1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ઉમિયા ધામ મંદિરનો શિલાન્યાસ 11મી ડિસેમ્બરથી યોજાશે, પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે
અમદાવાદમાં ઉમિયા ધામ મંદિરનો શિલાન્યાસ 11મી ડિસેમ્બરથી યોજાશે, પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે

અમદાવાદમાં ઉમિયા ધામ મંદિરનો શિલાન્યાસ 11મી ડિસેમ્બરથી યોજાશે, પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના જાસપુર ખાતે આગામી તા. 11,12,13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ યોજાશે, જેમાં 11 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જ્યારે 13 તારીખે વડાપ્રધાન મોદી આ મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન પણ કરશે.

ઊંઝા ઉમિયા ધામના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે 1500 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. આ સંસ્થા અમદાવાદનું હૃદય છે. ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની નવી ઈમારતો બનાવવામાં આવશે. સમાજનાં 1200 કરતાં પણ વધુ દીકરા-દીકરીઓ માટે સ્કૂલથી લઈને માસ્ટર ડીગ્રી સુધીની વ્યવસ્થા કરાશે. સૌને સાથે રાખીને કડવા પાટીદારો આગળ ચાલી રહ્યા છે. માતાજીની સંસ્થામાં કોઈ રાજનીતિ નથી, તમામ રાજકીય પક્ષના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઊંઝા ઉમિયાધામના માનદ મંત્રી દિલીપ પટેલે કહ્યું હતું કે ઉમિયાધામ સંસ્થા સર્વે સમાજને સાથે રાખીને કામ કરતી સંસ્થા છે. અંબાજી, બહુચરાજી સહિત અમારી સંસ્થાઓ લોકોને મદદરૂપ થાય છે. અમદાવાદમાં 74 હજાર વાર સાથે ભવ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ભોજનાલય પણ બનાવવામાં આવશે. રહેવાની હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. નાગરશૈલીની પ્રાચીન થીમ પર ભવ્ય મંદિર બનશે.  255 ફૂટ,160 ફૂટ અને 132 ફૂટ શિખર કળશ સાથેનું ભવ્ય મંદિર બનશે. મંદિરમાં ક્યાંય લોખંડ નહીં વપરાય. 51 હજાર કરોડના મંત્રો સાથે પોથીયાત્રા નીકળશે. ઊંઝા ઉમિયાધામના કન્વીનર રમેશ દૂધવાળાએ જણાવ્યું હતું કે હાલ 300 કરોડનો ખર્ચ કરીને સૌથી પહેલા હોસ્ટેલ, ભોજનાલય,શિક્ષણ અને આરોગ્ય સંકુલ બનાવવામાં આવશે. આ માટે દેશ-વિદેશમાંથી અનેક દાતાઓનો સહકાર મળ્યો છે. અત્યારસુધીમાં 60 કરોડનું દાન ઊંઝા ઉમિયાધામને મળ્યું છે, જ્યારે 65 કરોડ રૂપિયા સંસ્થાન પાસે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,આ કાર્યક્રમ માટે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સવારે 8:30થી સાંજે 5.30 કલાક સુધી આ મહાયજ્ઞ ચાલશે. ત્યાર બાદ મહાઆરતી કરાશે. એટલું જ નહીં, પરંતુ 10 હજાર દીવડાની મદદથી મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે, સાથે સાથે 108 કળશ, જે ગુજરાત સહિત દેશ-વિદેશમાં યજમાનો લઈને ફર્યા હતા, જે તમામ કળશો મંદિરના ગર્ભગૃહમાં સ્થાપીને પૂજન કરવામાં આવશે તથા JCB સહિત અન્ય ઓજારો ઉપકરણોની પૂજા કરીને મંદિર બનાવવાની પ્રત્યક્ષ રીતે શરૂઆત કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code