1. Home
  2. ગુજરાતી
  3. ટેટ અને ટાટને સળંગ ગણવાના નિર્ણય બાદ 3900 શિક્ષકોની ભરતી પ્રકિયા હાથ ધરાશે

ટેટ અને ટાટને સળંગ ગણવાના નિર્ણય બાદ 3900 શિક્ષકોની ભરતી પ્રકિયા હાથ ધરાશે

0
Social Share

ગાંધીનગર :  રાજયનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ટેટ ટાટ પરીક્ષાઓનાં સર્ટીફીકેટની મર્યાદા સળંગ ગણવા શિક્ષણ વિભાગમાં દરખાસ્ત મોકલી આપી છે. ટૂંક સમયમાં ટેટ ટાટ પરીક્ષાનાં સર્ટિફિકેટ સળંગ ગણવા સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ  નિર્ણય બાદ આગળની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ નિર્ણનો ટેટ અને ટાટના ઉમેદવારોને  ખુબ જ મોટો ફાયદો થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગયા માર્ચ મહિનામાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી. આગામી દિવસોમાં ધોરણ ૧ થી ૫ માં 1300 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 6 થી 8 માં ૨૦૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આમ કુલ 3900 શિક્ષકની ભરતી કરવામાં આવશે. આ તમામ ભરતીઓ ટેટ ટાટનાં સર્ટિફિકેટ સળંગ ગણવા અંગે શુ  નિર્ણય લેવાય છે તેં આવ્યાં બાદ ભરતી પ્રક્રિયાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો કે લાખો વિદ્યાર્થીઓની માંગ છે તે અનુસાર સળંગ નિર્ણય લેવાય તો પરિક્ષાર્થીઓને મોટો ફાયદો થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટેટ અને ટાટની પરીક્ષાનો નિર્ણય લાંબા સમયથી અટકેલો છે. જેથી અનેક વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. શિક્ષણ વિભાગ ઝડપથી આ અંગે નિર્ણય લે તો ભરતી પ્રક્રિયા પણ ઝડપથી શરૂ થશે. લાંબા સમયથી અટકેલી ભરતી પ્રક્રિયાની કામગીરી પણ શરૂ થશે. હાલ તો આ અંગે શિક્ષણ વિભાગનાં નિર્ણય બાદ જ કાર્યવાહી આગળ વધશે. જેના કારણે સેંકડો વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગનાં નિર્ણયની રાહ જોઇ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code