પીએમ મોદીને મળ્યા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થઈ વાતચીત
- કેરળના સીએમ પીએમ મોદીને મળ્યા
 - અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
 
દિલ્હીઃ- આજરોજ મંગળવારના દિવસે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી, એક
આ બાબતને લઈને સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયે તે સ્થળોએ એક કિલોમીટરના ઈકો-સેન્સિટિવ ઝોન (ESZ) ના અમલીકરણ સામે વિરોધ કરી રહેલા દક્ષિણ રાજ્યના જંગલ વિસ્તારોની નજીકના વિસ્તારોના ખેડૂતો અને રહેવાસીઓના પગલે યોજાયેલી બેઠકના ફોટોઝ શેર કર્યા હતા. મીટિંગના ફોટોગ્રાફ્સ સિવાય, મુખ્યમંત્રી કાર્યાલયદ્વારા અન્ય કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.
 એક સત્તાવાર સૂત્રએ વિતેલા દિવસને સોમવારે આ અંગે જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે બેઠક દરમિયાન ESZ મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત, ઉત્તરમાં કાસરગોડથી દક્ષિણમાં તિરુવનંતપુરમને જોડતો સેમી-હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, સિલ્વરલાઈન માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવામાં વિલંબ, કોવિડ-19 રોગચાળાના સમયમાં રાજ્યમાં આર્થિક કટોકટીનું કારણ બની શકે છે. .તે પણ ચર્ચાનો વિષય બની શકે છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

