1. Home
  2. ગુજરાતી
  3. આર્ટીકલ 370 અંગેનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ ઐતિહાસિકઃ પીએમ મોદી
આર્ટીકલ 370 અંગેનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ ઐતિહાસિકઃ પીએમ મોદી

આર્ટીકલ 370 અંગેનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ ઐતિહાસિકઃ પીએમ મોદી

0
Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવાના મોદી સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતે યોગ્ય ઠરાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની જનતાને કલમ 370ને પગલે ઘણુ સહન કરવું પડ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્દેશ માત્ર કાયદાકીય નિર્ણય નથી પરંતુ આશાનું કિરણ છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબુત બનાવ્યો છે.

પીએમ મોદીએ કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, કલમ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે. જેમાં 5 ઓગસ્ટ 2019 ના રોજ ભારતીય સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની બંધારણીયતાને સમર્થન આપવામાં આવ્યું છે. તે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના આપણા ભાઈ-બહેનોની આશા, વિકાસ અને એકતાનો પડઘો છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબૂત બનાવ્યો છે, જેને આપણે ભારતીયો બધાથી ઉપર માને છે.

પીએમ મોદીએ લખ્યું, ‘હું જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને ખાતરી કરવા માંગુ છું કે અમે તમારા સપના પૂરા કરવા માટેનું અમારું વચન પૂરું કરીશું. અમે એ સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છીએ કે પ્રગતિ ફક્ત તમારા સુધી જ નહીં પરંતુ સમાજના દરેક પછાત વર્ગ સુધી પહોંચે જેમને કલમ 370ને કારણે ઘણું સહન કરવું પડ્યું હતું. આજનો નિર્ણય માત્ર કાયદાકીય નિર્ણય નથી પરંતુ તે આશાનું કિરણ છે. આ એક ઉજ્જવળ ભવિષ્યનું વચન છે અને મજબૂત અને અખંડ ભારત બનાવવાના અમારા સંયુક્ત પ્રયાસોનો પુરાવો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code