1. Home
  2. Tag "Supreme Court"

પ.બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીને મની લોન્ડરિંગ કેસમાં મળી રાહત, સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટરજીને ‘નોકરી માટે રોકડ’ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં શરતી આગોતરા જામીન મંજૂર કર્યા છે. ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ઉજ્જલ ભૂયણની બેન્ચે જણાવ્યું હતું કે ચેટરજીને 1 ફેબ્રુઆરી, 2025ના રોજ મુક્ત કરવામાં આવશે, જો કે શિયાળાની રજાઓ પહેલા ટ્રાયલ કોર્ટના આરોપો નક્કી કરવામાં આવે અને જાન્યુઆરી 2025ના […]

સુપ્રીમ કોર્ટ હવે મંદિર-મસ્જિદ સંબંધિત નવા કેસ સ્વીકારશે નહીં

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી પૂજા સ્થળ કાયદા પર સુનાવણી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ કોર્ટ મંદિર-મસ્જિદ સંબંધિત કોઈ નવા કેસને સ્વીકારશે નહીં. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કેન્દ્ર સરકાર પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી કેન્દ્રનો જવાબ ન આવે ત્યાં સુધી અમે આ […]

સંભલ જામા મસ્જિદ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશમાં સંભલ જામા મસ્જિદના સર્વેને લઈને હિંસાના મામલામાં ટ્રાયલ કોર્ટને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં. જામા મસ્જિદ કમિટીએ સિવિલ જજના સર્વે ઓર્ડરને હાઈકોર્ટમાં પડકાર્યો છે. કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના નિર્ણય બાદ […]

સંભલ હિંસાનો મામલો SC પહોંચ્યો, જમીયત ઉલેમા-એ-હિંદે કહ્યું- પૂજા સ્થળ કાયદાનું ઉલ્લંઘન થયું

જમીયત ઉલેમા-એ-હિંદે સંભલ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જમીયતે કહ્યું છે કે કોર્ટ 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ હેઠળ ધાર્મિક સ્થળોના સર્વેનો આદેશ આપી રહી છે. આ ખોટું છે. જમીયતે કહ્યું છે કે, 1947ના ધાર્મિક સ્થળોના સ્વરૂપને જાળવી રાખવા માટે કહેવાતા પૂજા સ્થળ અધિનિયમનો સંપૂર્ણ અમલ થવો જોઈએ. આ અંગે જમિયતની અરજી […]

આરક્ષણના લાભ લેવા માટે કોઈ વ્યક્તિને ધર્માંતરણની મંજુરી ના આપી શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ કોઈ વ્યક્તિ માત્ર આરક્ષણનો લાભ લેવા માટે ધર્માંતરણ કરે છે તો તેને તે ફાયદો ઉઠાવવાની મંજુરી આપી શકાય નહીં. તેમ કહીને સુપ્રીમ કોર્ટે તમિલનાડુની એક ખ્રિસ્તી મહિલાએ કરેલી અરજી ફગાવી દીધી હતી. તેમજ મહિલાની અરજી ફગાવતા સંવિધાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખ્રિસ્તી મહિલાએ મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. […]

દિલ્હી-NCRમાં પ્રદુષણને પગલે સુપ્રીમ કોર્ટે તમામ અદાલતોને આપી વર્ચુઅલ કામ કરવા આપી સૂચના

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે તમામ અદાલતોને જ્યાં પણ શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ રીતે કામ કરવાની સલાહ આપી છે. વકીલો અને કેસ સાથે જોડાયેલા લોકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવા દેવા જોઈએ. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ આ માહિતી ત્યારે આપી જ્યારે કેટલાક વરિષ્ઠ વકીલોએ તેમનો સંપર્ક કરીને તમામ કોર્ટમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન મોડમાં કામ કરવા […]

દિલ્હીમાં પ્રદૂષણ મામલે ગ્રેપ-4ના પ્રતિબંધોનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણ ગંબીર સ્તર પર પહોંચ્યુ છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દિલ્હી સરકારને સવાલ પૂછવાની સાથે ફટકાર લગાવી હતી. તેમજ કડક પ્રતિબંધ લગાવવામાં મોડું કરવામાં આવતા ઝાટકણી કાઢી હતી. આ સાથે કેન્દ્ર સરકારે કહ્યું કે હવે સ્થિતિ સ્ટેજ 4 પ્રતિબંધો લાગુ કરવાના તબક્કે પહોંચી ગઈ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું […]

ગાઈડલાઈનનું પાલન કર્યા વિના ડિમોલિશન નહીં થાય, 15 દિવસ પહેલા નોટિસ આપવી પડશે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુનેગારો સામે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, તેમણે બંધારણમાં આપવામાં આવેલા અધિકારોને ધ્યાનમાં રાખ્યા છે, જે લોકોને રાજ્યની મનસ્વી કાર્યવાહીથી રક્ષણ પૂરું પાડે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કાયદાનું શાસન એ સુનિશ્ચિત કરે છે કે લોકો જાણે છે કે તેમની મિલકત માત્ર […]

મારાથી કોઈનું દિલ દુભાયું હોય તો હું તેમની માંફી માગુ છું: CJI ડી.વાય.ચંદ્રચુડ

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડને રવિવારે પદ પરથી નિવૃત્ત થઈ રહ્યાં છે, પરંતુ 9 અને 10મીએ શનિવાર અને રવિવારે કોર્ટમાં રજા રહેશે. તેથી તેમના માનમાં આજે જ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આજે તેમનો છેલ્લો કામકાજનો દિવસ હતો. જસ્ટિસ સંજીવ ખન્ના 10 નવેમ્બરે નવી ચીફ જસ્ટીસ બનશે. તેઓ દેશના 51મા […]

સરકારી ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ તેના નિયમોમાં ફેરફાર ન કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયાના નિયમોના નામલે સુપ્રીમ કોર્ટમાં પીટિશન થઈ હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણીના અંતે ચુકાદો જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે ચુકાદો જાહેર કરતા જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ તેમાં ફેરફાર કરી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code