1. Home
  2. ગુજરાતી
  3. નૌસેનાની તાકાત થશે બમણીઃ દેશનું પ્રથમ પરમાણુ મિસાઈલ  ટ્રેકિંગ જહાજ ‘આઈએનએસ ઘ્રુવ’ આજે થશે લોંચ- જાણો તેની ખાસિયતો
નૌસેનાની તાકાત થશે બમણીઃ દેશનું પ્રથમ પરમાણુ મિસાઈલ  ટ્રેકિંગ જહાજ ‘આઈએનએસ ઘ્રુવ’ આજે થશે લોંચ- જાણો તેની ખાસિયતો

નૌસેનાની તાકાત થશે બમણીઃ દેશનું પ્રથમ પરમાણુ મિસાઈલ  ટ્રેકિંગ જહાજ ‘આઈએનએસ ઘ્રુવ’ આજે થશે લોંચ- જાણો તેની ખાસિયતો

0
Social Share
  • આજે પ્રથમ પરમાણુ મિસાઈલ જહાજ INS ઘ્રુવ લોંચ કરાશે
  • દુશ્મનોને દુરથી જ નાશ કરવાની ક્ષમતા ધરાવે છે

દિલ્હીઃ- ભારત દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો સફળ થઈ રહેલા જોવા મળી રહ્યા છે.ત્યારે હવે આજરોજ ભારતને એક વધુ શક્તિશાળી હથિયાર મળવા જઈ રહ્યા છે, જે બાદ દરિયામાં ભારતની તાકાત બમણી થતી જોવા મળશે. દુશ્મન પરમાણુ મિસાઇલોને ટ્રેક કરવા માટે ભારતનું પહેલું જહાજ INS ‘ધ્રુવ’ આજે લોન્ચ થવા જઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે  આ પહેલું ભારતીય જહાજ છે જે પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલોને ટ્રેક કરી શકે છે. ત્યાર બાદ ભારતીય નૌકાદળ દરિયામાં ચીન અને પાકિસ્તાનની દરેક ક્રિયાને પહેલા કરતાં વધુ તાકાત સાથે યોગ્ય જવાબ આપવા સક્ષમ બનશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના હસ્તે તેને વિશાખાપટ્ટનમાં લોન્ચ કરવામાં આવનાર છે. આ સમયગાળા દરમિયાન ભારતીય નૌકાદળ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન , અને રાષ્ટ્રીય તકનીકી સંશોધન સંગઠનના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, 10 હજાર ટનનું આ ખતરનાક જહાજ ભારતની ભવિષ્યની એન્ટી બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતાના કેન્દ્રમાં હશે, કારણ કે તે ભારતીય શહેરો અને લશ્કરી સ્થાપનોની નજીક આવતા દુશ્મન મિસાઇલો માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી તરીકે કામ કરશે અને તે હુમલાનો સામનો કરશે. હુમલાને નિષઅફળ કરવાની પણ ક્ષમતા ધરાવે છે, એટલું જ નહીં, આ જહાજ હિંદ મહાસાગરમાં ભારતના દરિયાઈ સંરક્ષણ વર્તુળને મજબૂત બનાવશે  સૌથી મહત્વની બાબત એ છે કે તે એવા સમયે લોન્ચ કરવામાં આવી રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વમાં પાણીની અંદર સશસ્ત્ર અને સર્વેલન્સ ડ્રોનનો યુગ શરૂ થયો છે.

જાણો આ ખાસ જહાજની ખાસિયતો

  • INS ધ્રુવનું નિર્માણ હિન્દુસ્તાન શિપયાર્ડ દ્વારા DRDO અને NTRO ના સહયોગથી કરવામાં આવ્યું છે અને હવે તે ભારતીય નૌસેનાની તાકાતને બમણી કરવા રેડી છે.
  • આ જહાજમાં ઘણી નવી ટેકનોલોજી છે.
  • ધ્રુવ ભારતનું પહેલું નૌકા જહાજ છે જે લાંબા અંતર સુધી પરમાણુ મિસાઇલોને ટ્રેક કરવાની સક્ષમતાથી સજ્જ છે
  • આ મિસાઈલ ટ્રેકિંગ શિપ રડાર અને એન્ટેનાથી સજ્જ છે. તે દુશ્મન મિસાઇલો અથવા રોકેટને દૂરથી ટ્રેક કરી શકે છે.
  • ધ્રુવ પાસે DRDO દ્વારા વિકસિત અત્યાધુનિક એક્ટિવ સ્કેન એરે રડાર પણ છે, જેથી તે વિવિધ સ્પેક્ટ્રમ સ્કેન કરી શકશે અને ભારત પર નજર રાખીને જાસૂસી કરતા ઉપગ્રહો પર પણ નજર રાખી શકશે.
  • ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અણુ બેલેસ્ટિક યુદ્ધના વધતા જોખમને જોતા આ ખાસ મહત્વ ધરાવે છે.આ સિવાય, આઈએનએસ ધ્રુવ દુશ્મન સબમરીન શોધવામાં પણ સક્ષમ છે.
  • આઈએનએસ ધ્રુવ ચીન અને પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની દરિયાઈ સુરક્ષા જાળ માટે બુલવર્ક તરીકે કામ કરશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code