1. Home
  2. Tag "Supreme Court"

ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં પલટાયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ […]

અરવિંદ કેજરિવાલ સીએમ ઓફિસ અને સચિવાલય નહીં જઈ શકે, જામીનની શરત

નવી દિલ્હીઃ દિલ્હી આબકારી નીતિમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્ર4ગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરિવારને આજે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યાં છે. કોર્ટે કેટલીક શરતોને આધારે જામીન આપ્યાં છે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે કહ્યું કે, આપના સંયોજકને 2 જૂનના રોજ આત્મસમર્પણ કરવાનું રહેશે […]

ચૂંટણી પ્રચાર માટે જેલમાંથી બહાર આવશે કેજરિવાલ, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યાં

નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. 7મી મેના રોજ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ઓગસ્ટ 2022માં EDના ECIR બાદ કેજરીવાલ […]

સુપ્રીમ કોર્ટમાં કેજરિવાલના જામીન પરની સુનાવણીમાં ખંડપીઠે પ્રશ્નોની ઝડી વરસાવી, કાલે ફેસલો

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા જેલ હવાલે કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે વચગાળાના જામીન માટે ગુરુવાર સુધી રાહ જોવી પડશે. શરાબકાંડમાં પોતાની ધરપકડને પડકારતી રીટ અરજી પર સુનાવણી સમયે એક તબકકે સુપ્રીમકોર્ટે શા માટે કેજરીવાલને વચગાળાના જામીન ન આપવા તે મુદે ઈડી તરફથી રજુ થયેલા એડી. સોલીસીટર […]

સંદેશખાલી કેસમાં મમતા બેનર્જી સરકારના વલણ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચારના કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. કેસની તપાસ સુપ્રીમ કોર્ટમાં સોંપવાના હાઈકોર્ટના આદેશને પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સંદેશખાલી કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારના વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ ગંભીર નોંધ લીધી હતી કે, સરકાર ખાનગી વ્યક્તિ […]

પત્નીની સંપતિ પર પતિનો કોઇ હક નથી, તે સંપતિનો વહીવટ પણ ન કરી શકેઃ સુપ્રીમ

પત્નીની મિલકત પર પતિનો હક છે કે નહીં? આને લઈને હવે સુપ્રીમ કોર્ટે સ્પસ્ટ ચુકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે પતિનો તેની પત્નીની સંપત્તિ પર કોઈ હક નથી કે તે તેની સંપત્તિનો વહિવટ પણ ન કરી શકે. જોકે દુખના દિવસોમાં પતિ તેની સંપત્તિનો ઉપયોગ કરી શકે છે પરંતુ ત્યાર બાદ તે પત્નીને […]

પીએમ મોદી અને રાહુલ ગાંધી સામે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ, ચૂંટણીપંચે બન્ને પક્ષ પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ ઓફ કન્ડક્ટ’ […]

શંકાના આધારે EVM પર ન આપી શકાય આદેશ, સુપ્રીમે ચૂકાદો રાખ્યો સુરક્ષિત

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં નોંધાયેલા 100 ટકા વોટને VVPAT સ્લિપ સાથે મેચ કરવાની માગણી પર સુનાવણી કરતા જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે બુધવારે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને અમે તેને નિયંત્રિત કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલામાં સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અમે કોઇ બંધારણીય […]

EVM સાથે છેડછાડ શક્ય જ નથી, ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં કરી રજૂઆત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈવીએમ-વીવીપેટ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચૂંટણી પંચને સૂચન કર્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રત્તા હોવી જોઈ. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું કે, આ એક ચૂંટણી પ્રક્રિયા છે. કોઈને પણ આશંકા ના થવી જોઈએ. આ અરજીની સુનાવણી દરમિયાન ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, ઈવીએમ સાથે […]

તમે એટલા પણ ભોળા નથી, બાબા રામદેવને ફરીથી સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે ફરીથી ઠપકો આપ્યો છે. આ વખતે સહયોગી બાલકૃષ્ણ સાથે ફરીથી માફી માંગવા માટે ગયેલા પતંજલિના પ્રમુખના એટીટ્યૂડ પર અદાલતે સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે તમે ત્રણ વખત નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે. રામદેવ અને બાળકૃષ્ણનું કહેવું છે કે તેઓ જાહેરમાં માફી માંગવા માટે તૈયાર છે. મંગળવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code