સુરતમાં હીરા ઉદ્યોગ બાદ જ્વેલરી ઉદ્યોગમાં પણ મંદી, સપ્તાહમાં બે દિવસ રજાનો નિર્ણય
સુરતઃ શહેરમાં અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગની અસર જ્વેલરી ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે, હીરાની સાથે સાથે જ્વેલરીની ડિમાન્ડ ઓછી થતાં જ્વેલરી ઉત્પાદકો દ્વારા અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાની શરૂઆત કરી દીધી છે. હીરામાં હાલ આંતરાષ્ટ્રીય માર્કેટમાં મંદીને કારણે ડિમાન્ડ ઘટતાં જ્વેલરીની માંગ પણ ઓછી થઈ છે. […]