1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી: સુપ્રીમ કોર્ટ
જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી: સુપ્રીમ કોર્ટ

જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી: સુપ્રીમ કોર્ટ

0
Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કરવાના મામલે મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાત મળી છે. આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી.

5મી ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370ના પ્રભાવને ખત્મ કર્યો હતો, તેમજ રાજ્યને બે ભાગ એટલે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન કર્યું હતું. એટલું જ નહીં બંને રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયા હતા.કેન્દ્ર સરકારના આ નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં 23 જેટલી અરજીઓ થઈ હતી. તમામ અરજીઓની સુનાવણીના અંતે સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. 370 હટાવ્યાના 4 વર્ષ, 4 મહિના અને 6 દિવસ બાદ આજે સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયમૂર્તિઓ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂતિ સંજ્ય કિશન કૌલ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ખંડપીઠે આદેશ સંભળાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, રાષ્ટ્રપતિને આર્ટિકલ 370 હટાવવાનો અધિકાર છે, 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે યોગ્ય છે. બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ અને કાશ્મીરને લાગુ પડે છે. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરના એકીકરણ માટે હતો. આર્ટીકલ 370 દુર કરવામાં કોઈ દુર્ભાવના ન હતી. આર્ટીકલ 370 એક અસ્થાયી પ્રાવધાન હતું. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં ઝડપી ચૂંટણી યોજવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ 30મી સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજવા નિર્દેશ કર્યો છે. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરને ઝડપથી રાજ્યનો દરજ્જો આપવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લદ્દાખને અલગ કરવાના નિર્ણયને પણ સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠરાવ્યો છે. કલમ 370 નાબૂદ કરવાના વિરોધમાં ચુકાદો આપતાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે પાંચ જજોના ત્રણ અલગ-અલગ નિર્ણય છે. ત્રણેય નિર્ણયો પર સૌ એકમત છે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે અમે તે સમયગાળા દરમિયાન રાજ્યમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસન અંગે કોઈ નિર્ણય લીધો નથી. પરિસ્થિતિ અનુસાર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. રાષ્ટ્રપતિ પાસે કલમ 356 હેઠળ સત્તા છે. તેને પડકારી શકાય નહીં. બંધારણીય સ્થિતિ એ છે કે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. કલમ 356 – રાજ્ય સરકારને વિખેરી નાખવા અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની વાત કરે છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય સરકારની જગ્યાએ કેન્દ્ર નિર્ણય લઈ શકે છે. રાજ્ય વિધાનસભાની જગ્યાએ સંસદ કાર્ય કરી શકે છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે જ્યારે રાજા હરિ સિંહે ભારત સાથે વિલીનીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા ત્યારે જમ્મુ-કાશ્મીરની સાર્વભૌમત્વ સમાપ્ત થઈ ગઈ હતી. તે ભારત હેઠળ બન્યું. તે સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતનું બંધારણ જમ્મુ અને કાશ્મીરના બંધારણ કરતાં ચડિયાતું છે. કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા છે.

કલમ 370 પર ચુકાદો વાંચતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું છે કે રાજ્યમાં યુદ્ધની સ્થિતિને કારણે કલમ 370 એક વચગાળાની વ્યવસ્થા હતી. કલમ 370(3) હેઠળ રાષ્ટ્રપતિ પાસે સૂચના જારી કરવાની સત્તા છે કે કલમ 370 અસ્તિત્વમાં નથી અને તે કલમ 370 જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાના વિસર્જન પછી પણ અસ્તિત્વમાં રહેશે. બંધારણ સભાની ભલામણ રાષ્ટ્રપતિને બંધનકર્તા ન હતી. જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાને કામચલાઉ સંસ્થા બનાવવાનો હેતુ હતો. ચીફ જસ્ટિસે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની બંધારણ સભાની ભલામણ પછી જ રાષ્ટ્રપતિએ કલમ 370 પર કોઈ આદેશ જારી કરવો જરૂરી નથી. કલમ 370 ને તટસ્થ કરીને, નવી વ્યવસ્થાએ જમ્મુ અને કાશ્મીરને બાકીના ભારત સાથે જોડવાની પ્રક્રિયાને મજબૂત બનાવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બંધારણીય રીતે માન્ય છે. જમ્મુ-કાશ્મીર પર કેન્દ્ર સરકારનો નિર્ણય યથાવત રહેશે. 5 ઓગસ્ટ, 2019નો નિર્ણય અકબંધ રહેશે. તેમાં ફેરફાર કરવામાં આવશે નહીં. CJIએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે નવા સીમાંકનના આધારે ચૂંટણી યોજવી જોઈએ. આ અંગે કેન્દ્ર સરકારને સૂચના આપવામાં આવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પરત મળવો જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code