
બંગલુરુમાં દેશનું પ્રથમ એસી રેલ્વે ટર્મિનલ ટૂંક સમયમાં થશે શરુ- અનેક સુવિધાઓથી હશે સજ્જ
- દેશનું પ્રથમ વાતાનુકૂલિત ટર્મિનલ બેંગલુરુમાં શરુ થશે
- અનેક સુવિધાઓથી હશે સજ્જ
બેંગલુરુઃ- બેંગ્લુરુમાં દેશનું પહેલું કેન્દ્રિય વાતાનુકુલિત રેલ્વે ટર્મિનલનું કાર્ય હવે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ભારત રત્ન સર એમ. વિશ્વેશ્વરૈયાના નામથી બનનારું આપણા દેશનું પ્રથમ એસી રેલ્વે ટર્મિનલ ટૂંક સમયમાં બેંગલુરુમાં કાર્યરત થઈ જશે.
આ રેલ્વે સ્ટેશન તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટર્મિનલમાં એક એરપોર્ટ ફએસડેક પણ છે અને તે બેંગ્લુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની તર્જ પર બનાવવામાં આવ્યું છે.
આ ટર્મિનલમાં સાત પ્લેટફોર્મ, ત્રણ સક્ષમ લાઇન અને ત્રણ પિટ લાઇનો હશે. આ ટર્મિનલ 4 હજાર 200 ચોરસ કિ.મી.ના ક્ષેત્ર પર બનાવવામાં આવ્યું છે અને દરરોજ સરેરાશ 50 ટ્રેનો સાથે દરરોજ 50 હજારથી વધુ ફુટફોલ મળવાની આશા છે.
આ સમગ્ર કાર્યને લઈને જણાવવામાં આવ્યું હતું કે ટર્મિનલની કામગીરી શરૂ થતાં બેંગ્લુરપથી મુંબઇ અને ચેન્નાઈ જેવા અન્ય મહાનગરોમાં પણ વધુ અંતરની ટ્રેનોનું સંચાલન શરુ કરી શકાશે અને બેંગ્લુરુને પણ કર્ણાટકના તમામ જિલ્લાઓ સાથે જોડી શકાશે
બેંગલુરુમાં દેશના પ્રથમ વાતાનુકૂલિત રેલ્વે ચેર્મિનલના તમામ પ્લેટફોર્મ લાંબા, અંડાકાર ફૂટ ઓવર બ્રિજ ઉપરાંત બે સબવે દ્રારાજોડવામાં આવશે, આ ટર્મિનલમાં 200 કાર અને 900 ટુ-વ્હીલર્સ વાહનો માટે પાર્કિંગની જગ્યા હશે.