1. Home
  2. Tag "TEACHERS"

રાજ્યમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકોને હાર્ટ એટેકમાં કેસમાં ત્વરિત સારવારની CRP તાલીમ અપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં હાર્ટ એટેકના સમયે દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓને સીઆરપી તાલીમ આપ્યા બાદ રવિવારે શાળાના શિક્ષકોને પણ સીઆરપી તાલીમ આપવામાં આવી હતી. અમદાવાદ, સુરત, વડાદરા, ભાવનગર સહિત તમામ શહેરોમાં સરકારી હોસ્પિટલના તબીબોએ શિક્ષકોને સીઆરપી તાલીમ આપી હતી. રાજ્યભરમાં હાર્ટ-એટેકના વધેલા કિસ્સાને કારણે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ […]

ઈજનેરી કોલેજોના અધ્યાપકોનું આંદોલન, અધ્યાપકો મંગળવારે પરિવાર સાથે ધરણાં કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે. અધ્યાપક મંડળ દ્વારા પડતર પ્રશ્નો બાબતે અનેક રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા ગત.તા 16 ઓક્ટોબરથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, અધ્યાપકોએ પડતર પ્રશ્નોને લઇને ગરબા, ધરણાં, સૂત્રોચ્ચાર તથા ભજન […]

બાળકોમાં મૂલ્યવાન ગુણોનું સિંચન કરી સાચા નાગરિક બનાવવાનું કામ એ શિક્ષકની ફરજ: શિક્ષણ મંત્રી

અમદાવાદ : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નીલકંઠધામ પોઈચા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે દક્ષિણ ઝોનનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું. આ અવસરે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે, શિક્ષકને બાળક, નાગરિક, સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે […]

UP:હવે મહિલા શિક્ષકોને કરવા ચોથ સહિતના તહેવારોની મળશે રજા,આદેશ જારી

માધ્યમિક શાળાઓમાં કામ કરતી મહિલા શિક્ષકોને હવે વિશેષ રજા અપાશે  કરવા ચોથ સહિત અનેક તહેવારો પર રજા મળશે લખનઉ:માધ્યમિક શાળાઓમાં કામ કરતી મહિલા શિક્ષકોને હવે વિશેષ રજા આપવામાં આવશે. આ રજા તેમને વિવિધ તહેવારો નિમિત્તે આપવામાં આવશે. તમામ માધ્યમિક શાળાઓમાં કામ કરતી મહિલા શિક્ષકો માટે કરવા ચોથના દિવસે શાળા બંધ રહેશે. માધ્યમિક શિક્ષણ નિયામક ડૉ. […]

શાળાઓના શિક્ષકોને ઘેર ઘેર જઈને 25 રૂપિયામાં તિરંગો ધ્વજ વેચવાની કામગીરી સોંપાતા અસંતોષ

ભાવનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને શિક્ષણ ઉપરાંત અન્ય કામગીરી સોંપવામાં આવતી હોવાથી તેની શિક્ષમ કાર્ય પર અસર પડી રહી છે. થોડા સમય પહેલા ઘેર ઘેર ફરીને નવા મતદારોની નોંધણી કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. તેનો ભારે વિરોધ પણ થયો હતો. ત્યારબાદ હવે શિક્ષકોને ઘેર ઘેર ફરીને તિરંગા ધ્વજના વેચાણ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જેની […]

શિક્ષકો પાસેથી ચાલુ શાળાએ BLO તરીકેની કામગીરી કરાવી શકાશે નહીં, વિરોધ બાદ કરાયો નિર્ણય

ગાંધીનગરઃ  ગુજરાતમાં ઘેર ઘેર જઈને મતદારોની નોંધણી અંગેનો કાર્યક્રમ જોહેર કરાયો હતો. એક મહિના સુધી ચાલનારી આ કામગીરીમાં પ્રથામિક શાળાના શિક્ષકોને જોતરવામાં આવતા તેનો ભારે વિરોધ કરાયો હતો. કારણે દિવસ દરમિયાન આ કામગીરી કરવાની હોવાથી શિક્ષકો શાળામાં હાજર રહી શકે તેવી સ્થિતિમાં નહતા. ભારે વિરોધ બાદ એક માસ જેટલો સમય શિક્ષણના ભોગે ચાલુ શાળાએ શિક્ષકો […]

રાજકોટમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમ

રાજકોટઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ કરી દેવાયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત તમામ શિક્ષકોને એક વર્ષમાં 50 કલાકની તાલીમ ફરજિયાત કરાઈ છે. જેને લઈ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પ્રથમ વખત અલગ-અલગ શાળાઓનાં 1000 શિક્ષકો માટે નિરંતર તાલીમ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં ખાનગી […]

ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોમાં અનેક જગ્યાઓ ખાલી, અધ્યાપકો પર વધતું કામનું ભારણ

અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં અધ્યાપકો સહિત  બિનશૈક્ષણિક સ્ટાફની અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે અધ્યાપકો અને કોલેજ કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જાય છે. ઈજનેરી  કોલેજોમાં અધ્યાપકોને કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ ક્લાસ-1 અને ક્લાસ-2માં બઢતીનો લાભ અપાયો નથી. ઉપરાંત કોલેજોના અધ્યાપકોની બદલી, અધ્યાપકોની વિવિધ કોલેજોમાં આપેલી એડહોક સેવાને સળંગ ગણવી સહિતના પડતર પ્રશ્નોનો […]

શિક્ષકોની બદલીઓના નિયમો ઘડવા માટે 15 સભ્યોની કમિટીની બેઠક 1લી માર્ચે મળશે

ગાંધીનગરઃ ગુજરાતના પ્રાથમિક  શિક્ષકો માટે બદલીના નિયમો બદલાય તેવી શક્યતા છે.  શિક્ષકોની બદલી અને ભરતીના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે. જેને પગલે  શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થવાની શક્યતા છે. આગામી તા. 1 લી માર્ચેના રોજ કમિટીની બીજી બેઠક મળશે. ગત શુક્રવારે મળેલી પ્રથમ બેઠકમાં સૂચનો લાવવાનું હોમવર્ક અપાયું હતું. સરકારે […]

ધો. 3 થી 12ના શિક્ષકોને તમામ પરીક્ષાનું ડેટા એન્ટ્રીનું કામ સોંપાતા શિક્ષણ કાર્યને પડી અસર

અમદાવાદઃ  રાજ્યમાં ધોરણ 3 થી 12 માં તમામ કસોટીઓની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની શિક્ષકોને ફરજ પાડતા વિરોધ ઊઠ્યો છે. શિક્ષકો ડેટા એન્ટ્રીના કામમાં જોતરાતા  વર્ગખંડ માટે  સમય ફાળવી શકતા નથી. શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીઓને મળી આ અંગે રજૂઆત કરાયા બાદ રાજ્યના તમામ શિક્ષકો પ્રબુદ્ધ નાગરિકો શિક્ષણવિદોના અભિપ્રાય મેળવવા એક લિંક શેર કરવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code