
આજે વિશ્વ સંસ્કૃત દિવસ,જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
- શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે વિશ્વ સંસ્કૃત દિવસ
- સમાજમાં સંસ્કૃતનું મહત્વ વધે તે હેતુથી ઉજવણી
- 3500 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષાનો થયો હતો ઉદભવ
વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષા છે, લગભગ તમામ વેદો અને પુરાણો સંસ્કૃતમાં લખાયા છે.આ ભાષાનું વર્ણન આપણા તમામ ધાર્મિક ગ્રંથો અને મંત્રોમાં જોઈ શકાય છે, તેથી, તેના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે 31 ઓગસ્ટ 2023 ના રોજ ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ સંસ્કૃત ભાષાનું મહત્વ અને ઈતિહાસ.
સંસ્કૃત દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
આપણા મોટાભાગના ધાર્મિક ગ્રંથો જેવા કે વેદ, પુરાણ, રામાયણ, ઉપનિષદ, મહાભારત, ભગવદ્ ગીતા, શાકુંતલમ, રઘુવંશ મહાકાવ્ય અને તમામ કલ્યાણકારી મંત્રો વગેરે સંસ્કૃતમાં લખાયા છે.આમ છતાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઘટી રહ્યો છે, તેથી સમાજમાં સંસ્કૃતનું મહત્વ વધે તે માટે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ સંસ્કૃત દિવસનો ઇતિહાસ
ભારતમાં લગભગ 3500 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષાનો ઉદભવ થયો હતો. વર્ષ 1969માં પ્રથમ વખત વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને સૂચના જારી કરી હતી.
વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે દેશભરમાં પરિસંવાદો, પ્રવચનો અને સભાઓનું આયોજન કરવામાં આવે છે. રાજસ્થાન સંસ્કૃત અકાદમી અને સંસ્કૃત યુનિવર્સિટીએ સંયુક્ત રીતે એક અઠવાડિયા સુધી ચાલનારા ઉત્સવનું આયોજન કર્યું છે