1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠાના કટાવધામ મંદિર ખાતે વિશ્વશાંતિ માટે ત્રિદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન
બનાસકાંઠાના કટાવધામ મંદિર ખાતે વિશ્વશાંતિ માટે ત્રિદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન

બનાસકાંઠાના કટાવધામ મંદિર ખાતે વિશ્વશાંતિ માટે ત્રિદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન

0
Social Share

ડીસાઃ બનાસકાંઠામાં સુપ્રસિદ્ધ કટાવધામ મંદિર ખાતે ત્રિદિવસીય શ્રીવિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ.પૂ સંતશ્રી ખાખીજી મહારાજની 113મી પુષ્ણતિથી નિમિત્તે 72 કલાકની અખંડ રામધૂનની સાથે નવનિર્મિત જાનકી ભોજનાલયમાં પ્રભુ પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.

આવતીકાલે શનિવારે સવારે 8.30 કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થશે. આ ઉપરાંત સાયંપૂજન, થાળ અને આરતી સાંજના 6 કલાકે થશે. પોષ વદ-1 શનિવારે સવારે 9 કાલે 72 કલાકની અખંડ રામધૂનની શરૂઆત થશે. નવનિર્મિત ભોજનાલયમાં સંતોની ઉપસ્થિતિમાં 10 કલાકે પ્રભુ પ્રસાદનો પ્રારંભ થશે. રાતના 8 વાગે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સવારે 8.30 કલાકે મહાયજ્ઞ પ્રારંભ, પ્રાર્થના તથા સાંજના છ કલાકે સાયંપૂજન, થાળ અને આરતી કરવામાં આવશે. રાતના 8 વાગે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે સવારે મહાયજ્ઞ પ્રારંભ પ્રાર્થના, બપોરના સમયે મહાયજ્ઞ પૂર્ણાહૂતી ક્ષમાયાચના સાયંપૂજન, થાળ અને આરતી કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code