વાવ તાલુકાના રાણશરી ગામે કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યાં
પાલનપુરઃ બનાસકાંઠાના વાવ તાલુકાના રાણેશરી ગામમાં પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા. ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. કેનાલોમાં વારંવાર ગાબડા પડતા હોવાથી તેનો કાયમી ઉકેલ લાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના રાણેશરી ગામ નજીક […]