1. Home
  2. Tag "uttar pradesh"

15મા નાણાપંચે ઉત્તર પ્રદેશને રૂ. 1598.80 કરોડ અને આંધ્ર પ્રદેશને રૂ. 446.49 કરોડની ગ્રાન્ટ આપી

નવી દિલ્હીઃ 15મા નાણાપંચે ગ્રામીણ વિકાસ માટે ઉત્તર પ્રદેશને 1598.80 કરોડ રૂપિયા અને આંધ્ર પ્રદેશને 446.49 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. આ અનુદાન માત્ર ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને જ સશક્ત બનાવતું નથી પરંતુ વિસ્તાર વિશિષ્ટ મુદ્દાઓને પણ સંબોધિત કરે છે. પંચાયતી રાજ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જાહર કરીને આ જાણકારી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકારે […]

મજબુરીમાં ઉત્તરપ્રદેશના યુવાનો ઇઝરાયેલમાં રોજગારી મેળવવા મજબૂરઃ અખિલેશ યાદવ

લખનૌઃ યુવાનોને રોજગાર માટે ઈઝરાયેલ મોકલવા અંગેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનનો વિરોધ કરતા સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, રોજગાર ન મળવાને કારણે ભારતીય યુવાનોને યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલ જવાની ફરજ પડી રહી છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. યુવાનોને નોકરી અને રોજગાર નથી મળતો. પરિસ્થિતિ એવી […]

ઉત્તર પ્રદેશઃ સંભલમાં થયેલી હિંસાની ન્યાયિક તપાસ થશે, યોગી સરકારે આપ્યાં આદેશ

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે સંભલમાં તાજેતરમાં થયેલી હિંસાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહ વિભાગના આદેશ અનુસાર હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર અરોરાના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની સમિતિને કેસની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિના અન્ય બે સભ્યોમાં નિવૃત્ત IAS અધિકારી અમિત મોહન પ્રસાદ અને ભૂતપૂર્વ IPS અધિકારી અરવિંદ કુમાર જૈન છે. કમિટીને […]

ઉત્તરપ્રદેશઃ સંભલની જામા મસ્જિદના સર્વેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

લખનૌઃ સંભલની શાહી જામા મસ્જિદની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે સંભલમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મોડી રાત્રે જામા મસ્જિદની આસપાસ અને ગેટની બહાર વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આજે શુક્રવારની નમાજ છે અને સર્વે રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં પોલીસ હાઈ એલર્ટ પર […]

સંભલ હિંસામાં પથ્થરમારોના પોસ્ટ જાહેરમાં લગાવાશે, નુકશાનીની વસુલાત કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલા હંગામા બાદ પથ્થરબાજો અને બદમાશોની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે યુપી સરકાર હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. પથ્થરબાજો અને તોફાનીઓના પોસ્ટર જાહેરમાં લગાવાય તેવી શકયતા છે. આ સાથે, તોફાનીઓ પાસેથી નુકસાનની ભરપાઈ કરી શકાય છે. જો જરૂરી હોય તો, […]

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં મોટો માર્ગ અકસ્માત, ચાર મહિલાઓ સહિત પાંચના મોત

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. બિલ્હૌર કટરા સ્ટેટ હાઈવે પર મલ્લવાન કોતવાલી વિસ્તારમાં લગ્નના મહેમાનોથી ભરેલી બોલેરો અને મિની બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં બોલેરોમાં સવાર ચાર મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા. બોલેરોમાં સવાર પાંચ લોકોને પણ ઈજા થઈ હતી. માધૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સેઉધઈ ગામમાં […]

દેશની જેલોમાં 4.34 લાખ અંડરટ્રાયલ કેદીઓ, ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે કેદીઓ

દેશની વિવિધ જેલોમાં હત્યા સહિતની ગંભીર ગુનામાં સંડોવાયેલા લાખો આરોપીઓ સજા ભોગવી રહ્યાં છે. દેશની જેલોમાં હાલ 4.34 લાખ જેટલા અંડરટ્રાયલ કેદીઓ જેલવાસ ભોગવી રહ્યાં છે. સૌથી વધારે અંડરટ્રાયલ કેદીઓ ઉત્તરપ્રદેશમાં છે. જ્યારે સૌથી ઓછા અંડરટ્રાયલ કેદીઓ લક્ષદીપની જેલમાં છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર દેશની જેલોમાં 4,34,302 અંડરટ્રાયલ કેદીઓ છે. જેમાં સૌથી વધુ સંખ્યા ઉત્તર […]

ઉત્તરપ્રદેશઃ પૂરઝડપે પસાર થતી કાર ઝાડ સાથે અથડાઈ, બે બાળક સહિત ચારના મોત

ઉત્તરપ્રદેશઃ બિજનૈર જિલ્લાના નહતૌરમાં ઝડપભેર સ્કોર્પિયો કાબૂ બહાર નીકળી ગઈ અને ઝાડ સાથે અથડાઈ. આ ઘટનામાં એક જ પરિવારના બે બાળકો અને બે મહિલાઓના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. મેળો જોઈને પરિવારજનો ઘરે પરત ફરી રહ્યા હતા શુક્રવારે રાત્રે પોલીસ […]

યમુના એક્સપ્રેસ વે ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત

અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મધ્યરાત્રી બાદ લગભગ 1 વાગ્યાના સુમારે એક ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, […]

ઉત્તરપ્રદેશઃ દેવબંધમાં 1993માં થયેલા બોમ્બ બ્સાસ્ટનો આરોપી 31 વર્ષ બાદ શ્રીનગરથી ઝડપાયો

સહારનપુરઃ સહારનપુર જિલ્લાના દેવબંદમાં ઓગસ્ટ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી નઝીર અહેમદ વાનીને ATS અને પોલીસની ટીમે 31 વર્ષ બાદ શ્રીનગરથી ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારી સાગર જૈને જણાવ્યું હતું કે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દેવબંદ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં દેવબંદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના આરોપીની જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code