1. Home
  2. ગુજરાતી
  3. બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશેઃ PM મોદી
બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશેઃ PM મોદી

બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશેઃ PM મોદી

0
Social Share

નવી દિલ્હીઃ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલું બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશે. આ બજેટનું મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દરેક ગરીબ પાસે પાકું ઘર હોવું જોઈએ, નળમાંથી પાણી, શૌચાલય, ગેસની સુવિધા આ બધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ સાથે, આધુનિક ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર સમાન ભાર મૂકવામાં આવે છે. દેશમાં પ્રથમ વખત હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વ જેવા વિસ્તારો માટે પર્વતમાલા યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના પહાડો પર ટ્રાંસપોર્ટનીની આધુનિક વ્યવસ્થા ઉભી કરશે. આ બજેટમાં ક્રેડિટ ગેરન્ટીમાં વિક્રમી વધારાની સાથે અન્ય ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ડિફેન્સના કેપિટલ બજેટના 68% સ્થાનિક ઉદ્યોગ માટે અનામત રાખવાનો મોટો લાભ, ભારતના MSME ક્ષેત્રને મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code