દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ સ્થળો ઉપર ભગવાન શ્રી રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યો હતો. દરમિયાન વડોદરાના પાદરા તાલુકામાં રામમય વાતાવરણમાં કાંકરિચાળાની ઘટના બની હતી. સુત્રોના જણાવ્યા […]

ખેરાળુમાં ભગવાન રામની શોભા યાત્રા પર પથ્થરમારો, પોલીસે 15 શખસોની કરી અટકાયત

મહેસાણાઃ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે ગુજરાતભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. નાના-મોટા શહેરોમાં ભગવાન શ્રીરામની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણાના ખેરાળુના બેલીમ વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બનતા પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે ટિયરગેસના 10 શેલ છોડ્યા હતા, આ બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code