1. Home
  2. Tag "surat"

સુરતમાં હીરા ઉદ્યોગ બાદ જ્વેલરી ઉદ્યોગમાં પણ મંદી, સપ્તાહમાં બે દિવસ રજાનો નિર્ણય

સુરતઃ શહેરમાં અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગની અસર જ્વેલરી ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે, હીરાની સાથે સાથે જ્વેલરીની ડિમાન્ડ ઓછી થતાં જ્વેલરી ઉત્પાદકો દ્વારા અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાની શરૂઆત કરી દીધી છે. હીરામાં હાલ આંતરાષ્ટ્રીય માર્કેટમાં મંદીને કારણે ડિમાન્ડ ઘટતાં જ્વેલરીની માંગ પણ ઓછી થઈ છે. […]

સુરતમાં વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક 40 વર્ષ જુની ઝૂંપડપટ્ટી હટાવાતાં 576 પરિવારો બેઘર

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેકની નજીક છેલ્લા 40 વર્ષથી ઝૂંપડપટ્ટી આવેલી છે. જેમાં અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 40 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીનું ડિમોશન હાથ ધરાતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ગરીબોના ઝૂંપડાઓ તોડી પાડતા 576 પરિવારો બેઘર બની ગયા હતા. સુરત […]

રાજકોટમાં 1600 કિલો નકલી પનીર પકડાયા બાદ આજે સુરતમાં પણ મ્યુનિએ પાડ્યા દરોડા

સુરતઃ રાજ્યમાં ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. રાજકોટ મહાનગર પાલિકાએ ગઈકાલે રાજકોટ વિસ્તારમાંથી દરોડા પાડીને 1600 કિલો બનાવટી પનીર ઝડપી પાડ્યું હતું. રાજકોટમાંથી 1600 કિલો બનાવટી પનીર પકડાયા બાદ  સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે. સુરત શહેરના આરોગ્ય […]

સુરતમાં હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદી, હીરાઘસુઓને એક મહિનાનું ઉનાળું વેકેશન અપાશે

સુરતઃ ગુજરાતના અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગને છેલ્લા ઘણા સમયથી મંદીનું ગ્રહણ લાગ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધ અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારી બાદ વૈશ્વિક બજારમાં હીરાની માગ ઘટી છે. રિયલ ડાયમંડ તેમજ લેબગ્રોન ડાયમંડ એમ બંનેની માગમાં ઘટાડો થતા સીધી જ અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતના હીરાના કારખાનામાં દર […]

વિશ્વ મેલેરિયા દિવસઃ અમદાવાદમાં મેલેરિયાના 1 વર્ષમાં 1281 કેસ નોંધાયાં

અમદાવાદઃ દર વર્ષે તા. 25 એપ્રિલ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ તરીકે ઉજવાય છે આ વર્ષની થીમ ‘Time to deliver zero malaria: invest, innovate, implement” નિયત થઈ છે. મેલેરિયા સહિત ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા એ મચ્છરો દ્વારા ફેલાતા વાહકજન્ય રોગો છે. ચોમાસામાં મચ્છરોની ઉત્પત્તિની શક્યતાઓ વધતા આ રોગોના ઉપદ્રવની શક્યતા વધે છે. અમદાવાદ શહેરમાં એક વર્ષમાં મેલેરિયાના 1281 […]

સુરતમાં 3 મહિના પહેલા બનાવેલો રોડ પાણીની પાઈપ લાઈન માટે તોડી નંખાતા લોકોમાં રોષ

સુરતઃ ચૂંટાયેલા વહિવટદારો એ પ્રજાની તિજોરીના ટ્રસ્ટીઓ ગણાય છે. પરંતુ સત્તાધિશોની લાપરવાહી કે નિષ્ક્રિયતાને લીધે પ્રજાના ટેક્સના નાણાનો ઘણીવાર વ્યય થતો હોય છે. ત્યારે સુરતમાં ગવિયર વિસ્તારમાં ત્રણ મહિના પહેલા બનાવેલો ડામરનો રોડ પાણીની પાઈપ લાઈન નાંખવા માટે તોડી નંખાતા આ વિસ્તારના લોકોમાં સુરત મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો સામે નારાજગી જોવા મળી રહી છે. સુરતના ગવિયર […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો,સુરત AAPના વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કુલ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા પાર્ટીના કાર્યકર્તાએ કહ્યું કે સ્વાતિબેન ક્યાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણા ભાજપમાં જોડાયા છે.અગાઉ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટરો રીટા ખૈની, જ્યોતિ લાઠીયા, ભાવના સોલંકી […]

સુરતમાં એક જ વર્ષમાં 1.85 લાખ વાહનો વેચાયા, દોઢ લાખ બાઈક અને 30 હજાર કારનો સમાવેશ

સુરતઃ શહેરમાં વસતીમાં વધારો સાથે વાહનોની સંખ્યા વધી રહી છે. જો આવી જ રીતે વાહનોની સંખ્યા વધતી રહેશે તો આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનશે. સુરત શહેરના આરટીઓમાં  વર્ષ 2022-23માં 1.44 લાખ બાઈક અને 30 હજાર કારનું રજિસ્ટ્રેશન થયુ હતુ.  આરટીઓના આંકડા પ્રમાણે સુરતમાં રોજ 394 બાઈક અને 83 કારનું વેચાણ થયું હતું. સુરતમાં […]

સુરતમાં RTOની ભારત સિરીઝ (BH) માટે 3 વર્ષમાં 289 લોકોએ કાર માટે રજિસ્ટ્રેશન કરાવ્યું

સુરતઃ ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા કેન્દ્રના અને ખનગી કંપનીઓના બદલીપાત્ર કર્મચારીઓ માટેના વાહનો માટે આરટીઓની ભારત સિરીઝ (BH) રિલિઝ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર મેળવનારા કર્મચારીઓ તેમના નવા વાહનોની ખરીદી પર ટેક્સ રિફંડ અને અન્ય મુશ્કેલીઓમાંથી રાહત મેળવવા માટે ભારત સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા જાહેર કરવામાં આવેલી ભારત સિરિઝ લેવાનો […]

સુરતમાં GSTના અધિકારીએ વિભાગની મંજુરી વિના પોતાના મળતિયા સાથે રેડ પાડીને તોડ કર્યો

સુરતઃ રૂપિયા કમાવવા માટે કેટલાક લોકો શોર્ટકટ અપનાવીને અવનવી તરકીબો અપનાવતા હોય છે. શહેરમાં એક ચણિયાચોળીનો વેપાર કરતા વેપારીને ત્યાં એક જીએસટીના અધિકારીએ પોતાના ખાનગી માણસોને અધિકારીના સ્વાંગમાં વેપારીને ત્યાં મોકલીને રેડ પાડી હતી. અને હિસાબની તપાસ કરીને 80 લાખની ચોરી શોધી કાઢીને રૂપિયા 45 લાખ ભરવાનું કહીને રૂપિયા 12 લાખનો તોડ કર્યો હતો. અતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code