1. Home
  2. Tag "UTTERPRADESH"

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ લખનૌ હાઈવે પર કુંડામાં હાથીગવાનની ફુલમતી પાસે વિંધ્યાચલ જઈ […]

ધરતીપુત્ર ચૌધરી ચરણસિંહજીનું સન્માન કરવું એ દેશનાં કરોડો ખેડૂતો માટે સન્માનની વાત છે: PM મોદી

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2023 માં આયોજિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023ના ચોથા ભૂમિપૂજન સમારોહમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 14000 પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઇટી અને આઇટીઇએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને […]

લોકસભા ચૂંટણીઃ I.N.D.I.A માં ઉત્તરપ્રદેશની બેઠકોને લઈને વિવાદ, કોંગ્રેસને 8 બેઠક આપવા અખિલેશ તૈયાર

લખનૌઃ દેશમાં આગમી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપને સત્તામાંથી દુર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળોએ એક ગઠબંધન કર્યું છે. જો કે, આ ગઠબંધનમાં લોકસભા ચૂંટણીની ટીકીટ ફાળવણીને લઈને ખેંચતાણ ચાલી રહ્યાંનું જાણવા મળે છે. વિપક્ષી એકતાદળની આગામી બેઠકમાં બેઠકોની ફાળવણી મામલે ચર્ચા કરવામાં આવશે. તે […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે 28760 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું, નવી યોજનાઓ માટે 7421 કરોડ જાહેર કર્યાં

લખનૌઃ યુપી વિધાનસભા સત્રના બીજા દિવસે, નાણા પ્રધાન સુરેશ કુમાર ખન્નાએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટે પૂરક બજેટ રજૂ કર્યું હતું. નાણા પ્રધાને 28,760.67 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું હતું. જેમાં રાજસ્વ ખર્ચ માટે 1946.39 કરોડ રૂપિયા અને મૂડી ખર્ચ માટે 9714 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. નવી યોજનાઓ માટે 7421.21 કરોડ રૂપિયાની દરખાસ્ત કરાઈ […]

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં અખિલેશ યાદવ અને વિપક્ષ ઉપર સીએમ યોગી આદિત્યનાથે કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશની વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મોંઘવારી અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે બટાટા અને મંડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે ઈંડા બજારને લઈને પણ સરકારને ઘેરવામાં આવી હતી. અખિલેશે બંધ મિલ્ક પ્લાન્ટને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે […]

ઉત્તરપ્રદેશઃ બુલિયન-રિયલ એસ્ટેટના વેપારીઓ પર આવકવેરા વિભાગના દરોડામાં 200 કરોડની કરચોરી ઝડપાઈ

લખનૌઃ બુલિયન અને રિયલ એસ્ટેટના વેપારીઓ પર આવકવેરા વિભાગે પાડેલા દરોડા દરમિયાન અધિકારીઓને 200 કરોડ રૂપિયાની અઘોષિત આવક મળી આવી હતી. બિરહાના રોડની સ્થિત જૂથમાં તપાસમાં મોટાભાગની નાણાકીય ગેરરીતિઓ જોવા મળી છે. અધિકારીઓએ 26 કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ પણ જપ્ત કરી છે. આ સિવાય પ્રી-બુક કરાયેલા સોનાના દાગીનાનું વેચાણ બતાવીને વેપારીઓએ લગભગ 70 કરોડ […]

ઉમેશ પાલ હત્યા કેસમાં ઉત્તરપ્રદેશ પોલીસે સાબરમતી જેલમાંથી અતિક અહેમદની કસ્ટડી મેળવી

અમદાવાદઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદની મુશ્કેલીઓ વધી છે. ઉત્તરપ્રદેશની પોલીસની ટીમ ફરી એકવાર ગુજરાત આવી છે, તેમજ સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ અતિક અહેમદની કસ્ટડી મેળવી હોવાનું જાણવા મળે છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની કસ્ટડી મેળવી હોવાનું જાણવા મળે છે. અતિક અહેમદને બાય […]

નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે, વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પીએમ મોદી સવારે લખનૌ જશે જ્યાં તેઓ ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કરશે. બપોરેના સમયે તેઓ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ રાષ્ટ્રને બે રોડ પ્રોજેક્ટ પણ સમર્પિત કરશે – સાંતાક્રુઝ ચેમ્બુર લિંક […]

ગોરખનાથ મંદિરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલાના કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા ફરમાવી

લખનૌઃ ગોરખપુરમાં ગોરખનાથ મંદિર ઉપર હુમલો કરવાના કેસમાં આરોપી મુર્તજા અબ્બાસને ખાસ એનઆઈએ કોર્ટે કસુરવાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. મુર્તજા ઉપર યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને આતંકવાદી જાહેર કરાયો હતો. આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લખનૌની એનઆઈએ/એટીએસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આરોપીએ એપ્રિલ 2022માં ગોરખનાથ મંદિર ઉપર હુમલો કર્યો […]

ઉત્તરપ્રદેશઃ યુવાનને ભીખારી બનાવવા માટે કરાયાં હ્રદય કંપાવી નાખે તેવા અત્યાચાર ગુજારાયાં

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં યુવાનને ભીખ મંગાવવાના ઈરાદે તેના પરિચીતે હાથ-પગ તોડી નાખ્યાં બાદ આંખોમાં કેમિકલ નાખીને અંધ બનાવ્યો હતો, એટલું જ નહીં યુવાનને દિલ્હીની એક ગેંગને વેચી માર્યો હતો. પરંતુ યુવાનની તબિયત વધારે લથડતા ગેંગના લીડરે તેને પરત કાનપુર મોકલી આવ્યો હતો. તે સમયે યુવાનને પરિચીતે જ રસ્તા ઉપર બેસાડીને ભીખ મંગાવી હતી. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code