1. Home
  2. ગુજરાતી
  3. 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત,રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ અલગ થયા
18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત,રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ અલગ થયા

18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત,રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ અલગ થયા

0
Social Share
  • રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ
  • 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત
  • સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
  • બંનેએ 2004માં કર્યા હતા લગ્ન

મુંબઈ:સામંથા પ્રભુ અને નાગા ચૈતન્યના છૂટાછેડાના સમાચારથી હજી ફેંસ બહાર પણ ન હતા આવ્યા કે,સાઉથ ઈન્ડસ્ટ્રીના અન્ય પાવર કપલે છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે.અભિનેતા ધનુષે તેની પત્ની ઐશ્વર્યા સાથે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફેન્સ સાથે છૂટાછેડાના સમાચાર શેર કર્યા છે.

ધનુષે અનાઉન્સ કરતાં લખ્યું કે,અમે 18 વર્ષ સુધી સાથે હતા જેમાં અમે મિત્રો, કપલ અને પેરેન્ટ્સ તરીકે સાથે રહ્યા હતા.આ સફરમાં અમે ઘણું જોયું છે.આજે અમારા  રસ્તાઓ અલગ થઈ રહ્યા છે. ઐશ્વર્યા અને હું હવે એક કપલ તરીકે અલગ થઈ રહ્યા છીએ. પ્લીઝ અમારા નિર્ણયનો આદર કરો અને અમને પ્રાઈવસી આપો.

ઐશ્વર્યા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી છે. બંનેએ 2004માં લગ્ન કર્યા હતા.આ કપલને યાત્રા અને લિંગા નામના બે બાળકો છે. વચ્ચે ઘણી વખત આ કપલના અલગ થવાના સમાચાર આવ્યા છે, પરંતુ તેઓ ઘણીવાર મીડિયાના સવાલોને ટાળતા જોવા મળ્યા હતા.

ધનુષ જાણીતા નિર્માતા કસ્તુરી રાજાનો પુત્ર છે. ધનુષ મલ્ટીટેલેન્ટેડ છે. તે અભિનેતા હોવાની સાથે સાથે દિગ્દર્શક, નિર્માતા, નૃત્યાંગના, પ્લેબેક સિંગર, ગીતકાર અને પટકથા લેખક પણ છે.46 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સુપરસ્ટાર ધનુષને અત્યાર સુધીમાં એક ફિલ્મફેર એવોર્ડ, 4 નેશનલ ફિલ્મ એવોર્ડ સહિત 13 મોટા એવોર્ડ મળ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code