1. Home
  2. Tag "terrorists"

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, એક આતંકવાદી ઠાર

નવી દિલ્હીઃ ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે શ્રીનગરના હરવાનમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં તેમણે એક આતંકીને ઠાર કર્યો છે. આ સર્ચ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે બાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે એક આતંકીને ઠાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસે નિવેદન જારી કર્યું […]

શ્રીનગરમાં આતંકવાદીઓએ સેનાના વાહનને નિશાન બનાવી કર્યો ગ્રેનેડ હુમલો

આતંકવાદીઓએ શ્રીનગરમાં સીઆરપીએફના એક વાહન પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ તે લક્ષ્ય ચૂકી ગયો હતો અને ગ્રેનેડ રોડ પર વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 12થી વધુ રાહદારીઓ અને દુકાનદારો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે અજાણ્યા આતંકવાદીઓએ શ્રીનગર શહેરમાં ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર (TRC) ક્રોસિંગ પાસે CRPF મોબાઇલ બંકર વાહન પર ગ્રેનેડ ફેંક્યો. એક અધિકારીએ જણાવ્યું હતું […]

પાકિસ્તાનઃ આતંકવાદીઓ સાથેની અથડામણમાં મેજર સહિત 3 જવાનના મોત

લાહોરઃ અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાનની સેનાને મોટું નુકસાન થયું છે. આ એન્કાઉન્ટરમાં એક મેજર અને બે જવાનો શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં થયું હતું. ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના રીલિઝના આધારે પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનના સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. બુધવારે આ એન્કાઉન્ટર થયું હતું. રિલીઝમાં […]

જમ્મુ-કાશ્મીરઃ અખનૂરમાં અથડામણમાં સુરક્ષા દળોએ વધુ બે આતંકીઓને ઠાર માર્યાં

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરના એક ગામની નજીકના જંગલ વિસ્તારમાં છુપાયેલા બે આતંકવાદીઓને મંગળવારે સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા, આમ નિયંત્રણ રેખા (એલઓસી) પર 27 કલાક સુધી ચાલેલી અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ત્રણ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિયંત્રણ રેખા (એલઓસી) નજીક સુરક્ષા દળોના કાફલાને લઈ જતા વાહન ઉપર ગોળીબાર કરનારા ત્રણ આતંકવાદીઓને ઝડપી સેવા […]

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર કર્યું ફાયરિંગ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા ઉપર ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે તેમજ સુરક્ષા જવાનોએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનારા આતંકીઓની સંખ્યા ત્રણથી ચાર માનવામાં આવે છે. જે હાલ એક સ્થાનિક મંદિરની આસપાસ છુપાયેલા છે. આ આતંકવાદી પ્રવૃતિની […]

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ સુરક્ષા ચોકી ઉપર કર્યો હુમલો, 11 સૈનિકના મોત

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ગુનાખોરી વધવાની સાથે આતંકવાદી પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. આતંકવાદને સમર્થન કરનાર પાકિસ્તાન સામે આતંકવાદીઓએ હવે હથિયાર ઉઠાવ્યાં હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનના ડરબનમાં આતંકવાદીઓએ હુમલો કર્યાનું જાણવા મળે છે.  રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર […]

ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાનના છ જવાનના મોત

મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં હવે ઈરાન પણ કુદી પડ્યું હોવાથી યુદ્ધ વધારે ગંભીર બન્યું છે. ઈઝરાયલે ઈરાને કરેલા હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં આતંકવાદ મોટી સમસ્યા બની રહ્યો છે. દરમિયાન પાકિસ્તાનમાં ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં છ જવાનોના મોત થયાનું જાણવા મળે છે. […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓના હુમલામાં બે જવાન શહીદ

કિશ્તવાડમાં આતંકવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ ભારતીય જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્વે શરૂ કર્યો નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા જવાનોએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન કિશ્તવાડમાં આતંકવાદીઓએ સાથે થયેલી અથડામણમાં બે જવાનો શહીદ થયાં હતા. ભારતીય સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને આતંકવાદીના ખાતમા માટે […]

કર્ણાટક ભાજપાનું કાર્યાલય ઉડાવવાના આતંકીઓના કાવતરાનો પર્દાફાશ

બેંગ્લોર રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએ આરોપીઓ સામે કરી ચાર્જશીટ એનઆઈએની તપાસમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા બેંગ્લોરઃ બેંગ્લોરમાં હાઈપ્રોફાઈલ રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએએ ચાર આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. તપાસનીશ એજન્સી દ્વારા આ કેસમાં મુસાવિર હુસેન શાજિબ, અબ્દુલ મથીન અહમદ તાહા, માજ મુનીર અહમદ અને મુઝમમ્મિલ શરીફની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. […]

જમ્મુ-કાશ્મીરઃ આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ કર્યો હુમલો, એક જવાન ઘાયલ

આતંકવાદી હુમલા બાદ આર્મીએ શરુ કર્યું ઓપરેશન આર્મી અને પોલીસે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સુજવાં આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં એક જવાન ઘાયલો થયો હતો. જેના જવાબમાં ભારતીય આર્મીએ કાર્યવાહી શરૂ કરી હતી. આર્મીએ સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુના સુજવાં આર્મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code