1. Home
  2. Tag "Supreme Court"

મનિષ સિસોદીયાને જામીન મળશે કે નહીં, આજે સુપ્રીમમાં હાથ ધરાશે સુનાવણી

છેલ્લા 16 મહિનાથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદીયાને જામીન મળશે કે નહીં તેના પર આજે સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાશે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને જામીનની વિનંતી કરતી વખતે દલીલ કરી હતી કે તેઓ 16 મહિનાથી જેલમાં છે અને ગયા વર્ષે ઓક્ટોબરથી તેમની સામેના કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. સુપ્રીમ કોર્ટે CBI, ED […]

ઉત્તરપ્રદેશમાં દુકાનોની બહાર નેમપ્લેટ મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ કાવડ યાત્રાના રૂટ પર દુકાનોની બહાર નેમપ્લેટ લગાવવાના મામલે ઉત્તર પ્રદેશ સરકારને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. દેશની સર્વોચ્ચ અદાલતમાં યુપી સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, કોર્ટે નેમપ્લેટ લગાવવા માટે યુપી સરકારના નિર્દેશો પર રોક લગાવવાના નિર્ણયને યથાવત રાખ્યો અને કહ્યું કે […]

રાજ્યોને ખનીજ પર રોયલ્ટી વસૂલવાનો કાનૂની અધિકાર: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને એમ કહીને ફટકો આપ્યો હતો કે રાજ્યોને ખાણો અને ખનિજવાળી જમીનો પર રોયલ્ટી વસૂલવાનો બંધારણ હેઠળ કાયદાકીય (કાનૂની) અધિકાર છે. નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 8:1 બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે, ખનિજોના બદલામાં ચૂકવવામાં આવતી રોયલ્ટી ટેક્સ નથી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પોતાના અને બેન્ચના સાત ન્યાયાધીશો વતી ચુકાદો વાંચતા […]

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને નેમપ્લેટ મામલે સુપ્રીમ કોર્ટમાં લપડાક, આદેશ ઉપર સ્ટે ફરમાવ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારને સોમવારે (22 જુલાઈ) સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બંને રાજ્યોની સરકારો દ્વારા કાવડ યાત્રાના રૂટ પર આવેલી દુકાનોના માલિકોને નેમપ્લેટ લગાવવા માટે આપવામાં આવેલી સૂચનાઓ પર વચગાળાનો સ્ટે ફરમાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના નિર્દેશો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ઉત્તર […]

કાવડયાત્રાના રૂટ પર નેમ પ્લેટ મુકવાના આદેશ મામલે આજે સુપ્રીમમાં સુનાવણી

કાવડ યાત્રાના રૂટ પર દરેક દુકાનદારને માલિકનું નામ દર્શાવવાની પ્લેટ મુકવાના આદેશને પડકારતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી થશે આ અંગે એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. NGOની અરજીમાં યોગી સરકારના આદેશને પડકારવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે તેને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં કાવડ […]

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NTAએ ફરીથી UG મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફરીથી UG મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. NTA એ પરીક્ષાનું પરિણામ તેની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કર્યું છે. પરીક્ષાનું પરિણામ શહેર અને કેન્દ્ર પ્રમાણે અલગથી જાહેર કરવામાં આવ્યું છે. આમાં વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. પરીક્ષાના પરિણામો NTA exams.nta.ac.in/NEET ની સત્તાવાર વેબસાઇટ પર […]

NEET ની પુનઃપરીક્ષા ત્યારે જ લેવામાં આવશે જ્યારે મોટા પાયે ગેરરીતિ હશેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે વિવાદાસ્પદ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) 2024 સંબંધિત અરજીઓ પર નિર્ણાયક સુનાવણી શરૂ કરી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024 નવેસરથી આયોજિત કરવા માટે, નક્કર આધાર હોવો જોઈએ કે સમગ્ર પરીક્ષાની અખંડિતતાને અસર […]

સુપ્રીમ કોર્ટમાં હવે કુલ 34 જજ, આર. મહાદેવન અને નોંગમાઈકાપમ કોટીશ્વર સિંહે લીધા શપથ

સુપ્રીમ કોર્ટને હવે બે નવા જજ મળી ગયા છે… આ સાથે હવે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 34 પર પહોંચી ગઇ છે.. ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડે બન્ને નવા જજોને શપથ લેવડાવ્યા હતા મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આર. મહાદેવને ગુરુવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા છે. . આ સિવાય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય […]

સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી થશે NEETની પુનઃપરીક્ષાની અરજીઓ પર સુનાવણી

સુપ્રીમ કોર્ટ આજે ફરીથી વિવાદાસ્પદ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2024 સંબંધિત અરજીઓની સુનાવણી કરશે. આ પરીક્ષા 5મી મેના રોજ લેવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ જે. બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ NEET સંબંધિત 40થી વધુ અરજીઓની સુનાવણી કરશે. જેમાં તેણે વિવિધ હાઈકોર્ટમાં તેની સામે પડતર કેસોને સુપ્રીમ કોર્ટમાં […]

EDના કેસમાં જામીન મળવાના હતા ત્યારેજ ધરપકડ કેમ ? સિંઘવીએ સુનાવણી દરમ્યાન કેજરીવાલની ધરપકડ સામે ઉઠાવ્યા સવાલ

અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં CBIની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ન હતી, પરંતુ જ્યારે તેમને ઈડી કેસમાં રાહત મળવાની હતી ત્યારે તેણે તેમની ધરપકડ કરી હતી. ‘SCએ જામીન આપ્યા’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code