1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરમાં ખેત મજુરોની રેલી યોજાઈ, જમીન માલિકોની જેમ વળતર ચુકવવા માગ

સુરેન્દ્રનગર, 22 જાન્યુઆરી 2026:  ગુજરાત સરકારે અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવી છે. જ્યારે ખેતી કામ કરતા ભાગીયા અને ખેત મજુરોને પણ સહાય આપવાની માગ સાથે સુરેન્દ્રનગરમાં ખેત મજૂરોએ અધિકાર પદયાત્રા યોજી હતી. અને જમીન માલિકોને અપાતી સહાયના ૩૦ ટકા રકમ ખેત મજૂરને ચૂકવવાની માગ કરી છે. ખેત મજૂરોની માંગ છે કે પાક નિષ્ફળ જાય ત્યારે […]

સુરેન્દ્રનગરની વર્ષો જુની જિલ્લા જેલમાં 125ની ક્ષમતા સામે 300 કેદીઓ

સુરેન્દ્રનગર, 19 જાન્યુઆરી 2026: શહેરમાં આવેલી વર્ષો જુની જિલ્લા જેલની બદતર હાલત છે. જિલ્લાની મુખ્ય સબજેલ હાલ તેની સ્થાપનાના 120 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અંગ્રેજોના શાસન દરમિયાન બનેલી જેલમાં હાલ 125 કેદીઓની ક્ષમતા સામે 300 કેદીઓ છે. અપૂરતી જગ્યા અને સુવિધાઓના અભાવે કેદીઓ અને જેલ સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટનાઓ […]

સુરેન્દ્રનગરમાં 6 કરોડના ખર્ચે જિલ્લા પુસ્તકાલય બન્યુ આધૂનિક, વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ

સુરેન્દ્રનગર,18 જાન્યઆરી 2026: શહેરના વાંચન પ્રેમીઓ માટે રૂપિયા 6 કરોડના ખર્ચે સરકારી જિલ્લા પુસ્તકાલયને આધુનિક બનાવવામાં આવ્યું છે. વાતાનુકૂલિત પુસ્તકાલયમાં વાઈફાઈ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. 1958માં સ્થપાયેલું આ પુસ્તકાલય 6 દાયકાથી વધુ સમયથી શહેરના વાંચનપ્રેમીઓની જ્ઞાનની ભૂખ સંતોષી રહ્યું છે. સુરેન્દ્રનગર શહેરના હૃદય સમા વિસ્તારમાં સી. જે. હોસ્પિટલ સામે આવેલું સરકારી જિલ્લા […]

સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં તત્કાલિન કલેકટર રાજેન્દ્ર પટેલની ધરપકડ

અમદાવાદ, 2 જાન્યુઆરી 2026: Then Collector Rajendra Patel arrested in Surendranagar land scam સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોના જમીન કૌભાંડમાં કથિત સંડાવાયેલા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે EDની ત્રણ ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. ઈડીના અધિકારીઓએ […]

વાસદ-બગોદરા હાઈવે અકસ્માત: કાર ટેન્કર પાછળ ઘૂસી જતાં વેપારીનું મોત

બોરસદ, 27 ડિસેમ્બર 2025 : વાસદ-બગોદરા સિક્સ લેન હાઈવે પર બોદાલ ગામની સીમમાં ગતરાત્રિએ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલા ટેન્કરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ કરુણ દુર્ઘટનામાં કાર ચાલક યુવાન વેપારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર તેમના […]

સુરેન્દ્રનગરના નાયબ મામલતદારની EDએ કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડ મંગાયા

આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરાયા આરોપીને નજીકની કોર્ટમાં ન લઈ જતાં કોર્ટે EDને ખખડાવી નાખી સુરેન્દ્રનગરના કલેકટરના બંગલામાંથી 100 ફાઈલ જપ્ત કરાઈ   સુરેન્દ્રનગર તા. 24મી ડિસેમ્બર 2025: Deputy Mamlatdar arrested by ED  જિલ્લા કલેકટર સહિત અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ઈડી) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીના અધિકારીઓએ કરેલા સર્ચ બાદ […]

સુરેન્દ્રનગરમાં દૂધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં લીલ અને જંગલી ઘાસના થર જામ્યા

નર્મદા કેનાલમાં દૂષિત પાણીને લીધે રોગચાળાની ભીતિ સફાઈના નામે નર્મદા વિભાગ માત્ર કાગળ પર કામગીરી કરતો હોવાનો આક્ષેપ કેનાલના કાંઠે બાવળો ઉગી નિકળ્યા સુરેન્દ્રનગરઃ શહેરના દૂધરેજ વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં લીલ જામતા અને કેનાલની આજુબાજુ જંગલી ઘાસ ઊગી નિકળતા તેમજ કેનાલમાં ઠલવાતા કચરાને કારણે પાણી દૂષિત થયુ છે.  સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના વિસ્તારોની અંદાજે […]

પાટડી નજીક અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા 3 યુવાનના મોત

સુરેન્દ્રનગર: પાટડી તાલુકામાં એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ ગોઝારી દુર્ઘટના પાટડી નજીક આવેલા નાવિયાણી ગામ પાસે સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક પર સવાર ત્રણ યુવકોને એક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે, […]

સુરેન્દ્રનગરના સીતાપુર સહિત 10 ગામોની સીમમાં ઘૂડસરના ટોળાંએ રવિપાકનો સોથ વાળ્યો

અભ્યારણ્ય છોડીને 200થી વધુ ઘૂડસરો સીમ વિસ્તારમાં ઘૂંસી આવ્યા રવિપાકને નુકસાન કરતા ખેડૂતોની હાલત કફોડી બની ઘૂડસરોના ત્રાસથી ખેડૂતો રાત્રે ઉજાગરા કરીને રખોપું કરવા મજબુર બન્યા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાનારણ તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘૂડસરનું અભ્યારણ્ય આવેલું છે. રણ વિસ્તારના અભ્યારણ્યથી ગૂડસરો અન્ય વિસ્તારોમાં આવીને ખેતી પાકને નુકસાન કરી રહ્યા છે. જિલ્લાના સીતાપુર દસ ગામમાં 200થી […]

સુરેન્દ્રનગરમાં 2161 વાહનચાલકો ઈ-મેમોનો દંડ ભરતા નથી, હવે 13મીએ લોક અદાલત

પોલીસની નેત્રમની ટીમે સીસીટીવીના આધારે ટ્રાફિક ભંગ કરનારાને ઈ-મેમો આપ્યો હતો, 759 વાહનચાલકો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરતા પકડાયા હતા 13મી યોજાનારી લોક અદાલતમાં 2161 વાહનચાલકોને હાજર રહેવા જણાવાયુ સુરેન્દ્રનગરઃ શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. શહેરના મુખ્ય રસ્તાઓને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. અને પોલીસની નેત્રમની ટીમ કંટ્રોલ રૂમમાંથી ટ્રાફિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code