1. Home
  2. Tag "Students"

યોગી સરકારનો મોટો નિર્ણય – ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મફત પુસ્તકો આપશે

યોગી સરકારે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો  ગરીબ વિદ્યાર્થીઓ-તેમના વાલીઓને થશે મોટી રાહત  ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને આપશે મફત પુસ્તકો લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો છે. જેના કારણે ઘણા ગરીબ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી રાહત થશે. ખરેખર સરકારી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મફત પુસ્તકો આપવામાં આવશે. […]

તોફ્રાગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે ઈતરપ્રવૃતિમાં પણ આગળ

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તાફ્રોગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં અનેક સંખ્યામાં દીકરીઓ અભ્યાસ કરે છે. આ કન્યા સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલમાં રહેવાની પણ વ્યવસ્થા છે. અહીં વહેલી પરોઢે 4.50 કલાકે વિદ્યાર્થિનીઓની સવાર પડે છે. દિવસ દરમિયાન વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે યોગ સહિતની વિવિધ એક્ટિવીટી કરે છે. એટલું જ નહીં દિવાળી સહિતના તહેવારોની પણ ધામધૂમથી […]

ગુજરાત વિદ્યાપીઠમાં સર્વધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધીને કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીવાદીઓની કથિત વિદાય બાદ વહિવટમાં પણ પરિવર્તન કરાયું છે. દરમિયાન વિદ્યાપીઠમાં દર શુક્રવારે યોજાતી સર્વ ધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીગીરી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દર શુક્રવારે સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવતી હોય છે, પરંતુ હવે વિભાગના એક ડીન દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના કરતા રોકવામાં […]

અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!, ISRO ના ડાયરેક્ટર સાથે વિદ્યાર્થીઓની જ્ઞાનગોષ્ઠિ 

ભારતના ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અવકાશ વિજ્ઞાનમાં સંશોધન કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ઈસરો દ્વારા તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના સ્પેસ સાયન્સ વિશેના વણઉકલ્યા કોયડાઓ ઉકેલી ઉજ્વળ કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા.     મંગળવારે SAC/ISRO– અમદાવાદના ડિરેક્ટર […]

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું

બેંગ્લોરઃ તમિલનાડુના કોઈમ્બતુરમાં કુમાર ગુરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ શાનદાર કામગીરી કરી છે. સમગ્ર વિશ્વમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તમિલનાડુની આ એન્જિનિયરિંગ કોલેજના 10 વિદ્યાર્થીઓએ મળીને હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું છે. ભારતમાં બનેલી આ પ્રકારની પ્રથમ બોટ છે. ભારતની આ એકમાત્ર ટીમ છે જે […]

CBSE એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું,93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 10માં કુલ 93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો ચકાસી શકે છે. બોર્ડે અગાઉ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું. વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) […]

CBSE ધોરણ 12માનું પરિણામ જાહેર,વિદ્યાર્થીનીઓએ મારી બાજી,આ વેબસાઇટ્સ પર કરો ચેક

દિલ્હી : CBSE વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શુક્રવારે ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું અને આ વખતે 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 5.38 ટકા ઓછા છે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડે વિદ્યાર્થીઓને તેમના માર્કસના આધારે પ્રથમ, દ્વિતીય અને ત્રીજો વર્ગ આપવાની પ્રક્રિયાને […]

વિદ્યાર્થીઓએ સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ ભારત રત્ન શ્રી ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીએ આયોજિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા અને આર્ષ વિદ્યામંદિર, રાજકોટના પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ વિદ્યાર્થીઓને પદક અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. યુ .જી.સી. દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને કેટેગરી-1 યુનિવર્સિટી જાહેર […]

અદાણી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રોબોટિક્સમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા

અમદાવાદ, 11 એપ્રિલ 2023: અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ (AIIE) એ સાત મહિનાની અસાધારણ સફરમાં ચાર વિદ્યાર્થીઓ, કુશલ મહેતા, તાત્યા કારિયા, જીશા નાઇક અને મોહમ્મદ અર્શ વહોરાએ e-Yantra રોબોટિક્સ સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો. e-Yantra એ IIT બોમ્બે દ્વારા આયોજિત અને શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત રોબોટિક્સ આઉટરીચ પ્રોગ્રામ છે. વિદ્યાર્થીઓએ ટેકનિકલ અને સોફ્ટ કૌશલ્યોને ઉત્તમ બનાવતા […]

વડોદરાની M S યુનિવર્સિટીએ 75 દિવસે પણ પરિણામ જાહેર ન કરતા વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ.એસ યુનિવર્સિટી દ્વારા 10 એપ્રિલથી એટીકેટીની પરીક્ષા શરૂ થતી હોવા છતાં યુનિવર્સિટીએ ફર્સ્ટ યરના રિઝલ્ટ જાહેર કર્યા ન હોવાથી ઝડપથી રિઝલ્ટ જાહેર કરવાની માગ સાથે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા  યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે  હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવીને હેડ ઓફિસને તાળાબંધી કરી હતી, જેથી યુનિવર્સિટી સત્તાધીશો દોડી આવ્યા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code