1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા આઠ શ્રમજીવીઓના મોત

બોઈલર ફાટતા દૂર્ઘટના સર્જાયાની શકયતા આ બનાવમાં 20 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં સીએમ યોગીએ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો લખનૌઃ ઉત્તર પ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ દૂર્ઘટનામાં 8 મજૂરોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ […]

ઉત્તરપ્રદેશની સરકારે અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટેક્સ ફ્રી કરી

યુપીમાં ટેક્સ ફ્રી કરાઈ અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ ફઇલ્નમ યોગી સરકારે ફિલ્મ જોઈનો લીધો મહત્વનો નિર્ણય લખનૌઃ- અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ઘણી ચર્ચામાં છે ત્યારે આ ફિલ્મને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ,પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યમાં આ ફિલ્મ કર મૂક્ત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે એક મોટી […]

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને જોશે,યોગી આદિત્યનાથ માટે લખનઉમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અભિનેતા અક્ષય કુમાર અને માનુષી છિલ્લર અભિનીત ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે તૈયાર છે.આ ફિલ્મ હિંદુ રાજા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર આધારિત છે.સ્ક્રીનિંગનું આયોજન લખનઉમાં કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લર પણ હશે.આ દરમિયાન ડાયરેક્ટર ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર 2.0નું પહેલુ બજેટ, રોજગારીને વિશેષ મહત્વ અપાયું

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે બજેટ રજૂ કર્યું હતું. યોગી સરકાર 2.0નું આ પહેલું બજેટ હતું, જે રાજ્યના નાણામંત્રી સુરેશ ખન્નાએ રજૂ કર્યું હતું. આ બજેટમાં સરકારે યુપીમાં યુવાનોના રોજગાર પર વિશેષ ધ્યાન આપ્યું છે. જેમાં જણાવાયું હતું કે, રાજ્યમાં ખાનગી રોકાણ દ્વારા 1.81 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. તેમને ખાનગી […]

બિહારમાં વાવાઝોડાના કહેરથી 27ના મોત તો ઉત્તરપ્રદેશના કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ

બિહારમાં વાવાઝોડાનો કહેર,27ના મોત ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની શક્યતાઓ   લખનૌઃ- સમગ્ર દેશભરમાં ગરમીની મોસમ ચાલી રહી છે આવી સ્થિતિમાં દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો ચે,આસામમાં વપસાદના કારણે પુરની સ્થિતિ સર્જાય છે તો બિહારમાં પણ વાવાધોડાએ કહેર વર્તાવ્યો છે તો આગામી કેટલાક દિવસો સુધી ઉત્તપપ્રદેશના કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ […]

ઉત્તરપ્રદેશઃ રાજધાની લખનૌનું નામ બદલીને લક્ષ્મણજી પરથી કરાય તેવી એટકળો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના આગમાન બાદ અનેક શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. હવે રાજધાની લખનૌનું નામ બદલવાની અટકળો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સીએમ યોગીએ કરેલા ટ્વીટને પગલે લખનૌનું નામ બદલવાની અટકળોને વેગ મળ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટમાં લખ્યું, ‘શેશાવતાર ભગવાન શ્રી લક્ષ્મણજીની પવિત્ર નગરી લખનઉમાં આપનું સ્વાગત છે. शेषावतार […]

ઉત્તરપ્રદેશઃ ગંદા તળાવની કાયાપલટ કરીને દેશનું પ્રથમ “અમૃત સરોવર”નું નિર્માણ કરાયું

નવી દિલ્હીઃ દેશના પ્રથમ “અમૃત સરોવર”નું ઉદ્ઘાટન 13 મે, 2022ના રોજ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને ઉત્તર પ્રદેશના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ દ્વારા પટવાઈ, રામપુર (ઉત્તરપ્રદેશ) ખાતે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નકવીએ ​​નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ ભવ્ય અમૃત સરોવરને ખૂબ જ ઓછા સમયમાં શરૂ કરવામાં સામાન્ય લોકો, ગ્રામજનોની […]

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓમાં હવે અભ્યાસ પહેલા રાષ્ટ્રીય ગીત ફરજિયાત કરાયું

લખનૌઃ ઉત્તરપ્રદેશની મદરેસાઓમાં અભ્યાસ પહેલા રાષ્ટ્રગીત હવે ફરજીયાત કરવામાં આવ્યું છે. યુપી મદરેસા એજ્યુકેશન બોર્ડ કાઉન્સિલે આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ તમામ માન્ય, અનુદાનિત અને બિન-સહાયિત મદરેસાઓને લાગુ પડશે. વર્ગ શરૂ થતા પહેલા સવારની પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગીત ગાવુ જરૂરી છે. રમઝાન અને ઈદની રજાઓ બાદ ગુરૂવાર એટલે કે આજથી તમામ મદરેસા ખુલી ગયા છે. […]

પ્રયાગરાજઃ ક્લાઈવ રોડનું નામ બદલીને હવે અતુલ માહેશ્વરી કરાયું

લખનૌઃ પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સ સ્થિત ક્લાઈવ રોડ હવે પત્રકારત્વ, શિક્ષા અને સમાજીક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા જાણીતા હિન્દી દૈનિક અમર ઉજાલાના સ્થાપક અતુલ માહેશ્વરીજીના નામે ઓળખવામાં આવશે. ક્લાઈવ રોડનું નામ અતુલ માહેશ્વરી માર્ગ કરવાનો પ્રસ્તાવ મનપાની સભામાં સર્વસમ્મતિથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મનપાની મીટીંગમાં હાજર તમામ નગરસેવકોએ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એટલે હવે ઝડપથી […]

ઉત્તરપ્રદેશઃ વિંધ્યવાસની મંદિરમાં ભક્તે 101 કિલો વજનનો ચાંદીનો દરવાજો અર્પણ કર્યો

લખનૌઃ મિર્ઝાપુરના વિંધ્યાચલમાં આવેલા સુપ્રસિદ્ધ વિધ્યવાસની મંદિર એક ભક્તે પોતાની મનોકામના પૂરી થતા 101 કિલો ચાંદીથી બનેલા દરવાજા અર્પણ કર્યાં હતા. મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશ દ્વાર ઉપર આ ચાંદીના દરવાજા વૈદિક મંત્રોચ્ચાર બાદ મુખ્ય દ્વાર પર સ્થાપિત કરાયાં છે. આ દરવાજાની કિંમત લગભગ 80 લાખ આંકવામાં આવી રહી છે. વિંધ્યવાસની મંદિરમાં અર્પણ કરાયેલો દરવાજો સવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code