1. Home
  2. Tag "Taja Samachar"

‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ના અભિયાનને જન-જન સુધી પહોંચાડવા ઝૂંબેશ કરાશે

‘હર ઘર સ્વદેશી‘ અભિયાનને મિશન મોડ પર લઈ જવા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક, હર્ષ સંઘવીએ વડા-ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું, લોકલ ફોર વોકલ ઉત્પાદનોનો મહત્તમ ઉપયોગ કરવા આહવાન   ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ના અભિયાનને જન-જન સુધી પહોંચાડીને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી […]

ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની તબીયત લથડી, લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા

મુંબઈઃ બોલીવુડના સ્ટાર ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમના ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના લોકો ચિંતિત છે. સૂત્રો અનુસાર, ધર્મેન્દ્ર નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ કેટલાક પરીક્ષણો અને તબીબી સલાહ પછી, તેમને દાખલ કરવા પડ્યા. તેમની હાલત ગંભીર હોવાનું […]

અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહને ઐતિહાસિક બનાવવા માટે ખાસ તૈયારીઓ કરાઈ

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહને ઐતિહાસિક બનાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સોમવારે આ માહિતી આપી. બધા કાર્યક્રમો સૂચનો તરીકે પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે, અને ત્યાંથી મળેલી સૂચનાઓ અનુસાર કાર્ય કરવામાં આવશે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, “રામ મંદિર ધ્વજવંદન સમારોહ […]

વેરાવળ પાસે પ્રિ-વેડિંગના ફોટો શુટ દરમિયાન દરિયામાં તણાઈ ગયેલી યુવતીનો મૃતદેહ મળ્યો

વેરાવળના દરિયામાં યુવતી સહિત સાત લોકો તણાયા હતા, સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડે 6 યુવાનોને બચાવી લીધા હતા, યુવતીનો મૃતદેહ 2 દિવસ બાદ 24 કિમી દૂર માંગરોળના દરિયામાંથી મળ્યો વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર ત્રણ દિવસ પહેલા એટલે કે, ગઈ તા, 7 નવેમ્બરના રોજ પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન વર-વધૂ સહિત સાત લોકો […]

દિવાળી અને 6ઠ્ઠ પૂજન માટે બિહાર અને યુપી ગયેલા શ્રમિકો પરત ફરતા ટ્રેનોમાં ભારે ભીડ

શ્રમિકો સમયસર પરત ફરતા ઉદ્યોગકારોને રાહત, શ્રમિકોને અભાવે અનેક ઉદ્યોગો મુશ્કેલી અનુભવી રહ્યા હતા, બિહાર-યુપી તરફથી આવતી ટ્રેનોમાં નો-વેકન્સીની સ્થિતિ અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત મહાનગરો અને કચ્છના ઉદ્યોગોમાં અનેક પરપ્રાંતના શ્રમિકો કામ કરી રહ્યા છે. જેમાં બિહાર અને ઉત્તર પ્રદેશના સૌથી વધુ શ્રમિકો છે. આ શ્રમિકો દિવાળી અને 6ઠ્ઠના તહેવારોને લીધે પરિવાર સાથે પોતાના […]

ભારતીય યાત્રાળુઓ માટે 175,025 હજ ક્વોટા સુરક્ષિત કરવામાં આવ્યો, ભારત-સાઉદી અરેબિયા વચ્ચે કરાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 2026 માટે દ્વિપક્ષીય હજ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ, ભારતનો હજ ક્વોટા 175,025 હજયાત્રીઓ પર નિર્ધારિત કરવામાં આવ્યો છે. રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ભારત-સાઉદી અરેબિયા સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું. હજ 2026 માટે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારતીય […]

ચોટિલાના મોલડી ગામે સરકારી જમીનમાં ગેરકાયદે ખનન પકડાયું

નાયબ કલેક્ટરની ટીમે પાડ્યો દરોડો, 2 JCB, 4 ટ્રેક્ટર સહિત રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યની સંડોવણી ખૂલી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સાયલા, ચાટિલા, થાન અને મુળી વિસ્તારમાં ખનીજચોરીના સૌથી વધુ બનાવો બને છે. ત્યારે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ચોટીલાના મોટી મોલડી ગામમાં સરકારી સર્વે નંબર 282વાળી જમીન પર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબ, ગલગોટા સહિત ફુલોના વાવેતરમાં થયો વધારો

ફુલોની ખેતીમાં ધ્રાંગધ્રા તાલુકા મોખરે, ખેડૂતો ડ્રેગનફ્રુટ, કેસર કેરી,અંજીર અને કાજુનું પણ વાવેતર કરવા લાગ્યા, ફુલોની ખેતીથી ખેડૂતોને વધુ ફાયદો થયો સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણાબધા જિલ્લાઓમાં હવે ફુલોની ખેતી થવા લાગી છે. એક સમયે ઉજ્જડ ગણાતો સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાના નીરથી નંદનવન બની ગયો છે. હવે તો જિલ્લાના ખેડુતો ગુલાબ અને ગલગોટાની ખેતી કરવા લાગ્યા છે. ફુલોની […]

નવા બંદરના દરિયામાં 4 નોટિકલ માઈલ દૂર બોટ ડૂબી, ટંડેલ સહિત 9 ખલાસીઓનો બચાવ

ટેક્નિકલ ખામીના કારણે બોટના પંખાનું સ્ટેન્ડ તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ, બોટમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું અને જોતજોતામાં ડૂબી ગઈ, પાંચ બોટોની મદદથી ડૂબેલી બોટને દરિયાકાંઠે લાવવાના પ્રયાસો કરાયા ઊનાઃ નવાબંદરના દરિયામાં 4 નોટિકલ માઈલ દૂર માછીમારી કરી રહેલી એક બોટ ડૂબી જતા નજીકમાં માછીમારી કરી રહેલી અન્ય બોટોની સમયસર મદદથી બોટ પર સવાર ટંડેલ […]

પીટીસીના બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હવે ટેટ-1ની પરીક્ષા આપી શકશે

સરકારના નિર્ણયથી 5200 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે, 18મી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, પીટીસીના વિદ્યાર્થીઓને કારકિર્દી વહેલી તકે શરૂ કરવાની તક મળશે. અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘણીબધી જગ્યાઓ ખાલી છે. અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે. પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં ટેટ-1 પરીક્ષા પાસ કરેલી હોવી જાઈએ. આ પરીક્ષામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code