વેરાવળ ફેઝ-2 મત્સ્ય બંદરના વિકાસ કામો ઓક્ટોબર-2025 સુધીમાં પૂર્ણ કરાશે : મત્સ્યોદ્યોગ મંત્રી
ગાંધીનગરઃ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં 1600 કિલોમીટર દરિયાકાંઠે માછીમારી પ્રવૃત્તિનો વ્યાપ વધે અને બંદરોનો વિકાસ થાય એ માટે પણ સતત પ્રયાસો ચાલુ છે. તેના ભાગરૂપે વેરાવળ ફેઝ-2 મત્સ્ય બંદર વિકસાવવાની કામગીરી ઓક્ટોબર-2025 સુધીમાં પૂર્ણ કરાશે. ગુજરાત વિધાનસભામાં વેરાવળ ફેઝ-2 મત્સ્ય બંદર […]